SearchBrowseAboutContactDonate
Page Preview
Page 314
Loading...
Download File
Download File
Page Text
________________ ગુચ્છક 1 સાનુવાદ નરક અને તિર્યંચ ગતિમાં સમ્યકત્વના ફા– શ્લે –“નારકને ઉપદેશકોને અભાવ હોવાથી તેમનામાં કેવી રીતે સમ્યકત્વ સંભવે ? વળી દુઃખથી બળી રહેલ તિર્થને (પણ) સમ્યક્ત્વની પ્રાપ્તિ દુર્લભ છે.”—૨૯૯ अनार्यबर्बरादिषु, देशेष्वपि कुतो भवेत् ? । धर्मभावो मनुष्याणां, दयाविमुक्तचेतसाम् ॥३०॥ અનાર્ય દેશોમાં ધર્મને સંભવ– “લે – “અનાર્ય બર્બર વગેરે દેશોમાં પણ નિર્દય ચિત્તવાળા મનુષ્યને ધર્મની ભાવના ક્યાંથી હોય ? ”—૩૦૦ आर्यदेशेष्वपि मूका, अन्धा रोगातदेहिनः । बधिरा बोधिलाभं हा, प्राप्नुवन्ति न केचन ॥३०१॥ આર્ય દેશમાં પણ કેટલાકને સમ્યકત્વની અપ્રાપ્તિ —-“આર્ય દેશોમાં પણ મુંગા, આંધળા, રોગથી પીડિત દેહવાળા તેમજ બહેરા એવા કેટલાક (માનો) હાય સમ્યકત્વના લાભને પામતા નથી.”—૩૦૧ આર્ય દેશ, કમભૂમિ વગેરેનું દિગ્દર્શન– સ્પષ્ટી–મનુષ્યના સંમૂછિમ અને ગર્ભજ એવા મુખ્ય બે પ્રકારે છે. તે પૈકી ગર્ભજના (૧) કર્મભૂમક, (૨) અકર્મભૂમક અને (૩) આંતરદ્વીપક એમ ત્રણ પેટા વિભાગો છે. તેમાં કૃષિ, વાણિજ્ય વગેરે કર્મો વાતે અથવા મેક્ષના અનુષ્ઠાન માટે જે ભૂમિમાં અવકાશ છે તે કર્મભૂમિ કહેવાય છે. આવી કર્મબમિઓ પંદર છે–પાંચ ભરત, પાંચ અરાવત અને દેવકુર અને ઉત્તરકરુ. ૧ જુઓ ઋષભપંચાશિકાનું સ્પષ્ટીકરણ (પૃ. ૫૯-૬૦ ). ૨-૩ “મહાવિદેહ ક્ષેત્રને વિષે નિષધ' પર્વતની ઉત્તરે અને મેરુ પર્વતની દક્ષિણે સો કાંચનગિરિ, ચિત્રો તેમજ વિચિત્રટથી વિભૂષિત દેવકુર’ છે એને વિખંભ ૧૧૮૪૨ જનને છે. એ પ્રમાણે “મેરુની ઉત્તરે અને “નીલવાનની દક્ષિણે ચિત્રકૂટ અને વિચિત્રકૂટને બદલે બે ધમકી પર્વતથી અલંકૃત ‘ઉત્તરકુરું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004894
Book TitleVairagyarasamanjari
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Hiralal R Kapadia
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
Publication Year1930
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy