SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨ ઉપઘાત કેશવ (કૃષ્ણ) હે; શરીર ઉપર (ખોળામાં) ગૌરી (પાર્વતી)ને ધારણ કરનારા શંકર હે કે નિરંતર અક્ષ-સૂત્રને ધારણ કરનારા પદ્મજન્મા (બ્રહ્મા) હું અત્યંત કૃપાળુ એવા બુદ્ધ છે કે જગને પ્રકાશિત કરનારા સૂર્ય કે અગ્નિ હે૧ હે પ્રભુ! જ્યાં, જે સમયે, જેવી રીતે, જે નામથી તું હો, ત્યાં, તે સમયે, તેવી રીતે તે નામથી પ્રખ્યાત એ તું જે દોષરૂપ દૂષણથી રહિત છે, તે તેવા એકલા તને(જ) મારા પ્રણામ હો.—૨ મદથી, માનથી, મદનથી, કોપથી, લેભથી અને હર્ષથી એ બધાથી અત્યંત પરાજિત થયેલા એવા અન્ય દેવોની સામ્રાજય–પીડા વ્યર્થ છે.—૩ જેથી કરીને (જિનની દૃષ્ટિ કરૂણારૂપી કલોલથી યુક્ત પુટ (પુડિયા) જેવી છે, મુખ સૌમ્ય છે, આચાર પ્રશમની ખાણ છે, પરિકર શાન્ત છે અને દેહ પ્રસન્ન છે તેથી હું એમ માનું છું કે જરા (ઘડપણ), જન્મ અને મરણને નાશ કરનારા એવા દેવાધિદેવ જિન(જ) છે, કેમકે અન્ય દેવોનું આવું સ્વરૂપ વિશ્વમાં જોવામાં આવતું નથી.-૪ આ પ્રમાણે સૂરિજીએ કહ્યું એટલે વાક્ષતિએ પૂછયું કે તે જિન ક્યાં છે? સૂરિજીએ કહ્યું કે વરૂપથી તો તે મેક્ષમાં છે, પરંતુ મૂર્તિથી તે જિનાલયમાં છે. આ સાંભળીને વાપતિએ તે મને બતાવે એમ સૂરિજીને કહ્યું. તેથી સૂરિજી તેને આમ નરેશ્વરે બનાવેલો જિનાલયમાં લઈ ગયા અને ત્યાં પોતેજ પ્રતિષ્ઠા કરેલી શ્રી પાર્શ્વનાથની મૂર્તિના દર્શન કરાવ્યા. શાન્ત, કાન્ત તથા નિરંજન એવા સ્વરૂપને જોઈને પ્રબુદ્ધ થયેલ વાક્ષતિ બોલી ઊયો કે આકાર જોતાંજ આ દેવ નિરંજન હોય એમ જણાય છે. સૂરિજીએ વિશેષમાં તેને દેવ, ગુરૂ અને ધર્મનું યથાર્થ સ્વરૂપ રૂડી રીતે સમજાવ્યું તેથી તે પ્રસન્ન થયા અને મિથ્યાત્વરૂપી વિષને ત્યજી દઈ તે તામ્બર જૈનર્ષિ થે. જિનને વન્દન કરતાં તે બોલ્યો કે— "भयनाहिसुरहिएणं, इमिणा किंकरफलं नडाले थे । રૂછામિ મર્દ નિવર !, viામ શિખા સિવું ? ? -આર્યા दोवि गिहत्था धडहड, वच्चइ को किर कस्सवि पत्त भणिज्जइ ?। સામે સામે પુષ, મ વિમુ પુરૂ? . ૨ –આર્યા અર્થાત કરતૂરી વડે સુવાસિત એવા આથી લલાટમાં સેવકનું ફળ છે. તેથી તે જિનેશ્વર ! નસરકારને મલિન કરવાને હું કેમ ઈચ્છું?–૧ ૧ છાયા मृगनाभिसुरभितेन अनेन किलर फलं ललाटे । इच्छामि अहं जिनवर ! प्रणाम कथं कलुषितं कर्तुम् । द्वावपि गृहस्थावुत्पथं व्रजतः कः किल कस्यापि पानं भपयते । सारम्भः सारम्भं पूजयति कर्दमः कर्दमेन किं शुध्यते ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004891
Book TitleChaturvinshatika
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherJinshasan Aradhana Trust
Publication Year2006
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy