SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીરાજશેખરસુરિકૃત થીજીવિરધવલ ક્ષમા (કરવામાં) તત્પર હોવાથી કપ્રિય અને સેવકને વિષે સદાફળરૂપે પ્રસિદ્ધિ પામે. તે સ્વાભાવિક રીતે યાદ્ર હતા. એ કારણથી બંને મંત્રીઓએ એકાંતમાં કયાંતરને વિષે “શાંતિપર્વમાં વૈપાયને ભીષ્મ તથા યુધિષ્ઠિરને કથેલા ઉપદેશરૂપે આવેલ, જૈપાયને ૫ કહેલ ૩૨ અધિકારમય ઇતિહાસ-શાસ્ત્રના ૨૮ મા અધિકારમાં આવેલ તેમજ શિવપુરાણગત માંસના ત્યાગની વ્યાખ્યા કરી કરીને મોટે ભાગે તેને માંસ, મદિરા અને મૃગયાથી વિમુખ બનાવ્યો. ફરીથી “માલધારી શ્રીદેવપ્રભસૂરિ પાસે વિશેષ રૂપે વ્યાખ્યા સંભળાવી સંભળાવી તેને તો વડે સુવાસિત બુદ્ધિવાળો બનાવ્યા. એક દહાડો વસ્તુપાલે બ્રાહ્મ મુહૂર્તમાં વિચાર્યું કે જે જિનયાત્રા વિસ્તારથી કરાય તે લક્ષ્મી સફળ થાય. આ જનેને છેતરીને સુકૃત લક્ષ્મીથી ગ્રહણ કરાય છે. તત્ત્વથી (એકલી લક્ષ્મીને) જે ગ્રહણ કરે છે તે તે ધૂર્તશિરોમણું છે. રાજાનાં કાર્ય (કરવા)માં (જે) પાપ (કરવાં પડે છે તે)માંથી જે મનુષ્યોએ સુકૃત સ્વીકાર્યું નહિ તેમને ૧૫ ધૂળ દેનારા કરતાં પણ હું વધારે મૂર્ખ ગણું છું. ઇત્યાદિ વિચારી નિત્યભક્ત તેજપાલની સંમતિ મેળવી તેણે “માલધારી” શ્રીનરચન્દ્રસૂરિ પાદને પૂછયું કે હે નાથ ! જે ચિંતા અત્યારે મને છે તે નિવિન સિદ્ધ થશે કે? શાસ્ત્રના જાણકારોમાં મુગટ સમાન એવા (ત) પ્રભુએ કહ્યું કે જિનયાત્રાની ચિન્તા વર્તે છે તે સિદ્ધ થશે. વસ્તુપાલે કહ્યું કે તે દેવાલયમાં વાસનિક્ષેપ કરે. શ્રીનરચન્દ્રસૂરિએ કહ્યું કે હે મંત્રીશ્વર ! અમે (તો) તારા માતૃપક્ષના ગુરુ છીએ, નહિ કે પિતૃપક્ષના. પિતપક્ષના તે “ નાગેન્દ્ર' ગચછના શ્રીઅમરચન્દ્રસૂરિ શ્રી મહેન્દ્રસૂરિના પદને વિષે ઉદયપ્રભસૂરિ નામના શિષ્યથી યુક્ત અને વિશાળ ગ૭વાળા એવા જે શ્રીવિજયસેનસૂરિ “પીલૂઆઈ ” દેશમાં વર્તે છે તેઓ વાસ૨૫ નિક્ષેપ કરે, નહિ કે અમે કહ્યું પણ છે કે જે જેની સ્થિતિ અને જે જેની સંતતિ આશ્રીને પૂર્વ પુરુષે મર્યાદા કરી છે તેનું કઠે પ્રાણ આવે તોપણ ઉલ્લંઘન કરવું નહિ. ત્યાર બાદ મંત્રીએ કહ્યું કે અમે આપ પાસે ઐવિધ છ આવશ્યક, કર્મપ્રકૃતિ વગેરેનો અભ્યાસ કર્યો છે. (તેથી) આપ જ મારા ગુરુ છે. પ્રભુએ કહ્યું કે એમ કહેવું ન જોઈએ, ૩૦ કેમકે એથી લોભરૂ૫ પિશાચને પ્રવેશ કરવાને પ્રસંગ મળે. તે ઉપરથી ૧ શિકાર, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004892
Book TitleChaturvinshati Prabandh
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherFarbas Gujarati Sabha
Publication Year1944
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy