SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ જિનસ્તુતઃ ચતુર્વિશરા . "नरवाहना शशधरोपलोवला हचिराक्षसूत्रफलविस्फुरत्करा। शुभघण्टिकापविवरेण्यधारिणी મુવિ ત્રિકા મા મદ્દાત્તા ” –'મંજુભાષિણ. -આચાર પત્રાંક ૧૬૨. નિર્વાણ-કલિકામાં પણ આ વિદ્યા-દેવી વિષે ઉલ્લેખ છે. પરંતુ વર્ણ અને વાહન સિવાયની હકીકતમાં ભિન્નતા જણાય છે. કેમકે ત્યાં કહ્યું છે કે – ___" तथा महाकालीदेवीं तमालवर्णा पुरुषवाहनां चतुर्भुजां अक्षसूत्रवान्वितदक्षिणकरामभयgvટારતવામમુ તિ” અર્થાતુ-મહાકાલી દેવીનો વણે તમાલ વૃક્ષના રામાન છે અને તેને પુરૂષનું વાહન છે. વિશેષમાં તેના જમણા બે હાથ જપ-માલા અને વજથી અલંકૃત છે, જ્યારે તેના ડાબા બે હાથ તો અભય અને ઘટથી વિભૂષિત છે. વાહન-વિચાર– ઉપર્યુક્ત મહાકાલી નામની વિદ્યા-દેવીનું સ્વરૂપ વિચારતાં એવો પ્રશ્ન ઉદ્ભવે છે કે શું સ્વર્ગમાં માનવ સદ્દભાવ સંભવી શકે છે? આ પ્રશ્નની સાથે અન્ય પ્રશ્નનો પણ વિચાર કરી લઈએ અને તે પ્રશ્ન એ છે કે શું સ્વર્ગમાં ઉંદર, બિલાડી, સિંહ ઇત્યાદિ જનાવરો તેમજ મર, ગરૂડ ઈત્યાદિ પક્ષીઓ પણ છે ખરાં કે ? કેમકે દેવ-દેવીઓનાં વાહન તરીકે તો આ પ્રાણઓને ઉલ્લેખ કરવામાં આવે છે. આ પ્રશ્નના સમાધાનમાં સમજવું કે જે કે સ્વર્ગમાં યાને ઊર્ધ-લોકમાં એકેન્દ્રિય અને પંચેન્દ્રિય જીવો (નહિ કે બાકીના જીવો)નો સદ્દભાવ છે અને તેમાં પણ પંચેન્દ્રિયના નારક, તિર્યંચ, મનુષ્ય અને દેવ એમ ચાર ભેદો પૈકી ફક્ત દેવોજ સ્વર્ગમાં વસે છે, છતાં પણ ઉપર્યુક્ત હકીકત નીચે મુજબ વિચાર કરતાં સત્ય સમજાય છે. દેવોના ભવનપતિ, વ્યન્તર, જ્યોતિષ્ક અને વૈમાનિક એમ ચાર ભેદો છે. તેમાં વળી ભવનપતિ અને વૈમાનિકના (૧) ઈન્દ્ર, (૨) સામાનિક, (૩) વાયરસંશ, (૪) પારિજ, (૫) આત્મરક્ષક, (૬) લોકપાલ, (૭) અનીક, (૮) પ્રકીર્ણક, (૯) આભિયોગ્ય અને (૧૦) કિલિબષિક એમ દશ અવાન્તર ભેદો છે, જ્યારે વ્યન્તર અને જ્યોતિષ્કના વાયબ્રશ અને લોકપાલ સિવાયના આઠ ભેદ છે. આ ઉપરથી જોઈ શકાય છે કે આભિયોગ્ય એ ચારે પ્રકારના દેવોના એક પિટા-વિભાગનું નામ છે. આ દેવો કિંકરના સમાન છે અને તેથી કરીને તેમને તેમના સ્વામીની સૂચનાનુસાર કાર્ય કરવું પડે છે. અર્થાત્ આ દેવોને તેમના સ્વામીને પોતાની પીઠ ઉપર વહન કરવાનું કાર્ય પણ કરવું પડે છે અને તેમાં પણ તે કાર્ય કરતી વેળાએ સ્વામી જે પ્રકારનું રૂપ તેમને ગ્રહણ કરવાનું કહે, તે રૂ૫ તેઓને ચણ કરવું પડે છે. કોઈક દેવ ગાયનું રૂપ લે છે, તે કોઈક મોરનું, તો કોઈક માનવનું ઈત્યાદિ અનેક રૂપ લે છે. આ ઉપરથી સમજી શકાય છે કે આ કંઈ દેવોનું મૂળ રૂપ નથી. પારિભાષિક શબ્દોમાં કહીએ તો આ તો તેમનું ઉત્તર વૈકિય સ્વરૂપ છે. બાકી તેનું મૂળ રૂપ તો આપણા જેવુંમનુષ્ય જેવું છે. અર્થાત્ આપણે માફક તેને પણ બે હાથ, બે પગ ઈત્યાદિ છે. આથી સમજી ૧ આ છંદને સુનંદિનીના નામથી પણ ઓળખવામાં આવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004891
Book TitleChaturvinshatika
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherJinshasan Aradhana Trust
Publication Year2006
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy