SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ આમ બંને પ્રકારમાં યોગ શબ્દનો પ્રયોગ સમાન છતાં બંનેનું કાર્ય તદ્દન ભિન્ન છે. પરમાર્થ યોગ કર્મક્ષયનો, મોક્ષનો હેતુ બને છે અને કર્મયોગ સંસારના પરિભ્રમણનો હેતુ બને છે. જીવના જે જે પરિણામ આત્મરૂપ હોય તે યોગ કર્મક્ષયનો હેતુ છે, અને એ જ આત્માના પરિણામમનાદિ યોગ વિભાવજનિત, ભોગ તરફ હોય તે કર્મબંધનો હેતુ છે, તે જીવો ઓઘદૃષ્ટિમાં છે. પારમાર્થિક યોગવાળા યોગદૃષ્ટિમાં છે. યોગમાર્ગના બોધને યોગદૃષ્ટિ કહી છે, તે આઠ ભાગમાં ઉત્તરોત્તર વિકાસક્રમથી કહેવામાં આવી છે. તેથી ગ્રંથનું નામ ‘યોગદૃષ્ટિ સમુચ્ચય'' સાર્થક છે. પૂર્વે કે આ જન્મમાં જીવોએ વિવિધ પ્રકારના ધર્મ અનુષ્ઠાન કર્યા છે અને કરે છે. તેના પરિણામે પુણ્યબંધ કરી દેવલોકના સુખ ભોગવે છે પરંતુ સંસારનું પરિભ્રમણ સમાપ્ત થયું નથી. હજી જન્મમરણના હેતુઓ નષ્ટ થયા નથી. તેથી માત્ર પુણ્યબંધના હેતુરૂપ તે ધર્મઅનુષ્ઠાનોને ઓઘદૃષ્ટિનો ધર્મ કહ્યો છે. સર્વજ્ઞ પરમાત્માએ કહેલા અનુષ્ઠાનો મોક્ષપંથી હોય પરંતુ જીવોના પરિણામને કારણે ભેદ પડે છે. યદ્યપિ સર્વજ્ઞવીતરાગપ્રભુએ બોધેલો ધર્મ મોક્ષ માટે જ છે પરંતુ જીવોની તે ધર્મ પ્રવૃત્તિ રાગાદિ દોષયુક્ત હોવાથી તે ધર્મપ્રવૃત્તિ મોક્ષમાર્ગમાં સહાયક થતી નથી. આ ઓઘદૃષ્ટિવાળા જીવો વ્રત, તપ, યાત્રા, ઉપધાનાદિ ધર્મશ્રદ્ધાથી કરે છે. દેવગુરુજનોની ભક્તિ આદરથી કરે છે. શાસ્ત્રજ્ઞાન પણ ધરાવે છે. પરંતુ તત્ત્વબોધ કે આત્મબોધના અભાવે મોક્ષમાર્ગમાં આગળ વધી શકતા નથી. કથંચિત પુણ્યબંધથી દેવલોકમાં ઉત્પન્ન થઈ સંસારવૃદ્ધિ કરે છે. આ ઓઘદૃષ્ટિવાળા જીવોને ‘ભવાભિનંદી’ કહે છે. અર્થાત્ તે જીવો સંસારસુખના રસિયા હોય છે. આત્મિક સુખનો બોધ તે જીવો પામ્યા નથી. આત્મિક સુખનો કલ્પના-વિચાર પણ તેમને ઉદ્ભવતો નથી. મોટા અનુષ્ઠાનો કરે પરંતુ ત્યારે લોકવ્યવહાર અને લોકસંપર્કના રાગાદિભાવની મંદતા કરી શકતા નથી. યદ્યપિ પ્રયોજકો પણ તત્ત્વબોધ પર વધુ મહત્વ આપતા નથી. મહદ્અંશે આ અનુષ્ઠાનો ક્રિયાત્મક હોવાથી આરાધકોની ભાવદશા તાત્ત્વિકબોધ સુધી પહોંચતી નથી. જો કે આરાધકો અને પ્રયોજકો આત્મકલ્યાણનું લક્ષ્ય કહેતા હોય છે. પરંતુ આ અનુષ્ઠાનો પ્રાઃયે ધર્મરૂપ હોતા નથી. કારણ શું છે ? યોગદૃષ્ટિ સમુચ્ચય Jain Education International ૧૯૨ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004899
Book TitleGranthtraya Anushilan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2010
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy