SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ ચતુર્વિશતિપ્રબન્ધ ૧૫૫ કુળથી, શીળથી, વિદ્યાથી, વૃત્તથી, શૌર્યથી અને રૂપથી (એ બધાથી એ અવર્ણ છે); એનું શું વર્ણન કરાય ? વિધાતાએ એને અંગના ન કરી તે ખરેખર કીર્તિશાળી તપસ્વીઓને પ્રભાવ છે. નહિ તો ત્રણ જગતમાં કેમ કથા પણ વિદ્યા, કન્યા અને લક્ષ્મી ખરેખર અયોગ્ય સ્થાને જાતાં જકને તેઓ શાપ આપે છે. (પછી) નામલ દેવીને તેમજ કન્યાને મત લઈને ૫ તેણે તક્ષક જ દ્વારા વત્સરાજને બોલાવ્યો. તેણે પ્રવેશ-મહોત્સવ કર્યો. વિવાહ આરંભાયે. પહેલી દક્ષિણમાં વાછરડા સહિત ગાય-કામધેનુ, બીજીમાં વિશિષ્ટ નાગવલી, ત્રીજીમાં એસિકા અને તળાઈ સહિત ખાટલે અને ચોથીમાં રત્નદીપ મળ્યાં. એ પ્રમાણે ચાર રત્નો વડે તેણે તેને સત્કાર કરી વધૂ સહિત જમાઈને “કૌશાંબી નગરીએ મોકલ્યો. પિતાને ૧૦ નગરે જઈ તેણે સમૃદ્ધ રાજ્ય ભોગવ્યું. ચૂના વડે ઘોળેલું ઘર, ખરચો ભાર સહન કરી શકે એવો દ્રવ્યને નિર્વાહ, સકામ કામિની, પિતાનું હદય જણાવી શકાય એ મિત્ર, ગુણોને શોધક (ગુણા) સ્વામી અને શાસ્ત્રને વિષે વ્યસન એ પૂર્વે આચરેલા તીવ્ર તપનું મેટું ફળ છે. આ સ્વછંદ વિહરણ, કૃપણુતા વિનાનું ભજન, સદા આર્યો સાથે નિવાસ, ૧૫ ઉપશમરૂપ અદ્વિતીય આશ્રમફલવાળી વિદ્યા, અને બહારથી મંદ સ્પંદથી રહિત મન છે. તે ઉપરથી કયા ઉદાર તપનું આ પરિણામ છે તે હું ચિરકાળ વિચારતાં (?) પણ જાણી શકતો નથી. કાલક્રમે એ જ (ઉદયન) ચંડપ્રદ્યોતની પુત્રી અને ગુણકીર્તિ (?)રૂપ વાસવદત્તાને તેમજ ડહાલમાં દેશના માલિકની પુત્રી પદ્માવતીને ૨૦ (પણ) પર. “ચાલ દેશના અધિપતિ દ્વારા લઈ લેવાયેલું પિતાનું) કૌશાંબી’નું રાજ્ય તેણે મન્ત્ર અને ક્ષાત્રથી ફરીથી મેળવ્યું. એ પ્રમાણે ઉદયનનો પ્રબંધ છે. આ થા જેનોને માન્ય નથી, કેમકે દેવજાતિના નાગ સાથે માનના લગ્નને સંભવ નથી. વિદી સભાને ગ્ય છે એમ વિચારી) ૨૫ નાગમતથી ઉદ્ધારી આ (કથા) મેં અહીં કહી (છે). ત્તિ લાઇવશ્વઃ | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004892
Book TitleChaturvinshati Prabandh
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherFarbas Gujarati Sabha
Publication Year1944
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy