SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ છે. તેવું સમ લોક કરીને સિરિ આવો એકદમ પ્રવધ] ચતુર્વિશતિપ્રબન્ધ કંઠે પ્રાણ આવવા છતાં કરવું નહિ. સવારે એ પોને આમે પોતે જયા અને અક્ષર તેમજ કવિત્વની ગતિ ઓળખ્યાં. અહો ગુરુની મારા ઉપર કૃપા ! અહો મારી, પાપાભિમુખતા ! એમ (વિચારી) તે લજવાઈ ગયો. તે વિચારમાં પડી ગયો કે માતંગીના સંગરૂપ આ પાપ મેં સંકલ્પથી કર્યું છે. (દુઃખના) એ ભાર વડે (લદાએલે ) હું ક્યાં ૫ જાઉં? શું કરું? ગુરુને કેવી રીતે મુખ બતાવું? શી તપશ્ચર્યા કરું? કર્યું તીર્થ સેવું? ઉચું મુખ રાખી જાઉં? કૂવે પડું? શસ્ત્રથી આપઘાત કરું ? અથવા જાણ્ય-સર્વ લેક સમક્ષ પાપ કહી કાષ્ટભક્ષણ કરું. એ પ્રમાણે ટળવળતા એવા તેણે નોકરને હુકમ કર્યો કે અગ્નિ સળગા. તેમણે અગ્નિ સળગાવ્યો. (એવામાં) શ્રીપભટ્ટિસૂરિ આવ્યા. ત્યારે વર્ણ ૧૦ મળ્યા. તે પાપ (રાજાએ તેમની આગળ કહ્યું. આમ જેવો એકદમ અગ્નિમાં પ્રવેશ કરવા જતો હતો તેવામાં (જ) સૂરિએ હાથ ઝાલી તેને કહ્યું કે હે રાજન ! તું શુદ્ધ છે, ખેદ નહિ કર. તે તે પાપ સંકલ્પ માત્રથી કર્યું હતું, નહિ કે સાક્ષાત; સંકલ્પથી તે અગ્નિમાં પ્રવેશ પણ કર્યો છે. (વાસ્તે) હવે તું શુદ્ધ થયો છે. ચિરકાળ તું ધર્મ કર. માનસિક કર્મ, ૧૫ મનથી, વાચિક વાણીથી અને કાયિક કાયાથી બુદ્ધિશાળીઓ તરી જાય છે. આવા વચનથી સૂરિએ અગ્નિનું વિસર્જન કરાવ્યું–ઓલવી નંખાવ્યો અને રાજાને જીવતો રાખ્યો. લેક રાજી થયા. સૂરિ (પણ) ખુશી થયા. સમયાંતરે વાક્ષતિ રાજા “મથુરા” ગયા. ત્યાં તે શ્રીપાદ ત્રિદંડી થયો. એ (વાત) લેક પાસેથી જાણુને આમે સૂરિને કહ્યું કે આપે ૨૦ મને પણ શ્રાવક બનાવ્યો છે. આપની દિવ્ય વાણી પ્રસન્ન જ છે. (પરંતુ) આપણી શક્તિની પરમ રેખા હું ત્યારે જ જાણું કે જ્યારે આપ વાક્ષતિને જૈન દીક્ષા લેવડાવો. આચાર્યવ પ્રતિજ્ઞા કરી કે જે વાલ્પતિને હું મારે શિષ્ય શ્વેતાંબર બનાવું તે (જ) મારી વિદ્યા પ્રમાણ છે. વાસ્પતિ ક્યાં છે એટલું જ કહો. રાજાએ કહ્યું કે એ ૨૫ મથુરા'માં છે. સૂરિ શ્રીઆમના ઘણું આપ્ત જને સાથે “મથુરા” ગયા. તેઓ ત્યાંના) વરાહમંદિર” નામના પ્રાસાદમાં ગયા તે ધ્યાનસ્થ (દશામાં) વાતિ તેમના જોવામાં આવ્યા. તેમની પાછળ (ઊભા) રહી સૂરિએ ઊંચે સ્વરે આશીર્વાદ બોલવા માંડયાઃ લેકની સમક્ષ (તેમના દેખતાં) સંધ્યાને હાથ જોડી નમન કરી તું તેની યાચના કરે છે. વળી ૩૦ હે નિર્લજજ ! તું બીજી (સ્ત્રી ગંગા)ને માથે ધારણ કરી રાખે છે એ પણ મેં સહન કર્યું. ( પરંતુ) અમૃતનાં મંથનથી જયારે હરિને લક્ષ્મી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004892
Book TitleChaturvinshati Prabandh
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherFarbas Gujarati Sabha
Publication Year1944
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy