SearchBrowseAboutContactDonate
Page Preview
Page 343
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૮ વૈરાગ્યસમંજરી [ પચમ સમ્યકત્વનું દિગ્દર્શન સ્પષ્ટી–આહતદર્શનદાપિકા (૫૦ ૬૯)માં સમ્યક્ત્વ સંબંધી વિશેષ વિચાર કરેલું હોવાથી અત્ર તેનું સંક્ષિપ્ત સ્વરૂપ આલેખીશું. સમ્યક્ત્વ, સમ્યગ્દર્શન, દર્શન, બેધિ, સમકિત એ બધા સમાનાર્થક શબ્દ છે. જિનેશ્વરે પ્રરૂપેલાં તને વિષે સાચી શ્રદ્ધા તે “સમ્યક્ત્વ છે. આ સુશ્રદ્ધા ધર્મનું મૂળ છે, પુણ્ય-પુરીનું દ્વાર છે, નિર્વાણ–મહેલની પીઠિકા છે અને સમસ્ત સંપત્તિ ઓનું નિધાન છે. એના જે સમગ્ર સંસારમાં કઈ સદર બન્યું કે મિત્ર નથી. આથી કરીને તે તૈત્તરીયોપનિષદ્દના બ્રહ્માનંદવલ્લીના ચેથા અનુ વાકમાં કહ્યું પણ છે કે “તશ કવ ર » મનુસ્મૃતિના છઠ્ઠા અધ્યાયના નિમ્નલિખિત ૭૪ મા પદ્યમાં તે ત્યાં સુધી કહ્યું છે કે – “सम्यग्दर्शनसम्पन्नः, कर्मभिन निबध्यते । दर्शनेन विहीनस्तु, संसारं प्रतिपद्यते ॥" અર્થાત જેણે સમ્યગ્દર્શન પ્રાપ્ત કર્યું છે, તે કર્મોથી બંધાતું નથી, પરંતુ જે એના વિનાને છે, તે સંસારમાં રખડે છે. સમ્યગ્દર્શન-ખાસ કરીને પશમિક અને ક્ષાયિક સમ્યકત્વ એ એક પ્રકારને આત્મિક ભાવ છેદેવ, ગુરુ અને ધર્મરૂપ તત્વત્રયીનું સમ્યક્ અવલેલેકિન છે. કહ્યું પણ છે કે – “ या देवे देवताबुद्धि-गुरौ च गुरुतामतिः ।। ધર્મ જ ધર્મથીઃ સુદા, જળસ્વમિદમુદતે ” આ પઘગત સમ્યક્ત્વનું લક્ષણ સાધ્યમાં સાધનને ઉપચારરૂપ છે. વાચકવર્ય શ્રીઉમાસ્વાતિકૃત તત્વાર્થાધિગમસૂત્ર (અ. ૧, સે. ૨)ગત તવારા સગાને ” એ અનૌપચારિક-યથાર્થ લક્ષણ છે. વિશેષમાં ઘમસંગ્રહના ૩૬મા પત્રમાં કહ્યું છે તેમ આ વતિઓ અને શ્રાવકના સાધારણ સમ્યક્ત્વનું લક્ષણ છે; બીજું લક્ષણ તે ગૃહસ્થોએ દેવ, ગુરુ અને ધર્મને વિષે પૂજ્ય, ઉપાસ્યત્વ અને અનુષ્ઠયત્વરૂપ ઉપગ રાખવો જોઈએ એ સૂચવવા અર્થે છે તેમજ વળી દેવ અને ગુરુને જીવ-તત્ત્વમાં અને ધર્મને શુભ આશ્રવ અને સંવરમાં અંતર્ભાવ થાય છે એટલે શાસ્ત્રીય વિરોધ નથી. મૂળ પંક્તિઓ નીચે મુજબ છે – “ગઝ વિનોરતા વિિિર ગતિવાળ કાપાર શાक्वलक्षणमुक्तं, शास्त्रान्तरे तु गृहस्थानां देवगुरुधर्मेषु पूज्यत्वोपास्यत्वानुष्ठेयत्व. लक्षणोपयोगवशाद देवगुरुधर्मतत्त्वप्रतिपत्तिलक्षणं सम्यक्त्वं प्रतिपादितं, तत्रापि જેવા ગુણવઝ કીવત, ધર્મ ગુમારે સવારે વારત્તમકતાત્તિ શાક્ષાત્તરવિશેષ: ” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004894
Book TitleVairagyarasamanjari
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Hiralal R Kapadia
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
Publication Year1930
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy