SearchBrowseAboutContactDonate
Page Preview
Page 361
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૬ વૈરાગ્યરસમંજરી [ પંચમ બંધી કષાયને નક્કી ક્ષપશમ હોય છે તે દર્શાવવા વાતે છે તેમજ સમ્યક્ત્વના લાભના નિષેધક મિથ્યાત્વનું અનંતાનુબંધી કષાયો સાથેનું સહચારિપણાને લઈને તથા એનું સમ્યક્ત્વના લાભની પૂર્વ અસ્તિત્વ હોવાને લઈને અનંતાનુબંધી કષાયને પણ ઉદય સમ્યકત્વના લાભને વિનાશ કરે છે એ પ્રમાણેનું એનું સામર્થ્ય જણાવા માટે છે. વળી વાસ્તવિક રીતે મિથ્યાત્વના ઉદયથી સમ્યકાવના લાભને અભાવ હોવા છતાં ઇનિર્ણarat એ ગાથા વડે અનંતાનુબંધી કષાયના ઉદયથી તદ્દભવ મોક્ષે જનારાને પણ સમ્યકત્વને લાભ થતો નથી એમ જે કહ્યું તેમાં કશે વિરોધ આવતો નથી. વળી આટલા કથનને આધારે કંઈ અને તાનુબંધી કષાયોને ઉપશમ તે સમ્યફત્વનું લિંગ છે એમ સિદ્ધ થતું નથી. કેમકે અત્ર નીચે મુજબ ચાર વિકલ્પ ઉદ્દભવે છે – - (૧) જેમ ધૂમાડે એ અગ્નિનું કાર્ય છે તે શું અનંતાનુબંધી કષાયને ઉપશમ એ સભ્યત્વના કાર્યરૂપ લિંગ છે? (૨) અથવા જેમ કાળું મેસ જેવું વાદળ ચડી આવ્યું હોય તે તે ભાવિ વૃષ્ટિના કારણરૂપ છે તેમ શું આ કારણરૂપ લિંગ છે? (૩) અથવા શું આ કાર્ય અને કારણ એમ ઉભયરૂપ છે? (૪) અથવા બગલા વગેરે જળચર પક્ષીઓને ન છેડનાર હોવાથી આ પ્રદેશ જળાશયવાળો હો જોઈએ એ અનુમાનની પેઠે બેમાંથી તે એરૂપ નથી– અનુભયરૂપ છે? આ કી પ્રથમ વિકલ્પ તે સ્વીકારી શકાય તેમ નથી, કેમકે અનંતાનુબંધી કષાયોના ઉપશમની ઉત્પત્તિ સમ્યકત્વની પૂર્વે થાય છે એટલે આ ઉપશમને સમ્યક્ત્વનું કાર્ય ન જ ગણી શકાય. સમ્યકત્વના પૂર્વ કાળમાં થનારા મિથ્યાત્વના ક્ષયોપશમની વેળાએ જ અનંતાનુબંધી કષાના ઉપશમને પણ પ્રાદુભાવ થાય છે અને એ તો સુવિદિત વાત છે કે કારણ પહેલાં કાર્ય સંભવતું જ નથી. બીજો વિકલ્પ પણ આદરણીય નથી, કેમકે મિથ્યાત્વને ક્ષોપશમ જ સભ્ય ત્વના લાભનું કારણ હોવાથી એનું એટલે મિથ્યાત્વના ક્ષપશમનું અનંતાનુબંધી કષાયના ઉપશમ સાથે સાહચર્યું હોવાથી સમ્યકત્વના હેતુરૂપે એ સંભવતું નથી. આની પ્રતીતિ શી એમ કોઈ પૂછે તે તેને ઉત્તર એ છે કે પૂર્વ સૂરિઓએ એ પ્રમાણે કથન કર્યું છે. જેમકે પંચાશકની વૃત્તિમાં શ્રીઅભયદેવસૂરિએ કહ્યું છે કે “ सम्यक्त्वहेतोमिथ्यात्वक्षयोपशमावसरे ज्ञानावरणानन्तानुवन्धिकषाय ૪ળવારિત્રક્રીયાર્મિળાપ લાગડવમેવ મત વિ.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004894
Book TitleVairagyarasamanjari
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Hiralal R Kapadia
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
Publication Year1930
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy