SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ શુભ મનોયોગ. વચન વડે પ્રિય અને સત્યવાણી બોલવી તે શુભ વચનયોગ. શરીર વડે સત્કાય કે શુભક્રિયાઓ કરવી તે શુભકાયયોગ. આમ આ યોગો નિરંતર સક્રિય હોય છે. અશુભયોગો વડે અશુભ આસ્રવ થાય છે તે પાપરૂપ છે પરિણામે દુઃખદાયી છે. શુભયોગ વડે શુભાસ્રવ થાય છે તે પુણ્યરૂપ હોવાથી સુખદાયી છે. પરંતુ બન્ને આસ્રવ હોવાથી કર્મબંધનું કારણ છે. બંને આરવ રહિત નિરાસવ તે આત્મગુણ છે. જીવ આ ચારે ગતિમાં ભટકયો છે. છતાં હજી મોહવશ બોધ પામ્યો નથી. જો તેનું ભાગ્ય ઉઘડે અને આવા ગ્રંથનો બોધ ગ્રહણ કરે તો દુઃખથી મુક્ત થવાનો સંભવ છે. આ ભાવનાઓ જીવને દુર્ગાનથી દૂર રાખે છે. રાગ જેવા પરિબળો આગ જેવા છે, છતાં જીવને પુણ્યના બાગમાં એ સુખ પાછળ દોડતું દુઃખ દેખાતું નથી. વળી શુભભાવના રહિત જીવ નિરંતર પાપોનું પોષણ કરે છે. આ ભાવનાઓથી ભાવિત જીવમાં હેય ઉપાદેયનો વિવેક જન્મે છે. ત્યારે તેને સદ્ગુરુનો યોગ મળે છે. ત્યાં તે બોધને ગ્રહણ કરી આગળનો વિકાસ સાધે છે. વાસ્તવમાં જીવમાત્ર ભાવ, પરિણામ કે ઉપયોગ વગરનો નથી. છતાં ગુણવાન, વિવેકવાન જીવો જ આ ભાવનાઓથી ભાવિત થઈ દીર્ઘ સંસારનો સંક્ષેપ કે નાશ કરી શકે છે. મોટે ભાગે જીવને અશુભભાવની ધારા રહે છે. તેથી જીવે પ્રથમ શુભભાવનાઓ માટે સત્સંગનું સેવન કરવું. શુભભાવ વડે મનની શુદ્ધતા જળવાય છે. ત્યારે શુભધ્યાનની પાત્રતા આવે છે. ત્યારે આર્તધ્યાન અને રૌદ્રધ્યાનથી જીવ મુક્ત થાય છે. ધર્મધ્યાન તો સમદષ્ટિજીવ કે મુનિજનોને હોય છે. તેથી આ બારભાવનાને ધર્મધ્યાનનું પ્રવેશદ્વાર કહ્યું છે. ધર્મધ્યાનને પાત્ર થવા માટે અવશ્ય આ બાર ભાવનાઓની અનુપ્રેક્ષા કરવી. કથંચિત તમે વિદ્વાન, તપસ્વી, ધ્યાન, યોગી, ભક્ત, ગૃહસ્થ કે સાધુ હો પરંતુ તમારા અંતઃકરણમાં આવી વૈરાગ્યયુક્ત ભાવનાઓ નહીં હોય તો તમારી બધી ધારણાઓ, યોજનાઓ વ્રતાદિ અભિલાષાઓ નિષ્ફળ જશે. સાંસારિક પદાર્થોનો રાગ તમારા વિવેકને આગમાં હોમી દેશે. તમારો આત્મા કલુષિત થશે. ચાર ગતિના દુઃખના દાવાનળમાં તમે નષ્ટ ભ્રષ્ટ થઈ જશો. જૈન શાસનના સાધકો શ્રી વજસ્વામીના શુભનામથી પરિચિત હોય ચિંતનયાત્રા ૧૩ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004899
Book TitleGranthtraya Anushilan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2010
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy