SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ બપભદિસૂરિજીનું જીવન-વૃત્તાન્ત, આ પ્રમાણેની અન્યક્તિ દ્વારા બપ્પભજીિએ આમ નૃપતિને ઉદ્દેશીને કહ્યું કે પરિડત–પ્રિય પૃથ્વી પતિ પરિડતને આવકાર આપશે અર્થાત અહિંઆથી અમે અન્યત્ર જઈશું, તોપણ અન્ય નપતિ પણ અમારું સન્માન કરશે. શ્રીબમ્પટ્ટિ વિહાર કરતા કરતા ગડ દેશમાં લક્ષણાવતી નગરીમાં ધર્મ રાજા રાજય કરતો હતો, ત્યાં જઈ ચડ્યા. આ રાજાની સભામાં વાપતિ નામે ગુણજ્ઞ કવિરાજ હતો. તેણે સૂરિજીના આગમનની વાત રાજાને કહી સંભળાવી. તેથી અતિશય નમ્રતાપૂર્વક વિનતિ કરીને ધામધૂમ કરવા પૂર્વક તે રાજા તેમને પોતાના નગરમાં લઈ ગયે. તે સમયે સૂરિજીએ કહ્યું કે "रुचिरचरणारक्ताः सक्ताः सदैव हि सद्गतौ परमकवयः काम्याः सौम्या वयं धवलच्छदाः। गुणपरिचयोद्धर्षाः सम्यग् गुणातिशयस्पृशः ક્ષિતિ! મવતોડખ્યí તૂ અમાનસમિતાઃ ૨ –હરિણી અર્થાત મનહર ચરિત્રમાં અત્યન્ત લીન, (મુક્તિરૂપી) સગતિ (મેળવવાના વિચારમ) સર્વદા આસક્ત, ઉત્તમ કાવ્ય રચનાર, ઇચ્છવા લાયક, સૌમ્ય, શ્વેત વસ્ત્રવાળા [અથવા શુકલપક્ષી , ગુણેનો પરિચય ( કરવા)માં અતિશય આનન્દવાળા, સદ્ગુણેની તીવ્રતાને સ્પર્શ કરનારા અને સારા મનવાળા એવા અમે હે રાજન તમારી પાસે જલદી આવ્યા છીએ.' સૂરિજીએ અત્ર એવી પ્રતિજ્ઞા કરી કે જયાં સુધી આમ રાજા પોતે બોલાવવા આવે નહિ, ત્યાં સુધી મારે અહિંથી વિહાર કરે નહિ. એ કહેવું આવશ્યક છે કે આમ નૃપતિ અને ધર્મ નરેશ્વર વચ્ચે દુશ્મનાવટ હતી. આ તરફ સૂરિજી જયારે સવારના આમ રાજા પાસે આવ્યા નહિ, ત્યારે આ રાજાએ સર્વત્ર તપાસ કરાવી, પરંતુ તેમને પત્તો મળે નહિ. આથી રાજાને અત્યંત ખેદ થે. એવામાં “યમ” ઈત્યાદિ કાવ્ય તેના જેવામાં આવ્યું. રાજાએ અક્ષર ઓળખ્યા અને સૂરિજી મને મુકીને અન્યત્ર ચાલ્યા ગયા છે એમ તે સમજે. એક દિવસ આ આમ રાજા વનમાં ક્રીડા કરવા ગયો હતો, ત્યાં તેણે એક શ્યામ સપને છે. તે સપનું મુખ રાજાએ પકડી લીધું અને પછી તે સર્ષને અંગરખાની બાંયમાં ગોપવીને તે સભામાં આવે અને તેણે પડિતોને નીચે મુજબની સમસ્યા પૂછી “સઘં રાત્રે કૃષિવિદ્યા-ડચત્ વા ય ઘેર ગવતિ ” ૧ આ કાવ્યમાં બપ્પભદિજીએ પોતાની સ્થિતિને હંસની સાથે સરખાવી છે. એવી પરિસ્થિતિમાં “ચરણ' શબ્દથી પગ, “આરક્ત” શબ્દથી થોડું રાતું, “સદ્ગતિ'થી સુન્દર ચાલ, કવિ “શબ્દથી બોલનાર, ધવલચ્છદ’થી સફેદ પાંખવાળો અને “માનસી” શબ્દથી માનસ સરોવર એમ અર્થ કરી શકાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004891
Book TitleChaturvinshatika
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherJinshasan Aradhana Trust
Publication Year2006
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy