SearchBrowseAboutContactDonate
Page Preview
Page 451
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૬ વિરાગ્યરસમંજરી [ પંચમ કે પ્રયત્નની અને તેનાથી નિષ્પન્ન થતું માત્ર જુદું ફળ, જ્યારે બીજાની માન્યતા અનુસાર કોઈ પણ કાર્યની શરૂઆતથી તે તેની સમાપ્તિ સુધીને પ્રયત્ન એ સાધન છે અને તેને અંતે નિષ્પન્ન થનારું તેનું ફળ એ તે સાધનથી તદ્દન જુદું છે. આથી એ પણ સ્પષ્ટ થાય છે કે ભગવાનને જમાલિને મત કબૂલ છે, પણ તે એક જ દષ્ટિએ-વ્યવહાર-દષ્ટિએ; જ્યારે જમાલિને આ દષ્ટિ જ કબૂલ છે, મહાવીરની બીજી નિશ્ચય-દષ્ટિ કબૂલ નથી. આથી આ બેની વચ્ચે એકાંત અને અનેકાંતના જેટલું અંતર છે. અને તે કંઈ જેવું તેવું ન જ ગણાય. शुश्रूषा जिनवाक्यानां, धर्मे रागस्तदुक्तिगे। वैयावृत्त्यं मुनौ प्रोक्तं, त्रिधा लिङ्गं महर्षिभिः ॥१२४॥ ત્રણ લિંગ – લે –“જિનેશ્વરનાં વચન સાંભળવાની અભિલાષા, તેનાં કથનને વિષે રહેલા ધર્મને વિષે રાગ અને મુનિનું ભકિત સહિત વૈયાવૃત્ય એમ ત્રણ પ્રકારના લિંગનું મહર્ષિઓએ કથન કર્યું છે.”—૧૨૪ धर्मरागे चिलातीजः, शुश्रूषायां सुदर्शनः। वैयावृत्त्ये तथा नन्दि-घेणो योज्यो निदर्शने ॥ १२५ ॥ વિવિધ લિંગનાં ઉદાહરણે– લેટ—“ધર્મને વિષે રાગ એ સંબંધમાં ચિલોતીપુત્રનું, શુશ્રષાને વિષે સુદર્શનનું અને વૈયાવૃત્યને વિષે નદિષણનું ઉદાહરણ ઘટાવવું. ”—૧૨૫ ૧ અનેકાંત એટલે કોઈ પણ એક વસ્તુને પ્રમાણિકપણે અનેક દષ્ટિએ તપાસ પૂર્વક અનેક દૃષ્ટિએમ-અપેક્ષાઓને સમુચ્ચય. આ માત્ર વિચારને જ વિષય નથી, પરંતુ આચરણમાં પણ તેને સ્થાન છે. ૨ એને ઉદાહરણ માટે જુઓ ૫૦ ૧૮૮-૨૦૦, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004894
Book TitleVairagyarasamanjari
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Hiralal R Kapadia
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
Publication Year1930
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy