________________
ગુચ્છક ]
સાનુવાદ
૪૧
આન્યા. મહેલમાં આવી તેણે, ચિલ્લણાને કાઈ દુષ્ટ હરી જાય છે. એવા શેરખકાર કરી મૂક્યો. આ સાંભળી તેના પિતા ત્યાં આવી પહોંચ્યા અને શ્રેણિકને પકડી પાડવાને તેણે પોતાના સૈનિકાને સુરંગમાં ઉતાર્યાં. શ્રેણિક અને ચિલ્લણા સહીસલામત પહેાંચી જાય તે માટે સુલસાના ખત્રીસ પુત્રાએ આ સૈનિક સાથે ઘેર યુદ્ધમાં ઝંપલાવ્યું અને પોતાના સ્વામીની ખાતર પેાતાના પ્રાણા પણ હાંસી દીધા.
મા લડાઇ જેટલે વખત ચાલી એટલામાં તે શ્રેણિક ચિલ્લા સાથે પેાતાના નગરમાં આવી પહેાંચ્યા અને સત્વર તેણે તેની સાથે લગ્ન પણ કરી દીધું.
સુલસાને પેાતાના બધા પુત્ર સમકાલે મરી ગયાની ખબર પડી ત્યારે તેના શાકનો પાર રહ્યો નહિ, પરંતુ ચતુર અભયકુમારે તેને ઘણી ઘણી સમજાવી અને આખરે તેની દિલગીરી દૂર કરતાં કહ્યું પણ ખરૂં કે તારા જેવી સમ્યકૃત્યધારી, વિવેકી જૈન રમણીને આવું રુદન શેલે?
એક વેળા ‘ચંપા’ નગરીમાં શ્રીવીર જિનેશ્વરનું સમવસરણ થયું. ત્યાં પુણ્યપ્રભાવક, દેવગુરુભક્તિકારક, સુશ્રાવક, પરિવ્રાજક અપડે એમની દેશના સાંભળવા હાજર હતા. ‘રાજગૃહ' જવા માટે જ્યારે તે તૈયાર થયા ત્યારે ભગવન્ મહાવીરે કહ્યુ કે તું મહાસતી શ્રાવિકા સુલસાને અમારા ધર્મલાભ કહેજે.૨ વારૂ એમ કહી અ`અડે ‘રાજગૃહ' જવા નીકળ્યે ગગન-માર્ગે થઈને તે ઝટ સુલસાના દ્વાર પાસે આવી પહેાંચ્યા. ત્યાં એક ક્ષણવાર થેભ્યો. એવામાં એણે વિચાર આવ્યા કે ભગવન્ મહાવીરે સ્વમુખે જેને ધર્મલાભ કહેવડાવ્યા છે તેના જૈનત્વમાં મણા હેાય જ શાની? છતાં તેની ધર્મમાં કેવી અડગ શ્રદ્ધા છે તેની પ્રતીતિ કરવા માટે હું તેની પરીક્ષા કરૂં. આમ વિચારી વૈક્રિય લબ્ધિ વડે અન્ય રૂપ વિષુવી તેણે સુલસાના ઘરમાં પ્રવેશ કર્યાં અને ભિક્ષા પણ
૧ આ પ્રસંગને અનુલક્ષીને સમ્યક્ત્વસતિની ટીકામાં ૧૬૫મા પત્રમાં કહ્યું છે કે
¢
मा शोचतममी भावा, भुवि सर्वे विनश्वराः ।
સર્વ સાધારને નૃત્યો, તત્ : ચો સમુદ્રā? || ૬૮ ॥ मृत्युस्तु सर्वजन्तूनां प्रकृतिर्जगति ध्रुवम् । નીવિતયં વિધારતુ, તમારો વિમુશ્રૃતામ્॥ ૬૬”
૨ આ પ્રસંગ ઉપરથી પરમ વીતરાગ વીર પ્રભુને કાળું કલંક ચડાવવા કેટલાંક વર્ષોં ઉપર એક નરાધમે હામ ભીડી હતી, પરંતુ જેમ કાગડાને સુંદર ભજન ન ગમે, પરંતુ વિષ્ટા ગુંથવી ગમે તેમ આ હલકટને આવા જ ધંધા સૂઝે તે તેમાં શી નવાઇ ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org