SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ ઉપદુઘાત. પહેલાં ધર્મ રાજાની વેશ્યાને પિતાના નામવાળું એક કંકણ આપ્યું અને રાત્રે તે ત્યાં રહ્યો. પ્રાતઃકાલે રાજદ્વારના દ્વારપાળને બીજું કંકણ આપી તે પોતાને દેશ જવા નીકળી પડ્યો. બપોર થતાં સૂરિજીએ ધર્મ રાજાને કહ્યું કે અમારી પ્રતિજ્ઞા પૂર્ણ થઈ છે, વાતે અમે હવે વિહાર કરી આમ રાજા પાસે જઈશું. ત્યારે ધર્મ રાજાએ કહ્યું કે આમ સ્વયં આપને આમન્તણું આપવા આવ્યે નથી, તો પછી આપની પ્રતિજ્ઞા કેવી રીતે પૂર્ણ થઈ ગણાય? આના જવાબમાં ગુરૂજીએ ધર્મ રાજાને સર્વ ગુહ્ય વાનો દ્વિતીય અર્થ કહી સંભળાવ્યું. વળી એટલામાં વેશ્યાએ તેમજ દ્વારપાળે પણ આમ નરેશ્વરનાં નામવાળાં બે કંકણ રજુ કર્યા. આથી ધર્મ રાજાને ખાતરી થઈ કે આમ સ્વયં આ હતો. પછી ધર્મ રાજાએ સૂરિજીને કહ્યું કે હું વાક્-છળથી છેતરાયો છું. ત્યાર પછી સૂરિજીએ તેની રજા લઈને વિહાર કર્યો અને આમ રાજાને તેઓ રસ્તામાં મળ્યા. માર્ગમાં આમ રાજાએ એક પુલિન્દ (ભીલ)ને પશુની માફક તળાવમાં મોટું ઘાલીને જળ પીતો જોયે એટલે તેણે સૂરિજીને નીચે મુજબના પૂર્વાર્દ દ્વારા તેનું કારણ પૂછયું– __"पसु जिम पुलिंदउ पीअइ जल पंथिउ कवणिहि कारणिण" આ સાંભળીને સૂરિજીએ તક્ષણ તેના પ્રત્યુત્તરમાં નીચે મુજબને ઉત્તરાર્હ કહ્યો – "कर बेवि करंबिय कजलिणमुद्दहिअंसुनिवारणिण" અર્થાત્ કાજળથી મિશ્રિત અશ્રુના નિવારણથી (એટલે કે એવાં આંસુ લૂછવાથી ) બંને હાથ કાળા થયા છે. આ વાતની ખાતરી કરવા માટે રાજાએ તે પુલિંદને પિતાની સમક્ષ બોલાવ્યો અને પોતાનું વૃત્તાન્ત રજુ કરવા કહ્યું. એટલે શરમથી નીચું મુખ રાખીને તે પુલિંદે કહ્યું કે હે નાથ ! મુસાફરીમાં તમારી પુત્રવધૂને શાંત કરો છો તેનાં કાજળયુક્ત અયુઓ વડે ભીજયેલા મારા હાથે કાળા બન્યા હતા. આ વૃત્તાન્ત જાણીને રાજા ખુશી થશે અને સરિજી સાથે પગિરિ પાસે આવી પહોંચ્યો. ત્યાર બાદ તેણે મહોત્સવ પૂર્વક સૂરિજીને ગામમાં પ્રવેશ કરાવે. વિદ–વાર્તામાં દિવસો પસાર થતા હતા તેવામાં વૃદ્ધાવસ્થાને પ્રાપ્ત થયેલા અને અનશન કરવાની અભિલાષા રાખતા એવા પિતાના ગુરૂ શ્રીસિદ્ધસેનસૂરિને પત્ર લઈને બે ગીતાર્થ સાધુ બપ્પભફિજીની પાસે આવ્યા. આ પત્રમાં એમ લખ્યું હતું કે – - મેં તને ભણાવ્યો છે તેમજ સૂરિપદ પણ આપ્યું છે, તે હે બપ્પભઢિ! તું હવે એ પ્રય કર કે જેથી કરીને હું અનશન અંગીકાર કરી સ્વર્ગ જાઉં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004891
Book TitleChaturvinshatika
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherJinshasan Aradhana Trust
Publication Year2006
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy