SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ = ૧. શ્રી પ્રશમરતિ ગ્રંથનું અધ્યયન KIXXIIIIIIIIIIIII મંગળ સ્તુતિ ગ્રંથના પ્રારંભમાં આચાર્યશ્રીએ ચોવીસ તીર્થંકર પરમાત્માની સ્તુતિ કરી મંગળ પ્રવેશ કર્યો છે. આપણે પણ તે પરમાત્માઓને ભાવવંદના કરીને શ્રદ્ધાપૂર્વક અધ્યયન કરીશું. વળી પુનઃ અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય તથા સર્વ સાધુઓને ભાવવંદન કરીને પ્રશમ-વૈરાગ્યભાવની પ્રીતિની વિશેષતા જણાવી છે. ગુરુ પરંપરાને જાળવી સ્વાનુભવયુક્ત પ્રશમરસ-વૈરાગ્યના રસને છલકાવી દીધો છે. તેમાં જિનવચનોનું અનુકીર્તન ગાયું છે. આપણે તે રસને ઝીલીએ અને અનુકીર્તન કરી આત્માને પાવન કરીએ. - પ્રશમ એટલે વૈરાગ્ય : અનાદિકાળથી જીવે રાગનું સેવન કરી ચૌદરાજલોકમાં ચક્કર લગાવ્યા છે. પુણ્યોદયે દિશા બદલીને વૈરાગ્યભાવમાં સ્થિર થતો જાય તો અનાદિના રાગાદિનું વિસર્જન થવા સંભવ છે. આ ગ્રંથનું અધ્યયન કરતા, શ્રવણ કરતા સૌએ ભાવના દઢ કરવી કે આ જીવે વૈરાગ્યથી વાસિત થવું છે. વૈરાગ્ય શબ્દથી મૂંઝાશો નહિ. પરભાવ એવા રાગથી મૂંઝાયા નહિ તેવા આપણે ભાવિક વૈરાગ્યથી કેમ મૂંઝાઈ જઈએ? રાગના કારણે ભય, ચિંતા છે. વૈરાગ્યમાં કંઈ માલમિલકત લૂંટાઈ જવાના નથી પછી ભય કેવો? ચિંતા કેવી? કોઈ સંયોગો, વ્યક્તિ કે વસ્તુના પરિચયમાં આવો ત્યારે તેને જાણો, ન કરો રાગ કે ન કરો વૈષ એનું નામ વૈરાગ્ય જેમાં ભય કે ચિંતા નહીં. છતાં રાગ કરવો છે તો દેવ-ગુરુ, ધર્મ, શુદ્ધાત્મા, મુક્તિ જેવી દશા કે દશાવાન પ્રત્યે રાગ કરો અને સંસારી પ્રયોજન જે આધિ, વ્યાધિ, ઉપાધિનું ગાઢવન છે તેના પ્રત્યે ઉદ્વેગ રાખો, આ છે સુખનો માર્ગ તે પ્રશમભાવની વિવિધતાથી પ્રાપ્ત થાય છે. જેમ સંસારમાં રખડી પડવાના અનેક સાધનો છે તેમ સંસારથી મુક્તિ મેળવવાના વિશેષ બળવાન પ્રશમરસના સાધનો છે. સૌ પ્રથમ જણાવ્યા પ્રમાણે સદેવ, (સર્વજ્ઞ વીતરાગ) સદ્ગુરુ (નિર્ગથગુરુ) સત્ય મૂળ દયારૂપ ધર્મ તેની સાથે જિન પ્રતિમા, જિનવાણી જેવા શ્રેષ્ઠ સાધનો છે. સંસારસાગરમાં દીર્ઘકાળથી ડૂબકી લગાવીને કંઈ મેળવ્યું નથી હવે જીવ પ્રશમરસમાં એકવાર ડૂબકી લગાવ તેમાં સુખ જ સુખ છે. પ્રશમરતિ ૯૭ શ્રી પ્રશમરતિ ગ્રંથનું અધ્યયન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004899
Book TitleGranthtraya Anushilan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2010
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy