SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ ભૂમિકા. ૪૩ આ પૈકી ડાંક સ્તોત્ર કાવ્યમાલાના સક્ષમ ગુચ્છકમાં પ્રસિદ્ધ થયેલાં છે, જ્યારે કેટલાંક પ્રકરણ-રત્નાકરના બીજા અને ચોથા ભાગમાં દષ્ટિ–ગોચર થાય છે. વળી કેટલાંક સ્તોત્રો તે અનુવાદ સહિત “જૈનસ્તોત્ર તથા સ્તવનસંગ્રહ” એ પુસ્તકમાં પ્રકટ થયેલાં નજરે પડે છે. પરંતુ તેત્રોને મોટો ભાગ હજી અપ્રસિદ્ધ છે એટલું જ નહિ, કિતુ કેટલાંક તે અનુપલભ્ય હેય એમ સંભળાય છે. ખરેખર આ વાત સાચી હોય તો એ જાણીને કયા મનસ્વીને દુઃખ નહિ થાય? કેમકે અપૂર્વ સ્તોત્રો રચવાની વાત તો દૂર રહી, પરંતુ આવા પ્રાચીન સાહિત્યનું સંરક્ષણ કરવા જેટલું પણ કાર્ય જૈન સમાજ ન કરી શકી એ ખેદજનક કથની છે. અન્ય આચાર્યોની જેમ સંસ્કૃત, પ્રાકૃત તેમજ અપભ્રંશ ભાષામાં સ્તુતિ-સ્તંત્ર રચવા ઉપરાંત તેમણે રાષભદેવ સ્તોત્ર ફારસી ભાષામાં રચ્યું છે. આ એમની ભાષા પરત્વેની ઉદારતા સૂચવે છે, કેમકે સંકુચિત દષ્ટિવાળા પૂર્વકાલીન વિછો તે આ ભાષાને ઉરચાર કરતાં પણ અભડાતા એમ નીચે મુજબના કાર્ધ ઉપરથી જોઈ શકાય છે – " न वदे यावनी भाषां, प्राणैः कण्ठगतैरपि" આવી ભાષાવિષયક ઉદારતા ઉપરાંત પર-મત-મીમાંસા પરત્વેની જૈનાચાર્યની ઉદારતા તે મુક્ત કઠે પ્રશંસા કરવા યોગ્ય છે જ. આ અતિશયોક્તિ નથી જ, કેમકે એ વાત શ્રીહરિભદ્રસુરિકૃત શાસ્ત્રવાર્તાસમુચ્ચય, ગદષ્ટિસમુચ્ચય પ્રમુખ ગ્રન્થના નિરીક્ષકથી અજાણ નથી. અલ્લાઉદીનના સમકાલીન આ જૈનાચાર્ય એ બાદશાહની પછી ગાદીએ આવેલા મહમદશાહના દરબારમાં જઈને બાદશાહને પિતાની વિદ્વત્તાથી ચમત્કૃત કરી જૈન ધર્મ તરફ આકર્ષ તેમની સહાનુભૂતિ સંપાદન કરી જૈન મંદિરોનું ધમધ મુસલમાનેથી રક્ષણ કર્યું હતું. આવી રીતે જૈન શાસન તેમજ જૈન સાહિત્યની અનુપમ સેવા બજાવવા બદલ શ્રીજિનપ્રભસૂરિને ખરેખર અભિનન્દન ઘટે છે. તેઓ વિશેષ ધન્યવાદને પણ પાત્ર છે, કેમકે તેઓ ગરછમમતારૂપ મહિનાથી અંજાયા હતા નહિ એટલું જ નહિ, પરંતુ ગુણાનુરાગી હેઈ કરીને તેમણે પિતે રચેલાં સાતસે તેત્રો તપાગચ્છીય શ્રીમતિલકરિને અર્પણ કર્યા હતાં (જુઓ ૫૦ ક૨). વળી કલિકાલસર્વજ્ઞ શ્રીહેમચન્દ્રસૂરિએ રચેલી શ્રી મહાવીર પ્રભુની સ્તુતિરૂપે એવી અન્ય વ્યવચ્છેદિક દ્વાર્વિશિકાની સ્યાદવાદમંજરી નામની ટકા રચવામાં તેના કર્તા ૧ આના પ્રથમ પદ્ય (સટીક)ને શ્રીશોભન મુનીશ્વરકૃત સ્તુતિ-ચતુર્વિશતિકાની ભૂમિકા(પૃ. ૩૨-૩૩)માં મેં ઉલેખ કર્યો છે. આ સમગ્ર સ્તુતિ ટીકા સહિત “જૈન સાહિત્ય સંશોધક'માં પ્રસિદ્ધ થનાર છે એમ સાંભળવામાં આવ્યું હતું તે વાત ખરી પડી છે એટલે હવે આથી તેને સવર પ્રસિદ્ધ કરવાને મારો વિચાર માંડી વાળું છે. ૨ આ ભાષામાં રચાયેલું અને તોતી ઘાંથી શરૂ થતું અને એક પધનું તેત્ર શ્રીજિનભદ્રસૂરિએ રચ્યું છે એમ ઉપયુક્ત શ્રીશાભન-સ્તુતિની ભૂમિકા (પૃ. ૩૨)માં મેં ઉ૯લેખ કર્યો છે, પરંતુ પ્રવર્તકવાળી અને પ્રતિમાં તેના કર્તા તરીકે શ્રીજિનપ્રભસૂરિનું નામ નજરે પડે છે. ૩ આ ગ્રન્થ શક સંવત્ ૧૨૧૪ (વિ. સં. ૧૩૪૯)માં દીવાલીને દિવસે શનિવારે પૂર્ણ કરવામાં આવ્યા હતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004890
Book TitleChaturvinshati Jinanand Stuti
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy