SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ 1 2 IIIIIIIIIII ૪. દ્વેષની અવસ્થાઓ : રાગનો સહોદર દ્વેષ છે. રાગ દ્વેષનું યુગલ છે તે સાથે રહે છે. છતાં સંપીલું હોવાથી જીવના ભાવોમાં વારાફરતી ઝળકે છે. એક પદાર્થનું રાગથી સેવન કરીને થાકે ત્યારે દ્વેષ હાજર થાય છે. વળી બીજો પદાર્થ મળતા દ્વેષ વિરામ લે છે અને રાગ હાજર થઈ જાય છે. ઉપરના આ સાત ‘પ' માં આ રાગદ્વેષના ભાવ ભરીને જીવ તેની પાછળ વ્યર્થ જીવન ગુમાવે છે. રાગના લક્ષણ જોયા હવે વૈષના જૂઓ. દ્વેષની જુદી જુદી ચાલબાજી અહિતકારી છતાં જીવ અજ્ઞાનવશ તેનો ત્યાગ કરતો નથી પરિણામે દુઃખી થાય છે. ઈર્ષા : એક જાતની આગ છે. અન્યના સુખ સંપત્તિ તેના પુણ્યથી મળે છે પરંતુ ઈર્ષાળુ જીવ તે જોઈને દુઃખી થાય છે. કોઈવાર અન્યને બરબાદ કરવા જેવા અધમ કાર્યો કરે છે. ક્રોધ : પોતાને મનગમતું ન થાય. અથવા પોતે સબળો હોય તો નબળા પર ક્રોધ કરીને પોતે જ દુઃખી થાય છે. જેમકે “આગ ઉઠે જે ઘર થકી તે પહેલું પોતાનું ઘર બાળે.' કેષઃ જડ કે ચેતન પદાર્થોમાં જરાપણ પ્રતિકૂળતા થઈ કે અંતરદાહથી જીવ પીડાય છે. શ્રેષથી ભભૂકીને સ્વ-પર અહિત કરે છે. પરિવાદઃ અન્યના દોષ જોવા, જાહેર કરવા. આવી મનોવૃત્તિ દ્વેષનું ખતરનાક બીજુ પાસું છે. જે પોતાના દોષનો ગુણાકાર કરીને મળેલું માનવજીવન વ્યર્થ ગુમાવે છે. મત્સરઃ અન્યના ગુણ જોઈ ન શકે, પોતાના ગુણને વિકસાવે નહિ, અન્યને હલકો માને અને તિત્કાર કરે. અસૂયા પ્રેમભાવને ધારણ જ ન કરે. જયારે જુઓ ત્યારે દ્વેષની આગમાં બળતો જ હોય. તેને કારણે સૌને અપ્રિય લાગે, પોતાની વૈરવૃત્તિ ઉત્તેજિત બને અને અતિ ઉત્કટપણે ક્રોધ કષાયથી પીડા પામે. આ તમામ ટ્રેષના સૈન્યને હરાવવા તમને માનવજીવનમાં તક મળી છે. જો ચૂકી ગયા તો એ સંસ્કાર બની ભવાંતરે સાથે આવી એ જ આગમાં જન્મોના જન્મો ભરખાઈ જશે. તમે એવી યાતના ભોગવશો કે ત્યાં તમને કોઈનું રક્ષણ મળશે નહિ. માટે સદ્ગુરુના બોધે સત્સમાગમ દ્વારા પ્રશમરતિ Jain Education International ૧OO. For Private & Personal Use Only દ્વેષની અવસ્થાઓ.org
SR No.004899
Book TitleGranthtraya Anushilan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2010
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy