SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ જીવ ચેતન છે. ખાટલા, પાટલા, વસ્ત્રો સર્વે અજીવ છે. હે જીવ ! તે પદાર્થોનું મમત્વ ત્યજવું. સ્વામિત્વ ત્યજી દેવું. ધર્માસ્તિકાય વિગેરે અજીવ તત્ત્વો છે. તે નિમિત્ત-સહાયક માત્ર છે. (3) પુણ્ય : સંસારી જીવોને દેવાદિ શુદ્ધ અવલંબનના નિમત્તે જે શુભભાવ થાય છે તેના વડે પુણ્યબંધ-આસવ થાય છે. તેના ઉદયથી સુખની સામગ્રી અને સુખનો અનુભવ થાય છે. આ સુખ પુણ્યઆશ્રયી હોવાથી તે આત્મ સુખ નથી પણ સુખાભાસ છે. આથી પુણ્ય ઉપાદેય નથી. પરંતુ પુણ્ય વડે મળતા માનવદેહ, ધર્મક્ષેત્ર, સત્ દેવાદિનો યોગ, શાસ્ત્રબોધ, જેવા નિમિત્તોથી જીવ સ્વના સત્ પુરૂષાર્થ વડે મોક્ષ પામે છે. તેથી પુણ્યની તે હેતુએ ઉપાદેયતા છે. છતાં પુણ્ય શુભ આસ્રવ હોવાથી તે અજીવ છે. ત્યાગવા યોગ્ય છે. કારણ કે આસવથી બંધ હોય છે. જેના વડે બંધ થાય તેના વડે મોક્ષ ન થાય. હે જીવ ! આવા નિશ્ચયનયને લક્ષ્યમાં લઈ પયયોગના સદુઉપયોગ વડે શુદ્ધાત્માનો આશ્રય કરી સાધના કરવી તે ધર્મ છે. પુણ્ય એકાંતે હેય નથી તેમ ઉપાદેય નથી. ભૂમિકાનુસાર વિવેકપૂર્વક આરાધના કરવી. (૪) પાપ : પદ્ગલિક પદાર્થોના પરિચયે જીવને રાગાદિભાવ અશુભભાવ થાય છે, તે પાપબંધનું કારણ છે. પુણ્યમાં રાગાદિભાવ પ્રશસ્ત હોવાથી તે શુભ છે. પાપનું પરિણામ અનેક પ્રકારના દુઃખ છે. દેહાદિના સુખ માટે જીવ પાપ બંધ પોતે જ કરે છે તે જીવની પાપ સ્વરૂપ વિભાવદશા છે, જે પરિભ્રમણનું કારણ બને છે. આત્મા નિર્દોષ સુખ અને આનંદનો સ્વામી છે, તે દેહાદિના મોહને કારણે ચારે ગતિમાં દુઃખ પામે છે. તેની નિરર્થકતા સમજી જીવે પાપના કારણોનો ત્યાગ કરી, શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ આત્મામાં સ્થિર થવું. સ્વભાવષ્ટિએ પુણ્ય અને પાપ બંને કર્મબંધરૂપ છે, જે દ્વારા જીવ સંસારમાં પ્રવેશ કરે છે. તે પુણ્ય હો કે પાપ હો તે બંધનું કારણ છે માટે પુણ્યનું ભલુ માનીને ઉપાસવું નહિ, બંને પુદ્ગલમયી છે. મોક્ષમાર્ગ જીવમયી છે. તેથી પુણ્ય-પાપના ભેદને ગૌણ કરી આત્મશ્રેયનું લક્ષ્ય રાખવું. (૫) આસવઃ વાસ્તવમાં પુણ્ય-પાપ બંને કર્મરજોને ગ્રહણ કરવારૂપ આસવ છે. આસવ એટલે શુભાશુભ ભાવ દ્વારા કર્મનું આત્મપ્રદેશે ગ્રહણ થવું. જીવ વિભાવદશામાં કાર્મણવર્ગણાના પુદ્ગલો ગ્રહણ કરે છે ત્યારે પોતાના શુભાશુભ પરિણામ વડે પુણ્ય પાપના ભેદ પડે છે. તેમાં સુખનો પ્રશમરતિ નવતત્ત્વનું ચિંતન ૧૪૩ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004899
Book TitleGranthtraya Anushilan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2010
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy