SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ દોષ ક્ષય - ઉદ્વેગ : ઉદ્વેગ એટલે ધર્મપ્રવૃત્તિમાં કંટાળો લાગે, થાક લાગે, ખેદ એટલે કંટાળો આવે, અરૂચિ થાય. પ્રથમ અને બીજી દૃષ્ટિમાં આ બે દોષ જાય છે. મોહનીય કર્મનો વિશેષ ક્ષયોપશમ થવાથી પ્રથમ ખેદ થાક ગયા હતા. આ બીજી દૃષ્ટિમાં કંટાળો કે અરૂચિ થતા નથી ઉત્સાહ ટકે છે એટલે સાધકમાં હવે અખેદ અને અનુગનો ગુણ વિકાસ પામે છે. આથી અનુકૂળતામાં લોભાઈને કે પ્રતિકુળતામાં કઠિણાઈને કારણે અનુષ્ઠાન ત્યજી દે નહિ. તેને માટે સાધુસમાગમમાંથી પ્રેરણા મેળવે છે. - યદ્યપિ મિત્રાદેષ્ટિમાં અલ્પાંશે તાત્વિક બોધ હોવાથી ખેડદોષ ક્ષય થયો હોય છે. તારાદેષ્ટિમાં મિત્રાદેષ્ટિ કરતાં બોધની કંઈક વિશેષતા હોવાથી ઉદ્વેગ થતો નથી. આ દૃષ્ટિવાળા જીવોને યોગમાર્ગમાં ખેદ, ઉદ્વેગ બંને દોષો હોતા નથી. પરંતુ તાત્ત્વિકબોધની વધુ જિજ્ઞાસા હોય છે. સંયમમાં ઉપાદેય ભાવ ટકી રહે છે. છતાં તેમાં નબળાઈ છે એટલે ભોગબુદ્ધિને કારણે કયારેક કંટાળો આવી જાય છે માટે સાધકે ખૂબ જાગૃત રહેવાનું છે. મિથ્યાત્વ નામનો શત્રુ હજી બેઠો છે એટલે સાધકને કયારેક ચલિત કરે છે. પ્રસન્ન રાજર્ષિ ધ્યાનયોગમાં હતા, સર્વવિરતિધર હતા. છતાં દુર્મુખના વચન શ્રવણથી ખેદ દોષ ઉદયમાં આવી ગયો. સંયમ પર ઉદ્વેગ આવી ગયો. ક્ષયોપશમભાવે રહેલા સમતિથી ચૂકી ગયા. મિથ્યાત્વના ઉદયમાં રૌદ્રધ્યાનમાં આવી નરકે પહોંચવા જેવા પરિણામ ઉપાર્જન કર્યા. છતાં સંયમના યોગવાળા હતા. પુણ્યયોગે વૈરાગ્યભાવનામાં આરૂઢ થઈ ગયા અને મુક્તિ પામ્યા. અર્થાત્ દોષક્ષય થાય તો પણ મિથ્યાત્વ સત્તામાંથી જોર કરી ઉદયમાં આવી સાધકને સ્વર્ગ કે મોક્ષને બદલે પાતાળમાં ધકેલી દે. માટે પૂર્ણતા પામતા સુધી વીતરાગના સિદ્ધાંત-આશયને ઉપાદેય માનવો. ગુણપ્રાપ્તિ - તત્ત્વ જિજ્ઞાસા : મિત્રાદેષ્ટિવાળા જીવને તત્ત્વ પ્રત્યે અદ્વેષ-રૂચિ હતા. તારાદષ્ટિમાં બોધની કંઈક વિશેષતા હોવાથી હવે રૂચિ કરતાં પણ વિશેષ પ્રકારે જિજ્ઞાસા પ્રગટી છે. તે માટે તે યોગ્ય ગુરુજનોના સંપર્કમાં રહે છે. શાસ્ત્રોનો અભ્યાસ કરે છે. (શુક્રૂષા-શાસ્ત્ર શ્રવણ ઈચ્છા) જેમ કોઈ યુવાન ગાંધર્વદેવોના મધુર ગીતસંગીતમાં લીન થઈ જાય છે તેથી પણ વિશેષ તારાદષ્ટિવાળો જીવ ગુરુના વચનમાં લીન થઈ જાય છે. બીજા સુખને ગૌણ માને છે. સાંસારિક સુખ કરતાં પણ તેને અધિક યોગદષ્ટિ સમુચ્ચય તારાદેષ્ટિ ૨ ૧૩ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004899
Book TitleGranthtraya Anushilan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2010
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy