________________
ઉપાદ્યાત
ફંડ સ્થાપવા પિતાના પુત્રો તથા બંધુઓને જણાવ્યું હતું. તેમાં તેઓશ્રીના વડીલ પુત્ર મહંમ શેઠ મોતીચંદ નગીનભાઈ ઝવેરીએ રૂ. ૫૦૦૦) અંકે પાંચ હજારની રકમ આપી છે તે ઉમેરતાં આ ફંડ કુલ્લે રૂા. ૩૦૦૦૦) નું થયું છે. તેને મુખ્ય હેતુ જેન શ્વેતાંબર મૂર્તિપૂજક સાહિત્યના પ્રાચીન તથા અર્વાચિન ગ્રન્થ મુખ્યત્વે ગુજરાતી તથા હિંદી ભાષામાં પ્રસિદ્ધ કરી સસ્તી કીંમતે વેચવાને છે.
આ સ્થળે પરમ પૂજ્ય આગમે દ્ધારક સાક્ષરશિરોમણિ આચાર્ય ૧૦૦૮ શ્રીમદ્ સાગરાનંદ સુરીશ્વરજીને આભાર માનતાં અને અત્યંત હર્ષ થાય છે. તેઓશ્રીની સલાહથી જ આ ફંડ સ્થાપવામાં આવ્યું છે અને મહેમ શેઠ નગીનભાઈ મંછુભાઈને તેઓશ્રી તરફ સંપૂર્ણ ભાવ હોવાથી તેઓશ્રીના ઉપદેશનું જ આ પરિણામ છે.
વિ. સં. ૧૯૮૬ ગોપીપુરા-સુરત
છે ઈ
ભાઈચંદભાઈ નગીનભાઈ ઝવેરી
અને બીજાઓ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org