SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપઘાત કે તું પૂર્વ ભવમાં તાપસ હતો અને તે કાલિંજર નામના ગિરિ પાસે આવેલા શાલ વૃક્ષની નીચે એકાંતર ઉપવાસ કરવા વડે દોઢસો વર્ષ પર્યત તપશ્ચર્યા કરી હતી. આયુષ્ય પૂર્ણ થતાં તું રાજા થયે છે. આ વાતની જે તારે પ્રતીતિ કરવી હોય, તો હજી તે વૃક્ષની નીચે તારી જટા લટકે છે તે મંગાવી છે. રાજાએ જટા મંગાવી. તે આવતાં રાજાને પ્રતીતિ થઈ. આથી તે ઉમંગભેર શુદ્ધ અંતઃકરણપૂર્વક જૈન ધર્મ પાળવા લાગે. એક વાર મહેલની ઉપર ફરતાં ફરતાં આમ રાજાએ એક ઘરમાં ભિક્ષા માટે મુનિને જતા જોયા. તેમાં એક કામિની હતી. તેણે કામા થઈ પરબ્રહ્મમાં એક ચિત્તવાળા એવા આ મુનિની સાથે ક્રીડા કરવાની ઇચ્છાથી દ્વાર બંધ કર્યા પરંતુ મુનિએ તેને સ્વીકાર કરવા ના પાડી, ત્યારે દ્વાર પકડી રાખીને તેણે તેને લાત મારી. તેમ થતાં કાકાલીય ન્યાયથી કે અંધર્તિકા ન્યાયથી તેનું નપુર (ઝાંઝર) તે મુનિના ચરણમાં પેસી ગયું. તે જોઈ રાજાએ સૂરિજીને નીચે મુજબની સમસ્યા કહી – “ામ રાડા વાંવાળા,ન્મથિગો ગુઘવિયા” અર્થત કામને વશ થયેલી તેમજ યૌવનને લીધે ગર્વિષ્ટ બનેલી તે સુન્દર સુન્દરીએ તેની પ્રાર્થના કરી. સુરિજીએ તે સમસ્યા પૂર્ણ કરતાં કહ્યું કે “ મરિયં તે નિટિvi, નેરો ગર કરે છે ? –ઉપજાતિ અર્થત તે જિતેન્દ્રિય માન્યું નહિ; તે દીક્ષા લીધેલાનો પગ નૂપુરથી યુક્ત થયેલ છે. એક વાર કોઇ પ્રોષિત–ભર્તુકાના ગૃહમાં ભિક્ષા માટે કોઈ ભિક્ષુક દાખલ થે. પેલી શ્રી ભિક્ષને પારણું કરાવવા માટે અન્ન લાવી; પરંતુ તે ભિક્ષુની દૃષ્ટિ તે સુન્દરીની નાભિ ઉપર રિથર થઈ ગઈ, જયારે તે સ્ત્રીની દૃષ્ટિ તે ભિક્ષુકના મુખ–કમલ ઉપર લાગી રહી. એટલામાં કાગડાઓ તે અન્ન ખાઈ ગયા. આ બધું દૃશ્ય રાજાએ મહેલ ઉપરથી જોયું અને તે સંબંધમાં તેણે રિજીને નીચે મુજબની સમસ્યા કહી સંભળાવી – ____ "भिक्खायरो पिच्छइ नाहिमंडलं सावि तस्स मुहकमलं" અર્થાત્ ભિક્ષુક તે સ્ત્રીનું નાભિમડલ જુએ છે અને તે (સ્ત્રી) પણ તેનું મુખ-કમલા જુએ છે. સૂરિજીએ કહ્યું કે ૧ છાયા માનુજાડા થરાવાડnતો વૌજનતા ૨ છાયા न मतं तेम जितेन्द्रियेण, सनूपुरः प्रवजितस्य पादः ॥ ૩ જેનો પતિ પરદેશ ગયો છે એવી સ્ત્રી. ૪ છાયા मिक्षाचरा पश्यति माभिमण्डलं खाऽपि तख मुखकमलम् । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004891
Book TitleChaturvinshatika
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherJinshasan Aradhana Trust
Publication Year2006
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy