________________
શ્રી પાર્શ્વનાથાય નમ: શ્રી સદ્ગુરવે નમઃ
માંગલિક
આ [9] ફેરળનતઃ શ્રીમાતાગમનઃ | __ उद्दधार युगादौ यो जगदज्ञानपङ्कतः ॥ १ ॥
મૂલાર્થ : દેવેન્દ્રોની શ્રેણિઓ વડે નમસ્કાર કરાયેલા શ્રીમાન નાભિરાજાના પુત્ર ઋષભદેવ સ્વામી આનંદ પામો કે જે ઋષભદેવે યુગની આદિમાં અજ્ઞાનરૂપી પંકમાંથી (કાદવ) જગતનો ઉદ્ધાર કર્યો.
ભાવાર્થ : તીર્થંકર નામ કર્મનો મહિમા અદ્ભૂત છે. માનવ રૂપે જન્મ પામેલા પરંતુ જગતઉદ્ધારકના બિરુદવાળા પરમ સર્વજ્ઞ તીર્થકરના પુણ્યાતિશયોથી પ્રેરિત ઈન્દ્રોનો સમૂહ નાભિરાજાના પુત્રપણે ઉત્પન્ન થયેલા ઋષભદેવને નમસ્કાર કરે છે.
ઈન્દ્રો સ્તુતિ કરીને ભાવના કરે છે કે હે ઋષભદેવ પ્રભુ આપ આનંદ પામો. તે ઋષભદેવ અવસર્પિણી કાળના પ્રથમ રાજા પ્રથમ મુનિ અને પ્રથમ તીર્થંકર હતા, એવા ઋષભદેવે ત્રીજા આરાના અંત ભાગમાં કલ્પવૃક્ષ ક્ષીણ થવાથી અને યુગલિક કાળ સમાપ્ત થવાથી માનવજીવન માટે કર્મભૂમિરૂપ યુગના પ્રારંભમાં માનવોને વ્યવહાર જીવનનું શિક્ષણ આપ્યું. ત્યાર પછી સ્વયં ત્યાગમાર્ગ પ્રહણ કર્યો. કેવળજ્ઞાન પામી જગતના જીવોનો અજ્ઞાનરૂપી અંધકારમાંથી ઉદ્ધાર કર્યો. [૨] શીશનિસ્તાત્તિમમૂયામવિનાં મૃતીનઃ |
પાવઃ સ્વયોણીએ સુર્વતિ યસ્ય નિર્મનાઃ | ૨ મૂલાર્થઃ ચંદ્રસમાન શ્રી શાંતિનાથ સ્વામી ભવ્ય પ્રાણીઓના ખેદને હરનારા થાઓ, કે જે ભગવાનની નિર્મળ વાણી કુવલયનાને (પૃથ્વીરૂપ વલયો-જગતના જીવો) ઉલ્લાસને કરે છે.
ભાવાર્થ : સોળમા તીર્થંકર શાંતિનાથ કે જે ચંદ્ર સમાન શીતળ
માંગલિક : ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org