SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ કુલતા હિરા પ્રહણ કરી અને તે દાતા અને કાકાનમારમાં ચતુર્વિપ્રિખબ્ધ (જ) દિવસમાં લક્ષણ, તક, સાહિત્ય વગેરે પુષ્કળ શાસ્ત્રોનું પરિશીલન કર્યું. ત્યાર પછી ગુરુ “ડુબાઉધી” ગામે ગયા. (પેલા બાળકનાં માતાપિતા (તેમને) વંદન કરવા આવ્યાં. (ત્યારે) ગુરુએ તેમની સાથે વાર્તાલાપ કર્યો કે પુત્ર તે ઘણાએ થાય છે, પરંતુ જો તેઓ સંસારરૂપ ઉકરડા ઉપર કરમિયા જેવા હોય છે તેથી શું ? આ તમારા પુત્ર તો દીક્ષાની ૫ ઈચ્છા રાખે છે; (વાસ્તે) અમને એ આપે (અને) ધર્મ ગ્રહણ કરો; (પિતાનો પુત્ર જે નાસી જાય કે મરી જાય છે તે માબાપ સહન કરે છે-બેસી રહે છે. સંસાર તરી જવાની અભિલાષાવાળે આ (તે) પ્રશંસાપાત્ર છે. માબાપે કહ્યું કે હે ભગવન ! આ એક જ અમારે લત હાઇ કેમ આપી શકાય ? તે વારે પાસે ઊભેલા સૂરપાલે કહ્યું ૧૦ કે હું ચારિત્ર ગ્રહણ કરીશ જ; કેમકે તે બુદ્ધિ નાશ પામો, તે મૃતને (વિદ્યાને) વિષે વજ પડે, અને તે દોડતા ગુણે જવાળા વડે ભયાનક એવી આગમાં પ્રવેશ કરે કે જે શારદ ચન્દ્ર અને કંદ (કુસુમ)ના જેવા નિર્મળ સર્વ પ્રાપ્ત થયેલા હોવા છતાં જેના વડે ફરીથી આ સંસારમાં સ્ત્રીના ગર્ભસ્થાનરૂપ નરકમાં વાસ કરવાની પીડા પમાય છે. ત્યાર બાદ ૧૫ તેના નિશ્ચયથી વાકેફગાર થયેલા તેનાં માબાપે કહ્યું કે હે ભગવન ! આ પાત્ર ગ્રહણ કરી, કિન્તુ એનું અપભદ્ધિ એવું નામ રાખશે. ગુરુએ કહ્યું કે (ભલે) એમ હૈ; એમાં શો દોષ છે ? તમે બંને (પૂરા) પુણ્યશાળી છે કે જેમને આ લાભ મળ્યો. બાપ અને ભટ્ટિની રજા લઈ સૂરપાલને સાથે લઈ સિદ્ધસેનસૂરિ “મોઢેરા’ ગયા. વિકમના ૨૦ સમયથી ૮૦૭ વર્ષ વ્યતીત થતાં વૈશાખ (માસ)ની શુક્લ (પક્ષની) તૃતીયાને દિવસે (યાને અક્ષયતૃતીયાને) ગુરુવારે તેમણે દીક્ષા આપી અને વિશ્વને પ્રિય એવા બપ્પભક્ટિ નામની ઘોષણા કરી. સંઘની પ્રાર્થનાથી ત્યાં તેમણે ચાતુર્માસ કર્યું. એક વાર બપભક્ટિ (દીર્ઘશંકાળું) બહાર ગયેલા હતા તેવામાં મેધે મોટી વૃષ્ટિ કરી. (તેથી) તેઓ કાઈક ર૫ દેવકુલમાં થોભ્યા. તે દેવકુલમાં મહાબુદ્ધિશાળી કોઈ પુરુષ આવ્યો. તે દેવકુલને વિષે રસથી ભરપૂર અને ગંભીર અર્થવાળાં એવાં પ્રશસ્તિકાવ્યોની તેણે બપભટ્ટિ પાસે વ્યાખ્યા કરાવી. ત્યાર પછી તે બપભષ્ટિની સાથે વસતિએ આવ્યા. ગુરુએ આશીવાથી તેનું અભિનન્દન કર્યું, અને તેનો આમ્નાય (ઈતિહાસ) પૂછો. ૩૦ ૧ અભ્યાસ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004892
Book TitleChaturvinshati Prabandh
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherFarbas Gujarati Sabha
Publication Year1944
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy