SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદુઘાત, પૃથ્વીને ભોગવનારા (હઠ કરીને) માતંગીને વિષે આસક્ત ચિત્તવાળા ( બનેલા અને એથી કરીને) ભ્રષ્ટ ધર્મવાળા (થયેલા એવા) તારા ન્યાયને જોનારો અભડાય છે ભ્રષ્ટ થાય છે-૩ ઉન્માર્ગમાં ઉત્પન્ન થયેલી, શોભા વિનાની તથા ફળ, ફુલ અને પત્રથી રહિત એવી બેરડીના ઉપર પદને અર્પણ કરતો (અર્થાત ચરણ મૂકતો) હે પામર ! તું હસાય છે–૪ જીવિત જળના બિન્દુ જેવું છે, સંપત્તિઓ (જળના) કલ્લોલ જેવી ચપળ છે અને સ્નેહ સ્વમ જેવો છે. વાસ્તે તું જેમ જાણે છે તેમ કર–પ જે (કુકર્મ) કરવાથી લોકમાં શરમાવું પડે છે અને વળી જેને લીધે પિતાના કુળને ક્રમ મલિન થાય છે, તે કાર્ય તે કંઠે પ્રાણ આવે તે પણ કુલીએ કરવું નહિ.-૬ સવારના પહોરમાં આમ રાજા ગામ બહાર મહેલ જોવા ગયે. ત્યાં તેણે આ પો જોયાં; તે તેણે વાંચ્યાં અને વિચાર્યા. વિચાર કરતાં અક્ષર તથા કવિત્વ ઉપરથી માલૂમ પડયું કે ખરેખર બપ્પભદ્રિજીએજ આ લખેલાં હોવાં જોઈએ. અહીં તેમની મારા ઉપર કેવીકૃપા છે ! હું કેવું કુકર્મ કરવાને તૈયાર થઈ ગયો . અરેરે મારા જીવિતને ધિક્કાર છે. હું ક્યાં જાઉં? શું કરું ? ગુરૂજીને શું મુખ બતાવું? શું તપ આચરું કે તીર્થ સેવું ? ફ પડું કે શસ્ત્રથી આપઘાત કરું ? ના, ના, મને ઠીક યાદ આવ્યું. લેક સમક્ષ પાપ પ્રકટ કરી કાષ્ટભક્ષણ કરું. આ પ્રમાણે ટળવળતા તે રાજાએ પોતાના સેવકેને અગ્નિ પ્રજવલિત કરવા આજ્ઞા કરી. આ વાતની પ્રધાનોએ સૂરિજીને ખબર આપી એટલે તેઓ ત્યાં આવ્યા. આમ રાજા જેવો અગ્નિમાં પ્રવેશ કરવા જાય છે કે તે જ સૂરિજીએ તેને હાથ પકડી તેને રેડ્યો અને તેઓ કહેવા લાગ્યા કે આપઘાત કરવાથી શું ફાયદો છે? વળી મનથી બાંધેલું પાપ તો મનથી જ નાશ પામે છે. પ્રભાવક-ચરિત્રમાં આ સંબંધમાં નીચે મુજબની હકીકત નજરે પડે છે. સુરિજીએ અગ્નિમાં પડવાને તૈયાર થયેલા રાજાને કહ્યું કે પાપનું પ્રાયશ્ચિત્ત પણ છે. આ સંબંધમાં તારી ઇચ્છા હોય, તો તું સ્માર્ત બ્રાહ્મણોને બોલાવીને પૂછી જે. રાજાએ તાબડતોબ બ્રાહ્મણે બોલાવ્યા અને પિતાના પાપનું શું પ્રાયશ્ચિત્ત છે તે પૂછ્યું. ત્યારે તેમણે કહ્યું કે – "आयःपुत्तलिकां वह्नि-मातां तद्वर्णरूपिणीम् । ઋિષ્યન મુ ઘર, પાપાચાપારીસન્મવાન્ !”—અનુપ કહેવાની મતલબ એ છે કે લેઢાની પુતળીને અગ્નિમાં તપાવીને તેના જેવી લાલચોળ કર્યા બાદ તેને આલિંગન કરે, તો ચાન્ડાલીથી ઉત્પન્ન થયેલા પાપથી સત્વર મુક્ત થવાય છે. આ પ્રમાણે પ્રાયશ્ચિત્ત લેવા રાજા તૈયાર થઈ ગયો એટલે સૂરિજીએ તેને કહ્યું કે હે રાજન્ ! તેં તે સંકલ્પમાત્રથી પાપ કર્યું છે, તે કાંઈ શરીર વડે તેવું નીચ કર્મ કર્યું નથી એટલે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004891
Book TitleChaturvinshatika
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherJinshasan Aradhana Trust
Publication Year2006
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy