________________
હાર્દિક પ્રસ્તુતિ (પ્રાસંગિક)
શ્રી યશોવિજયજી મહા મહોપાધ્યાય રચિત શ્રી અધ્યાત્મસાર ગ્રંથની રચનાનું નિરૂપણ જ એવું છે કે તેને માટે પ્રાસંગિક કંઈ લખવાનું રહે નહિ. તેમાં વળી પ.પૂ. શ્રી વિજયચંદ્રોદયસૂરિ મ. સા.ની લખેલી આંતરિક વાત અને પ. પૂજ્ય શ્રી વિજયકલાપૂર્ણસૂરિ મ.સા.ના આશીર્વાદ પ્રસ્તુતિ કરી છે. તે પછી વિશેષ કથન કરવાનું ન હોય. છતાં આ ગ્રંથનો ભાવાનુવાદ કરતાં મનમાં આ ગ્રંથમાં આલેખેલા વિષયો તેનો મર્મ અને વિશાળ દષ્ટિ પ્રત્યે અહોભાવ અને બોધથી પ્રેરાઈ તેનું મહાભ્ય સમજાતાં કંઈક લખવાની ભાવના થઈ. તે પણ ગ્રંથની પ્રસ્તુતિ માટે જ છે.
લગભગ ૩૦૦ વર્ષ પહેલાં પ્રસ્તુત ગ્રંથની રચના મૂળ સંસ્કૃત શ્લોકમાં થઈ. તેનો પૂ. શ્રી ગંભીરવિજયજીએ મૂલાર્થ અને ભાવાર્થ ગુજરાતીમાં એક સદી પહેલાં કર્યો હતો. ત્યાર પછી વિદ્યમાન પૂ. શ્રી ચંદ્રશેખરજી મ.સા. દ્વારા તેનો સંક્ષિપ્ત ભાવાનુવાદ થોડાં વર્ષ પહેલાં થયો હતો. છતાં જોકે આ ગ્રંથો હાલ સુલભતાથી ઉપલબ્ધ રહ્યા નથી.
પ.પૂ. શ્રી ચંદ્રોદયસૂરિ મ.સા.ના વંદનાર્થે જવાનું થતાં તેમની પાસે કોઈ ગ્રંથનો ભાવાર્થ કરવાની ભાવના વ્યક્ત કરી. ત્યારે તેઓશ્રીએ અધ્યાત્મસારની સૂચના કરી. તેઓશ્રીની પ્રેરણાનુસાર પૂ. શ્રી ગંભીરવિજયજીનો ગ્રંથ આધાર માટે લીધો હતો. પ્રારંભમાં તેના મૂલાર્થને અને ભાવાર્થને લક્ષ્યમાં લઈ સરળ ભાવાર્થ કરવાનો પ્રયત્ન કરતાં અલ્પતાને કારણે કઠણાઈ લાગી, ત્યારે સરળતાથી લેખન થાય તે માટે પૂ. શ્રી ચંદ્રશેખરજી મ. સા. રચિત અધ્યાત્મસારની સ્મૃતિ થઈ. આમ બંને ગ્રંથને આધારે ગ્રંથનો સરળ ભાવાર્થ થઈ શક્યો છે.
પ્રથમ મૂળ શ્લોકો, અને મૂલાર્થ જેમ છે તેમજ રાખી ફક્ત ભાવાર્થને સરળ બનાવવા પ્રયાસ કર્યો છે. થોડું લેખન તૈયાર થતાં પૂ. શ્રી ચંદ્રોદયસૂરિ મ.સા.ને બતાવ્યું, જોકે તેમનો સંકેત કંઈ વધુ વિસ્તારનો હતો. પણ ગ્રંથ-વિસ્તાર વધી જતાં આખરે સંક્ષિપ્ત ભાવાર્થ લખવો તેમ વિચારવામાં આવ્યું. દરેક અધિકાર પહેલાં તે તે વિષય માટે પ્રારંભમાં તેની પ્રસ્તુતિ લખી છે. છતાં જોકે ગ્રંથરચનાનું કદ સામાન્ય અભ્યાસીઓને મોટું લાગવા સંભવ છે. છતાં મહાનુભાવોના પૂર્વગ્રંથોની અપેક્ષાએ તો આને સાગરનું બિંદુ માત્ર જ કહ્યું છે. વાંધો નહિ, સાગરનું બિંદુ સાગરમાં તો સાગર જ મનાય છે. તેમ આ અધ્યાત્મસારમાં અમૃતસાગર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org