SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ જિગાના, ૧૦૨ શ્રી ચતુર્વિશતિજિનાનન્દરતુતયા [૧૫ શ્રીધર્મમહિના (મૂ૦ મવિર)સંસારીઓના. મવ કલ્યાણ. વિત્ર=પવિત્ર. સતગુમવાર=અત્યન્ત કલ્યાણને માટે, શનિ==ઉત્તર કાળ, પામેરૂ પર્વત). વિરમાયા.=પવિત્ર લખીને લાભ છે જેને માગુ=પ્રભા, તેજ વિષે એ છે ઉત્તર કાળ જેને એવા! | રામાન=મેરૂના જેવું તેજ છે જેનું એવા. બ્લેકાર્થ શ્રીધર્મનાથને પ્રણામ આજનું પુણ્ય ઉત્કૃષ્ટ છે એવા હે (તીર્થંકર) ! જેને વિષે પવિત્ર ( જ્ઞાનાદિક) લક્ષ્મીને લાભ છે એવા ઉત્તર કાળવાળા હે (પંદરમા તીર્થરાજ હે ધર્મ (નાથ ) ! જેની પ્રજા મેરૂ (પર્વત)ના જેવી છે એ તું કે જેનું નામ સંસારી (છ)ના અત્યન્ત કલ્યાણ માટે થયું (અને થાય છે, તેવા, કપટથી વિમુખ તેમજ ભાનુ (નામના) પૃથ્વી પતિના પુત્ર તેને (મારા) પ્રણામ હેજે.”—પ૭ સ્પષ્ટીકરણ ધર્મનાથ-ચરિત્ર જયંતીચરિત્રની ટીકાની પ્રશસ્તિમાં માનતુંગસૂરિને પિતાના ગુરૂ તરીકે ઓળખાવનારા (?) ધર્મચક્રગણિએ સંસ્કૃત ભાષામાં ધર્મનાથ-ચરિત્ર રચ્યું છે. તીર્થંકરનું પુણ્ય આ લેકમાં તીર્થકરને ઉત્કૃષ્ટ પુણ્યશાળી તરીકે ઓળખાવ્યા છે તે વાસ્તવિક છે, કેમકે કર્મ-પ્રકૃતિના પાડવામાં આવતા શુભ અને અશુભ યાને પુણ્ય-પ્રકૃતિ અને પાપ-પ્રકૃતિઓ એમ બે વિભાગમાં સમસ્ત પુણ્ય-પ્રકૃતિમાં તીર્થકર-નામ-કર્મ પ્રથમ સ્થાન ભોગવે છે. આ કર્મ ઉદયમાં આવતાં તીર્થંકર યથાર્થ રીતે તીર્થંકર બને છે. અર્થાત્ ભવિષ્યમાં વાસ્તવિક તીર્થકરત્વ પ્રાપ્ત કરનારા હોવાને લીધે જન્મથી તીર્થકર તરીકે જે ઓળખાતા હતા, તે હવે ખરેખર તીર્થકર થાય છે. આ નામ-કર્મના પ્રતાપથી તેઓ અનેક અતિશયે, દેવકૃત સમૃદ્ધિ વિગેરેથી અલંકૃત બને છે તેમજ આને લઈને તે તેઓ “તીર્થ” પ્રવર્તાવે છે. આવી વિશેષતાઓને અન્ય સર્વમાં સહજ અભાવ હોવાને લીધે તે તે વ્યકિતઓને “સામાન્ય-કેવલી” તરીકે સંબોધવામાં આવે છે. વળી એવા કેવલ-જ્ઞાનીએ તીર્થંકરની પર્ષદામાં હાજર રહે છે એટલું જ નહિ, પરંતુ તેમને પ્રદક્ષિણા પણ દે છે. આ બધું તેમનું અસાધારણ પુણ્ય સૂચવે છે. પ્રભુના નામને પ્રભાવ– અત્ર ધર્મનાથની સ્તુતિ કરતાં જે એમ કહેવામાં આવ્યું છે કે આપનું નામ માંગલ્યકારી છે તે યથાર્થ છે, કેમકે માનતુંગસૂરિએ પણ ભક્તામર સ્તોત્રના ૩૬ મા અને ૩૭ મા પદ્યમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004890
Book TitleChaturvinshati Jinanand Stuti
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy