SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપઘાત ' અર્થાત–લેકોના દેખતાં ૦ સંધ્યાને હાથ જોડી નમન કરી તેની તું યાચના કરે છે. વળી તે બેશરમ ! (ગંગા રૂપી) બીજી સ્ત્રીને તું મરતક ઉપર ધારણ કરે છે તે પણ મેં સહન કર્યું. વળી સમુદ્ર મન્થનથી હરિને લક્ષ્મી મળી, અને તે કેર કેમ ખાધું? માટે હે શ્રીલંપટ ! તું મને સ્પર્શ કરીશ નહિ એમ જેને ગીરી (પાર્વતી)એ કહ્યું તે હર (મહાદેવ) તમારું રક્ષણ કરો–૧ જેનું એક લોચન ધ્યાનમાં (લીન થયેલું હોવાથી) મચાયેલું છે, બીજું લોચન પાર્વતીના મોટા નિતમ્બ ઉપર શૃંગાર (રસના) ભારથી નમી પડેલું છે અને ત્રીજું લોચન દૂરથી (ધનુષ્ય) ચડાવતા કંદને બાળવાને કપાગ્નિથી પ્રજવલિત બન્યું છે, એવા સમાધિ વખતે શંભુ (મહાદેવ)ના ભિન્ન રસવાળાં ત્રણે લેને તમારું પરિપાલન કરે – એક હતો રામ. હું તેને સીતા (નાની) પની હતી. હું તેના પિતાના વચનથી તે પંચવટી વનમાં વિચરતો હતો તેવામાં તેની સ્ત્રીને રાવણ હરી ગયો. હું. નિદ્રા આ પ્રમાણેની જનની-કથાને હુંકારપૂર્વક શ્રવણ કરતા હરિની પૂર્વ સ્મરણ થવાથી કોપથી કુટિલ બનેલ ભમર વડે ભંગુર થયેલી દૃષ્ટિએ તમારું પાલન કરે-૩ રતા તે એક હાથે શેષનાગ)ના ઉપર ભાર મૂકીને (એટલે કે વિષય-સેવન પછી થાકી જવાથી શેષ નાગના ઉપર એક હાથ ટેકવીને) અને બીજે હાથે વસ્ત્ર લઇને ઊઠતી એવી તેમજ છુટી ગયેલા અંબોડાના ભારને ખભા ઉપર વહન કરતી એવી તથા જેની કાયાની કાતિને જોતાં જ જેનામાં સુરત-નેહ બમણો ઉત્પન્ન થયે છે એવા વિષ્ણુએ જેને આલિંગન કરી ફરી શય્યામાં સુવાડી, તે લક્ષ્મીનું આળસથી કાંઇક મદ પડી ગયેલા હાથવાળું શરીર તમને પવિત્ર કરો–૪ આ પ્રમાણે તેઓ ઘણું બોલ્યા એટલે વાકપતિ થાન મૂકીને તેમની સંમુખ આવી કહેવા લાગ્યો કે હે બપભ િમિત્ર ! તમે મારી સમક્ષ શૃંગાર અને રૌદ્ર રસથી યુક્ત એવો પદ્ય-પાઠ કેમ કરે છે? સૂરિજીએ ઉત્તર આપે કે તમે સાંખ્ય છે; તેમાં વળી કેટલાક સાંખે ઈશ્વરને માનતા નથી, જયારે કેટલાક ઈશ્વરને માને છે; પરંતુ તે સર્વેને ૨૫ ત સંમત છે. આ બધું ધ્યાનમાં લઈને અમે તમારી આગળ તમારા ઇષ્ટ દેવની સ્તુતિ કરીએ છીએ, કેમકે જેને જેવી રૂચિ હોય તેની આગળ સમય તે પ્રમાણે કહેવું. વાપતિએ કહ્યું કે એ વાત બરાબર છે, પરંતુ હું તો મોક્ષને અર્થી છું. વિશેષમાં મારૂં મરણ પાસે આવેલું જાણી બ્રહ્મ–ધ્યાનમાં લીન થવા હું અહીં આવ્યો છું. સૂરિજીએ આ સાંભળીને કહ્યું કે શું રૂદ્ર પ્રમુખ દે મુક્તિ-દાતા નથી ? જે તેઓ મુક્તિદાતા હેય, તો પછી આ પ્રમાણે તું ધ્યાન–મુક્ત થઈ ખિન્ન કેમ થાય છે? અને જે તેઓ તેવા નથી એમ માનતો હૈ, તો તેમને મૂકીને મુક્તિને આપનારાની સેવા કેમ કરતા નથી ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004891
Book TitleChaturvinshatika
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherJinshasan Aradhana Trust
Publication Year2006
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy