________________
૩૬૨ વૈરાગ્યરસમંજરી
પંચમ -પદ્ય (પૃ. ૩૯)માં ઉપર્યુક્ત કમમાં ફેરફાર જોવાય છે. શ્રીરત્નશેખરસૂરિકૃત ગુણસ્થાનકમારોહના નિમ્નલિખિત પદ્યમાં પણ આ ક્રમ પરત્વે વિપર્યાસ જેવાય છે, કેમકે તેમાં અનુકંપાવાચક કૃપાને આદ્ય સ્થાન અપાયું છે.—
WI-કામ-વેર-નિર્વેકાડડરિક્ષા ,
गुणा भवन्ति यच्चित्ते, स स्यात् सम्यक्त्वभूषितः॥२१॥" આવા અપવાદને બાદ કરીએ તો સમાદિરૂપે કમ નજરે પડે છે. એથી એનું કારણ તપાસતાં પંચલિંગીના વૃત્તિકાર ત્રીજા પત્રમાં કર્થ છે કે મિથ્યાભિનિવેશની વ્યાવૃત્તિરૂપ શમ, સમ્યકત્વનું પ્રથમ કાર્ય હોવાથી તેને સિાથી પ્રારંભમાં નિર્દેશ કરાયો છે. મિથ્યાભિનિવેશથી યુક્ત જીવને સંવેગ હેત નથી, કેમકે એવા જીવનું અંતઃકરણ કુતીર્થાદિ આગમથી વાસિત હોઈ તે વાસ્તવિક મોક્ષને સ્વરૂપથી અનભિજ્ઞ હોય છે એટલે વસ્તુતઃ તેને મોક્ષની અભિલાષા હોતી નથી, વાતે શમ પછી સંવેગને સ્થાન અપાય છે. વળી જેનામાં વેગ નથી તેને વિષે નિર્વેદને સદ્દભાવ નથી, કેમકે નરક વગેરેનાં દુઃખની સાથે તેના આત્માની તન્મયતાના વેગને અભાવ છે. આથી સંવેગ પછી નિર્વેદને નિર્દેશ કરાય છે. વળી નિર્વેદથી વિમુખને વિષે અનુકંપાને સંભવ નથી. જે જીવ બીજા બધાને પિતાના જેમ ગણતું હોય તેનામાં અનુકંપા હોય, પરંતુ નિર્વેદ રહિત જીવ અહિક સુખને અભિલાષી હોવાથી તેનામાં અનુકંપાને અવકાશ નથી. આથી અનુકંપાને નિર્વેદ પછી સ્થાન અપાય છે. વળી અનુકંપાથી રહિત જીવમાં વાસ્તવિક આસ્તિક્ય નથી, કેમકે ખરી રીતે તે અનુકંપાથી અલંકૃત જીવને વિષે જ તાવિક આસ્તિષ્પને નિશ્ચય હોય એટલે કે આ કારણથી અનુકંપ પછી આસ્તિકને ઉલ્લેખ કરાય છે. સમ્યકત્વના કાર્યરૂપે પણ શાદિની આ કમ પૂર્વકની ઉત્પત્તિ હોવાથી આ કમ જાય છે. અથવા આસ્તિક્ય સર્વવ્યાપી હોવાને લઈને તેની બહવિષયતા હોવાથી તેને અંતમાં નિર્દેશ કરાય છે અથવા પશ્ચાનુપૂર્વી પ્રમાણે આસ્તિક્યાદિ ક્રમ પૂર્વક આની ઉત્પત્તિ હોવા છતાં તેમજ પાઠની પ્રસકિત હોવા છતાં પ્રધાન ન્યાયને આશ્રીને સમાદિ કમને ઉપન્યાસ સમજે.
तत् सद्भाग्यभरैलब्ध--मेकैकमपि दर्शनम् ।
लीनं च गमयत्येव, तेन लिङ्गं प्रकीर्त्यते ॥ २३ ॥ લિંગ કહેવાનું કારણ
શ્લે --“સદ્ભાગ્યના સમૂહથી પ્રાપ્ત થયેલું તે એક એક લક્ષણ પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org