SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ જિનસ્તુતઃ 3 चतुर्विंशतिका. શ્લોકાર્થ જિનેશ્વરને પ્રાર્થના “પર્વતના સમાન શરીર છે જેનું એવા સુવર્ણના રાશિનું વિરતીર્ણ (અર્થાત એક વર્ષ પર્યત) દાન દેવા વડે કરીને જેમણે પ્રાણીઓના 'દારિને દૂર કરીને તેમના (તે) દુઃખરૂપ દુશમનને આ જગતમાં નાશ કર્યો, તે જિનેશ્વરે (હે ભો!) તમારાં પાપને સુતરાં નષ્ટ કરો.”—૨ સ્પષ્ટીકરણ સાંવત્સરિક દાન દરેક તીર્થકર દીક્ષા લે તે પૂર્વે અર્થાત ગૃહ-વાસને ત્યાગ કરે તે પહેલાં એક વર્ષ પર્યત દાન દે છે. આ દાન કરતાં એવી ઉદ્દઘોષણ કરાવવામાં આવે છે કે જે જેનો અર્થી હોય, તેણે આવીને તે ગ્રહણ કરવું. આ પ્રમાણેની ઉદ્દઘોષણાનું શ્રવણ કર્યા બાદ યાચકો પ્રભુ પાસે દાન લેવા આવે છે. ઈન્દ્રના આદેશથી કુબેરે પ્રેરેલા જમ્ભક દેવતાઓ ઘણા સમયથી ભ્રષ્ટ થયેલું, સમશાનાદિક ગૂઢ સ્થલમાં રહેલું, માલિકી વિનાનું એવું રૂપ્ય (રૂપું), સુવણે, રન્નાદિક દ્રવ્ય અનેક સ્થલેથી લાવીને પ્રભુ સમક્ષ હાજર કરે છે. પ્રભુ બરોબર એક વર્ષ સુધી સૂર્યોદયથી માંડીને તે ભોજનના સમય સુધી દાન દે છે અને તેમાં પણ યાચકની પ્રાર્થનાનુસાર તેને દાન દેવામાં આવે છે. છતાં પણ એ ધ્યાનમાં રાખવું કે પ્રભુના અતિશયને લીધે કોઈ પણ યાચક અસંભવિત વસ્તુની કે અમર્યાદિત દાનની યાચના કરી શકતો નથી. દિન-પ્રતિદિન એક ક્રોડ અને આઠ લાખ સુવર્ણનું દાન દેવામાં આવે છે. આ પ્રમાણે ૩૬૦ દિવસ લેખે વર્ષ ગણતાં એક વર્ષમાં તીર્થંકર દીક્ષા લે તે પૂર્વે તે ત્રણસે અધ્યાસી કોડ અને એંસી લાખ (૩૮૮,૮૦૦૦૦૦૦) સુવર્ણનું દાન દે છે. ૧ દારિઘ અને તેનાથી થતી અવનતિ એ સંબંધમાં જુઓ શ્રી ચતુર્વિશતિજિનાનન્દસ્કૃતિના ૧૨ મા પદ્ય ઉપરનું મારું સ્પષ્ટીકરણ (પૃ. ૨૫-૨૬). ૨ ભવ્યના સ્વરૂપ સારૂ જુઓ સ્તુતિ-ચતુર્વિશતિકા (પૃ૦ ૪-૫). ૩-૪ કુબેર અને જુમ્ભક સંબંધી માહિતી માટે જુઓ સ્તુતિ-ચતુર્વિશતિકા (પૃ. ૩૨). ૫ “સુવર્ણ એ સેનાનો સિક્કો છે. (જુઓ મૃચ્છકટિક) વિશેષમાં આશરે ૧૭૫ ગ્રેઈન (ટ્ર) જેટલા સેનાના વજનનું નામ પણ “સુવર્ણ છે. અભિધાન-ચિતામણિ (કા. ૩, ૦ ૫૪૮) માં પણ કહ્યું છે કે “u rN, પરમો નિયતે સમુafa gવળતર પદ્ધ વસ્તુર્મિક્ષ u” -આર્યા. અર્થાત ૮૦ રત્તી યાને ૧૬ માષ અથવા ૧ કર્ષ જેટલા સોનાના વજનને “સુવર્ણ' કહેવામાં આવે છે. આ ઉપરથી એમ પણ માની શકાય કે સુવર્ણ નામના સિકકાનું વજન પણ ઉપર જણાવ્યા મુજબ હોય. વળી એચ. એચ. વિલ્સન (H. H. Wilson)ની ૧૧મી કૃતિ (vol.)ના ૪૭માં પૃષ્ઠ ઉપરથી જોઈ શકાય છે કે આ સિક્કાની કીંમત ઓછામાં ઓછી આશરે ૯ રૂપિયા જેટલી હોવી જોઈએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004891
Book TitleChaturvinshatika
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherJinshasan Aradhana Trust
Publication Year2006
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy