________________
૩૯૦
વૈરાગ્યરસમજરી
[ પંચમ
થી વિરૂદ્ધ જે ભેદ તેની સિદ્ધિ કેમ થતી નથી, કેમકે તે સિદ્ધિ વિના સ્વ પર સિદ્ધ વિભાગ નથી વળી. પેાતે જ પેાતાની સિદ્ધિમાં કારણુરૂપ હોય એમ મનાય ખરૂ' કે? શું ઘટા જ ઘડાની ઉત્પત્તિમાં કારણરૂપ છે ? આથી પરથી સિદ્ધ છે એમ કહેવા જશે. તા તે પર પણ શું સિદ્ધ છે કે નહિ ? જો સિદ્ધ છે તે પાતાનાથી કે પરથી ? પરથી કહેશે। તા ઉપર પ્રમાણેની પ્રશ્ન-પરપરા ઊભી થશે. જો સિદ્ધ નથી એમ કહેશે! તે વિવાદ મટવાને નહિ. આ પ્રમાણે ઉપર્યુક્ત અભેદ સબ ધરૂપ હેતુ માનવાથી અનેક દૂષણા આવતાં હાવાથી એ વાત છેડી દૈવી જ ઠીક છે.
જે પ્રકાશ છે તે જ્ઞાન છે. જેમકે સ્વપ્નમાં જોયેલા નીલ વગેરે જેમ પ્રકાશિત થાય છે તેમ અત્ર પણ સમજવું. અત્ર દષ્ટાંત સાધ્યનિકલ નથી, કેમકે સ્વપ્નમાં જોયેલા અ-પ્રઞધની, જાગૃત દશામાં ખાધક જ્ઞાનનીઉત્પત્તિ દ્વારા અભાવ–સિદ્ધિ વડે પ્રકાશમાનપણાથી જ્ઞાનપણાની સિદ્ધ થઈ શકવાની આ પ્રમાણે પ્રકાશમાનવરૂપ હેતુ રજી કરી આપ આપના મનોરથ સાધી શકે। તેમ નથી, કેમકે અમે આપને પૂછીશું કે આ પ્રકાશમાનત્રથી શું સમજવું? જો એથી પ્રકાશના સબંધ એમ કહેશે! તે! શું આ સબંધ તાદાત્મ્યરૂપ છે, તદુષત્તિરૂપ છે કે વિષયવિષયભાવરૂપ છે ? તાદાત્મ્યરૂપ સબંધ છે એમ તા કહી શકશેા નહિ, કેમકે અતીત અને અનાગત અર્થાંમાં ભિન્ન કાલપણું હાવાથી અને વર્તમાન અર્થોમાં ભિન્ન દેશપણું હાવાથી પ્રકાશની સાથે તેના તાદાત્મ્યરૂપ સબંધ ઘટી શકતા નથી. વળી નીલ આકારની ઉત્પત્તિના કાલમાં પીત આકારના જ્ઞાનને પણ ઉદય કેમ ન થવા જોઈએ, કેમકે પ્રકાશનું તાદાત્મ્ય તા આ બંનેમાં બરાબર છે ?
તદ્રુપત્તિરૂપ માર્ગ પણ ગ્રહેણુ કરવા લાયક નથી, કેમકે પ્રકાશથી થની ઉત્પત્તિ થાય છે એમ કેમ કહેવાય ? તેમ છતાં જો માનશે તે દીપકાદિના પ્રકાશથી ઘટ, પટ વગેરેની ઉત્પત્તિ થવી જોઇએ. અને એમ ચવાથી સુવ્યવસ્થિત કારણવાદ ઉપર પાણી ફરી વળવાનું. વળી અભૂત જ્ઞાનરૂપ પ્રકાશથી ઘટાદિ મૂર્ત પદાર્થાંની ઉત્પત્તિ સંભવે જ કેમ ? અને તેમ છતાં જે આ વાત સ્વીકારવામાં આવે તે જન્યજનક ભાવ જ કયાં રહ્યા ? વળી આ વાત કદાચ ભેદ પક્ષમાં જ ઘટી શકે, કેમકે ધૂમ અને અગ્નિની પેઠે ત્યાં જન્યજનક ભાવ ભેદાશ્રયી છે.
હવે ત્રીજો પક્ષ પણ સ્વીકારાય તેમ નથી, કેમકે અથ એ વિષય છે અને પ્રકાશ એ વિષયી છે. એવા વિષયનિયિભાવતા ભેદ-પક્ષમાં જ ઘૂંટી શકે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org