SearchBrowseAboutContactDonate
Page Preview
Page 436
Loading...
Download File
Download File
Page Text
________________ ગુરછક ] સાવા ૩૦૧ હવે જે પ્રકાશમાનત્વ એટલે પ્રકાશમાત્રત્વ છે, નહિ કે તેને સંબંધ એમ કહેવા તૈયાર થતા હે તે આ સંબંધમાં આપને ચાર પ્રશ્ન પૂછીશું. જેમકે શું પ્રકાશમાત્રત્વ એટલે જ્ઞાનવ કે પ્રકાશને અધીન એવું પ્રકાશતત્વ કે સ્વતઃ પ્રકારત્વ કે તેજસપણું? સાધ્ય અને સાધનમાં કંઈ ફરક નહિ રહેતે હેવાથી હેતુ પણ સાધ્ય કોટિમાં આવી જતે હેવાને લીધે પ્રથમ પક્ષ અગ્રાહ્ય છે. બીજો પક્ષ તે આપને માન્ય હોય જ કેમ? કેમકે જ્ઞાનને સ્વપ્રકાશક આપ માને છે એટલે જ્ઞાન જ્ઞાનાંતરને અધીન પ્રકાશરૂપ છે એમ આપ કહી જ કેમ શકે? અન્ય શબ્દોમાં કહીએ તે જ્ઞાનરૂપે સિદ્ધ કરાતા નીલાદિ પદાર્થો જ્ઞાનની જેમ પ્રકાશક હોવાથી પ્રકાશને અધીન પ્રકાશવાળા બની શકે નહિ, એમ આપનું માનવું છે. ત્રીજો પક્ષ યુક્તિવિકલ છે. સ્વતઃ પ્રકાશપણું માનવા જતાં તે આપણની પેઠે નીલ વગેરેમાં ચૈતન્ય હેવાને લીધે તેમાં પણ ઈચ્છા, દ્વેષ, પ્રયત્ન વગેરેને પ્રાદુર્ભાવ કેમ નહિ થાય? અને વળી તેમ થતાં હિતની પ્રાપ્તિ અને અહિતના ત્યાગના ઉપાયના હેતુપ ત્યાગ, ગ્રહણ ઈત્યાદિ પ્રવૃત્તિઓ નીલાદિમાં પણ કેમ ન સંભવે ? ચા પક્ષ તે મનાય જ નહિ, કેમકે તેમાં તે પ્રતિબંધની જ અસિદ્ધિ છે, કેમકે જે તે જ છે તે જ્ઞાન છે એવી વ્યાપ્તિ તે છે જ નહિ, માટે જ્ઞાનમાં તૈજસપણું પ્રયોજક નથી, કિન્તુ સ્વપરપ્રકાશકપણું પ્રાજક છે. બાહ્ય અર્થને નહિ માનતા હેવાથી જ્ઞાન સ્વપરપ્રકાશક છે એ વાત કદાચ આપને ગળે નહિ ઉતરે, પરંતુ સ્વવિદિતત્વને લઈને જ્ઞાન સ્વપ્રકાશક છે એમ તે આપ પણ સ્વીકારશે જ ને ? વળી મનેરમાનું જ્ઞાન તેને મેટ ભાઈ વિપિનચન્દ્ર એની ચેષ્ટાદિ દ્વારા જાણી શકે છે. આ પ્રમાણેની સર્વ મનુષ્યને અનુભવસિદ્ધ હકીકતને આપ કેવી રીતે અપલાપ કરી શકશે? વાતે જ્ઞાનમાં પરપ્રકાશતા પણ આપે સ્વીકારવી જ જોઈએ. વિશેષમાં દષ્ટાંતમાં સાધ્ય-વિકલતાને પરિહાર કરવા માટે સ્વપ્નમાં જોયેલે અર્થ ઈત્યાદિ જે આપે પૂર્વે (પૃ. ૩૯૦) કહ્યું છે તેને ઉદ્દેશીને અમે આપને એમ પૂછીએ છીએ કે ત્યાં પણ જે બાધક જ્ઞાન છે તે શું સત્ય છે કે અસત્ય? જે તે સત્ય છે એમ કહેશે તે તેની સત્યતાને નિર્ણય શાથી થયે? કેમકે સ્વપ્નમાં દેખેલા પદાર્થની જાગૃત અવસ્થામાં પ્રાપ્તિ તે છે જ નહિ. તે પછી સત્યની તે વાત જ શી કરવી? એવી રીતે તે જે પદાર્થનું દર્શન કરાવે અને તેને પ્રાપ્ત કરાવે તે સત્ય કહેવાય અને તેમ થતાં જાગૃત અવસ્થામાં થનારા બાપ વિનાના જ્ઞાનમાં પ્રાપ્તિને ચગ્ય ઉપદર્શિત અર્થને પ્રાપ્ત કરવાપણું હેત થી તેમાં સત્યતા માનવી જ જોઈએ. આ ઉપરથી આપ એમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004894
Book TitleVairagyarasamanjari
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Hiralal R Kapadia
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
Publication Year1930
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy