SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપઘાત. હે ઉત્તમ વૃક્ષ! તે ત્યજી દીધેલાં પત્રોનું પત્રત્વ નષ્ટ થતું નથી. તે ઉપરાંત વળી જો તારી છાયા કોઈ પણ રીતે થઈ શકે, તો તે પત્રો વડે(જ) તેમ થઈ શકે તેમ છે-૯ જટા બધે ઠેકાણે સર્વ વૃક્ષની નીચે જ હોય છે, જયારે પુષ્પો તેની ઉપર હોય છે. ધનુષ્ય ઉપર દેરી ચડે છે અને તે પ્રભુની પ્રતીતિથી તેના અગ્ર ભાગને પામે છે.–૧૦ પૃથ્વી–મડળમાં જે કઈ રવાસીઓ શેરડીના સાંઠા (૪)ના જેવા છે, તેઓ જેમ શેરડઓ જટાઓમાં સરસ અને પત્રોમાં વિરસ દેખાય છે, તેમ જડને વિષે રાગી અને પાત્રોને વિષે નીરાગી દેખાય છે.–૧૧ હાલના રાજાઓ જો સ્વામી છે તો પૂર્વના રાજાઓનું સ્વામીપણું ક્યાં? જેમાં ગુણે અને ગુણામાં દોષો જેમ એમણે સ્વીકાર્યા છે, તેમ પ્રાચીન રાજાઓએ કર્યું નથી–૧૨ છેવટમાં સુરિજીએ પ્રધાને સાથે એમ પણ કહાવ્યું કે “अस्माभिर्यदि कार्य व-स्तदा धर्मस्य भूपतेः । सभायां छन्नमागत्य, स्वयमापृच्छयतां द्रुतम् ॥१॥ जाते प्रतिज्ञानिर्वाहे, यथाऽऽयामस्तवान्तिकम् ।। પ્રધાન પ્રદિતાઃ પૂ-તિ રક્ષાપુરસ્પર . ૨ ” અર્થત હે રાજન ! જે તમારે અમારું કામ હોય, તે સત્વર ધર્મ રાજાની સભામાં ગુપ્ત રીતે આવીને અમને આમંત્રણ આપવું. તેમ થતાં અમારી પ્રતિજ્ઞાનો નિર્વાહ થશે એટલે અમે તમારી પાસે આવીશું. આ પ્રમાણેની શિક્ષા આપીને સૂરિજીએ પ્રધાનોને પાછા મોકલ્યા. એટલે પ્રધાને એ જઈને સર્વ હકીકત આમ રાજાને જણાવી અને તેને પત્ર પણ આપે. આ ઉપરથી સર્વ વૃત્તાન્ત જાણીને આમ રાજા સુરિજીને મળવાને અધીરા બની બે અને કેટલાક સારા મનુષ્યને સાથે લઇને લક્ષણાવતી તરફ જવા નીકળી પડ્યો. માર્ગમાં ગોદાવરી નદીના તીરે એક ગામ આવ્યું ત્યાં ખડ દેવકુલમાં તેણે રાત્રિએ નિવાસ કર્યો. તે રાત્રિએ ત્યાં તેની અધિષ્ઠાયિકા વ્યક્તરી આવી અને તે આ રાજાનું રૂપ જોઈ મોહિત બની ગઈ; તેથી ભારતે જેમ ગંગા દેવીને સ્વીકાર કર્યો હતો, તેમ આ રાજાએ તેની પ્રાર્થનાનુસાર તેનો સ્વીકાર કરી તેની સાથે ક્રીડા કરી. સવાર પડતાં તેની રજા લઇને ઊંટ ઉપર બેસીને તે સૂરિજી પાસે આવી પહોંચ્યો અને “હજી પણ તે સાંભરે છે, એક રાત્રિનો શું સ્નેહ એ અર્થવાળી નીચે મુજબની અડધી ગાથા છે. કવિ ના સુમરિન એ નો ” ૧ છાયા अद्यापि सा स्मयते कः स्नेह एकराध्याः । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004891
Book TitleChaturvinshatika
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherJinshasan Aradhana Trust
Publication Year2006
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy