SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ છે. ગુરુ ગૌતમસ્વામીના ઉપદેશથી તેમણે પુંડરિક અને કુંડરિકનું ચરિત્ર દેવપણું છતાં રોજ ૫૦૦ વાર અધ્યયન કર્યું. વૈરાગ્યની, સંયમની ભાવનાથી ભાવિત થયા. દેવપણું તો આયુષ્ય પૂરુ થતાં છૂટી ગયું, પણ પેલી વૈરાગ્ય ભાવનાનો સંસ્કાર સાથે ગયો. એક ગૃહસ્થને ત્યાં પુત્રરૂપે જન્મ થયો. તે ગર્ભમાં હતો ત્યારે તેના પિતા દીક્ષિત થઈ ગયા હતા. બાળક છ માસનો થયો અને શબ્દ શ્રવણ થયું કે આના પિતાએ તો સંયમ લીધો છે અને પેલો જન્માંતરીય સંસ્કાર પ્રગટ થયો. સંયમ, સંયમ ! છ માસનો બાળક બોલે કેવી રીતે ! તેની ભાષા રડવાની હોય, તે રડયા જ કરે રડયા જ કરે. માએ કંટાળીને બાળકને તેના પિતા મુનિ મહારાજને વહોરાવી દીધો. પિતાના ગુરુ જ્ઞાની હતા. તેમણે બાળકનું ભાવિ ભાખી લીધું કે આ તો યુગપુરુષ છે. તેનું શિક્ષણ શરૂ થયું. તે કાળે તે સમયે વજસ્વામી પૂર્વધર થયા. મોક્ષમાર્ગી થયા. આવા જન્માંતરીય સંસ્કાર સાથે જીવો આ કાળે પણ સરળતાથી સંયમમાર્ગે સંચરે છે. શુદ્ધ ભાવનાથી ભાવિત થયેલો સંસ્કાર જન્માંતરીય થઈ સાથે આવી આગળના માર્ગને ખુલ્લો કરે છે. માટે ભવ્યાત્માઓ આ ભાવનાથી ભાવિત થજો. ચાલો, હવે ભાવનામાં શુભ પ્રવેશ કરીએ. હા, પણ આ લેખન કેવળ વાંચવા માટે નથી. ચિંતન કે અનુપ્રેક્ષા જો તેને માટે નિયત સમય, એનંત સ્થાન, સ્વચ્છ આસન, શ્વેત વસ્ત્રપરિધાન અને સવિશેષ સ્વસ્થ ચિત્ત વિષે ખૂબ કાળજી રાખો તો સફળતા છે જ. છ માસપર્યત નિયમિતપણે આ ભાવનાઓનું ચિંતન કરવાથી આત્મવિશુદ્ધિ અવશ્ય થાય તેમાં શંકા નથી. આત્મવિશુદ્ધિ એજ આનંદાનુભૂતિ છે. લેખકનો આ આત્મસાદ છે, અનુભવ છે. ભાવના સૌ પ્રાણી આ સંસારના, સન્મિત્ર મુજ વહાલા હજો, સગુણમાં આનંદ માનું, મિત્ર કે વેરી હજો; દુઃખીયા પ્રતિ કરૂણા, અને દુશ્મન પ્રતિ માધ્યસ્થતા, શુભ ભાવના પ્રભુ ચાર આ, પામો હૃદયમાં સ્થિરતા. ચિંતનયાત્રા Jain Education International ૧૪ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004899
Book TitleGranthtraya Anushilan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2010
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy