________________
૪૦
ख-परिशिष्टम् ગ્રીક એલચી મેથાસ્થનિક એક સ્થળે જણાવે છે કે લશ્કરના છ વિભાગ કરવામાં આવ્યા હતા. જેમકે (૧) નૌકાસૈન્ય, (૨) સિપાઈ વગેરે લઈ જવાનું વાહન અને લશ્કરનું મેદીખાનું(transport and commis. sarit), (૩) પાયદળ, (૪) ઘોડેસ્વારે, (૫) રથ અને (૬) હાથીઓ. (૧૫) રણથંભોરના ચેહાણા –
ચતુર્વિશતિપ્રબન્ધના પ્રથમ પરિશિષ્ટમાં સપાદલક્ષીય ચાહમાન વંશના ૩૭ રાજાઓનાં જે નામ આપવામાં આવ્યાં છે તેની સાથે સંતુલનાર્થે ગડવધની પ્રસ્તાવના (૫, ૧૨૫)માં પ્રબધેકેશની એક અતિ પ્રાચીન પ્રતિને આધારે અપાયેલી રણભેરના ચૌહાણેની યાદી અત્ર રજુ કરવામાં આવે છે –
(૧) વાસુદેવ (વિ. સં. ૬૦૮), (૨) સામંત, (૩) નરેદેવ, (૪) અજયરાજ (અજમેરને સ્થાપક), (૫) વિગ્રહરાજ, (૬) વિજયરાજ, (9) ચન્દ્રરાજ, (૮) ગોવિંદરાજ, વેગવારિસ નામના સુલતાનને હરાવનાર, .
(૯) દુલ્લભરાજ, (૧૦) વત્સરાજ, (૧૧) સિંઘરાજ (જેઠન માં હેજિ૧૫ વદિનને હરાવનાર ), (૧૨) દુર્યોધન (નસિરૂદ્દિનને હરાવનાર), (૧૩)
વિજયરાજ, (૧૪) વયિવર (શાકંભરીમાં સુવર્ણખાણશોધી કાઢનાર), (૧૫) દુર્લભરાજ, (૧૬) ગંડુરાજ (મહમદ સુલતાનને હરાવનાર ), (૧૭) બાલપદેવ, (૧૮) વિજયરાજ, (૧૯) ચામુંડરાજ (સુલતાનને હરાવનાર), (૨૦) દુસલદેવ (ગુજરાતના રાજાને હરાવનાર ), (૨૧) વિસલદેવ, (૨૨) બૃહત પૃથિરાજ (વલુગીશાહને હાથ ભાંગનાર), (૨૩) અલ્લનદેવ (શાહબુદ્ધિનને હરાવનાર ), (૨૪) અનાલદેવ, (૨૫) જગદેવ, (૨૬) વીસલદેવ (તુરુને હરાવનાર ), (૨૭) અમરગાંગેય, (૨૮) પેથલદેવ, (૨૯) સોમેશ્વરદેવ, (૩૦) પૃથિરાજે (વિ. સં. ૧૨૩૬ પછી, મરણ વિ. સં. ૧૨૪૮ ), (૩૧) હરિરાજ, (૩૨) રાજદેવ, (૩૩) બેલનદેવ (બાવરિયા બિરુદ ધારી), (૩૪) વીરનારાયણદેવ (તુષ્ક શમસુદિનને હાથે યુદ્ધમાં હણાયેલ), (૫) બહડદેવ (માલવાને વિજેતા), (૩૬) જેત્રસિંહદેવ, અને (૩૭) શ્રીહમીરદેવ (વિ. સં. ૧૩૪૨ પછી, વિ. સં. ૧૩૫૮માં યુદ્ધમાં મરી ગયેલ).
આ યાદી સાથે ટેડના રાજસ્થાનમાંની તેમજ શ્રીનચરિત ૩. હમીર મહાકાવ્યમાંની યાદી સરખાવતાં ભિન્નતા જોવાય છે.
૧ સદરહુ લેખ પૃ. ૩૬. ૨ રાવબહાદુર નીલકંઠ જનાર્દન દ્વારા ઇ. સ. ૧૮૭૯માં સંપાદન કરાયેલ
२०
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org