SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ 138 વૈરાગ્યમંજરી || ચતુર્થ સમુદાય વડે જેમાં કુપક્ષરૂપ પહાડે ભેદાઈ જાય છે, જે ઉગની (વિસ્તાર પામતી) યુક્તિરૂપી સરિતાઓના પ્રવેશ વડે મનહર છે તેમજ જે સ્યાદ્વાદ (અનેકાન્તવાદ)રૂપ સીમાથી યુક્ત છે, તે શ્રીજૈન શાસનરૂપ સમુદ્રને છોડીને હું અન્યને આશ્રય કરતો નથી. सर्वमेकान्तिकं पुष्याद्, दर्शनं मोहमोहितम् । मोहनिर्मुक्तं जैनेन्द्र, वस्तुस्थित्या यथास्थितम् ॥ ९७ ॥ अनेकान्तं यतस्तेन, विग्रहवर्जितं मनः । रागद्वेषविनिर्मुक्तं, प्राप्नोति परमं सुखम् ॥ ९८ ॥-युग्मम् અનેકાન્તનુ સેવન--- ભલે --“મેહથી મુગ્ધ બનેલું દરેક દર્શન એકાન્તને પોષે છે, જયારે મેહથી રહિત એવું જિનેશ્વરનું દર્શને યથાથિત અનેકાન્તને પોષે છે. કેમકે એનાથી કલહ રહિત બનેલું મન રાગ અને દ્વેષથી મુક્ત બની ઉત્તમ સુખ પામે છે.”—૯૭-૯૮ એકાતવાદનું દિગ્દર્શન સ્પષ્ટી–અનેકાન્તવાદ કહો કે સ્યાદ્ધદ કહો તે એક જ છે. આની મુદ્રાથી અંકિત બનેલા દર્શનમાં અસદુ દોષનાં આરોપણ વાસ્તે કે પરની નિન્દા માટે અવકાશ નથી. એનાથી વાસિત બનેલા ચિત્તને ક્લેશને કટુ અનુભવ થતું નથી. આ સંબંધમાં અધ્યાત્મસારના છ પ્રબંધમાં કહ્યું પણ છે કે" दुःसाध्यं परवादिनां परमतक्षेपं विना स्वं मतं तत्क्षेपे च कषायपङ्ककलुषं चेतः समापद्यते । सोऽयं निःस्वनिधिग्रहव्यवसितो वेतालकोपक्रमो નાર્થ હિતાવહૈ ઝિન તે તરવાના પારકા-શાર્દૂલ અર્થાત્ પર વાદીઓને ( એટલે કે અન્ય દર્શનના અનુયાયીઓને ) પર મતને તિરસ્કાર કર્યા વિના પિતાને મત સાધ દુષ્કર છે, અને તે તિરસ્કાર કરવાથી ચિત્ત કપાયરૂપ કાદવથી કલુષિત બને છે. એ (તિરસ્કારાદિ વ્યાપાર) નિર્ધનના નિધાનનું ગ્રહણ કરવામાં ઉદ્યમ કરનારા વેતાલ (એટલે ભૂતના આવેશવાળા મૃતકોના કોને વેગ છે. આ વેગ તત્વની પ્રસિદ્ધિના અભિલાષીઓને, સકળ (જગતું)ને હિતકારી એવા જૈન દર્શનને વિષે નથી. કહેવાનું તાત્પર્ય એ છે કે જૈન દર્શન સ્યાદ્વાદ-રંગથી આબેહુબ રંગાયેલું છે એટલે એ મધ્યસ્થભાવથી પરિપૂર્ણ છે. એમાં પિતાની ડંફાસ મારવાની ૧-૨ આ સંબંધમાં જુઓ સ્તુતિ-ચતુર્વિશતિકા (પૃ. ૧૧ર-૧૧૫) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004894
Book TitleVairagyarasamanjari
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Hiralal R Kapadia
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
Publication Year1930
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy