SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ પણs ] ચતુવંશતિ બન્ય ૧૭ છતાં વિનયનું ઉલ્લંઘન નથી, અને દુર્જન ઉપર પણ જરાએ કપટતા નથી. આવી તમારી આકૃતિ કોણે ઘડી છે? અન્યના દ્રોહીએ પૃથ્વીને મોટે ભાર અમે પિતા પુત્ર ઉપર મૂક્યો છે. તેથી તમને બંનેને એક સાથે મંત્રીશ્વર બનાવવા હું ઇચ્છું છું. ગમે તે ધર્મકર્મથી આ પૃથ્વી ઉપર સંપત્તિઓ શું સુલભ નથી ? જે સુકૃતોથી ઉત્તમ પુરુષરત્ન ૫ મળે તે સુકૃત દુર્લભ છે. ત્યાર પછી વસ્તુપાલે કહ્યું કે હે દેવ ! જે પુણ્યશાળીમાં અને ગુણીઓમાં અગ્રણી હોય અને જેને પ્રસન્ન વદન કમળવાળા સ્વામી (સદા) આ પ્રમાણે મધુરું કહે તે (ખરેખર) સેવકજન છે. પાર્થિવ કરતાં આ પૃથ્વી ઉપર બીજું કોઈ મોટું તીર્થ નથી, કેમકે તેના વદનકમલના દર્શનથી આપત્તિરૂપ પાપ સત્વર નાશ પામે છે ૧૦ અને સજજનોએ ઇશ્કેલી સંપત્તિ મળે છે. પ્રસાદથી યુક્ત મુખવાળા રાજાની દૃષ્ટિ જ્યાં જ્યાં વિલસે છે ત્યાં ત્યાં સુચિતા, કુલીનતા, ચતુરાઈ અને સૌભાગ્ય જાય છે, પરંતુ (આજ્ઞા હેય) તે હું જે વિજ્ઞપ્તિ કરું છું તે (આપ) સ્વામી અવધારશો; કેમકે સજજની ન્યાય વડે વિશેષ નિષ્ફર વાણી સાંભળવાને પણ તમારો અધિકાર છે. હે દેવ ! તે શુભ ત્રણ યુગ (વીતી) ૧૫ ગયા છે. હાલ કલિયુગ (પ્રવર્તે છે કે જેને વિષે સેવામાં ભક્તિ અને રાજાઓમાં કૃતજ્ઞતા દેખાતી નથી. રાજાઓની દષ્ટિ અંધકારથી નાશ પામી છે. (તેથી) તેઓ લેભથી આંધળા બનેલાને આગળ કરે છે. તેઓ તેમને એવે માર્ગ દેરે છે કે તેઓ વ્યાકુળ બની શીધ્ર ભમ્યા કરે છે. તદ્દન લેભ વિનાને હેઈ કઈ પ્રતિદિન પ્રભુની સેવા કરતા નથી. તેમ ૨૦ છતાં બુદ્ધિશાળીઓએ તેમ કરવું જેથી (અહીં) સંસારમાં નિન્દા ન થાય અને પરલોકમાં (સ્વર્ગમાં) પીડા ન થાય, ન્યાયને આગળ કરી, દુષ્ટ જનને અનાદર કરી, સ્વાભાવિક દુશ્મનને પરાજય કરી અને શ્રીપતિના ચરિત્રનો આદર કરી જો તમે પૃથ્વીને ઉદ્ધાર કરવા ઈચ્છતા હો તે (આપ) દેવને આદેશ સ્પષ્ટપણે માથે ચડાવું છું; નહિ તે આપનું ૨૫ કલ્યાણ હેજે. વળી હાલ અમે “મંડલી' નગરથી સેવા ( કરવા)ની ઈચ્છાવાળા તમારી સમીપ કુટુંબ સાથે આવ્યા છીએ. અમારે ઘેર ત્રણ લાખ દ્રવ્ય છે. (અમે નેકરીમાં રહીએ ત્યાર બાદ) જ્યારે દવને પિશુનના વચન ઉપર વિશ્વાસ આવે ત્યારે એટલા ધન સહિત દિવ્ય કરાવી અમને મુક્ત કરવા. અહીં કાહિલિકને મર્યાદારૂપે રાખી દેવને પરિગ્રહની ધીરજ છે ૧ રાજ. ૨ ચાડિયે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004892
Book TitleChaturvinshati Prabandh
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherFarbas Gujarati Sabha
Publication Year1944
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy