SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ કિંચિત્ વક્તવ્ય અક્ષરે છે.) આથી કરીને હું અત્ર તેમને પણ ઉપકાર માનું છું. વળી શ્રી શોભન મુનિવર્યકૃત સ્તુતિ-ચતુર્વિશતિકાનાં યુફે તપાસવામાં જેમ મને આનન્દસાગરસૂરિજી તરફથી તેમજ મારી ધર્મપત્ની તથા મારા લઘુ બધુ છે. મલાલ તરફથી સાહા મળી હતી, તે વાત આ ગ્રન્થને પણ કેટલેક અંશે લાગુ પડે છે. કેટલેક અંશે એમ કહેવાનું કારણ એ છે કે આ ગ્રન્થના લગભગ ૬૪ પાનાં છપાઈ ગયાં હતાં ત્યાર પછી પ્રસંગ નીકળતાં આ ગ્રન્થનાં બીજી વારનાં પ્રક્ષે તપાસી જવા સ્વર્ગસ્થ શ્રીમઉમંગવિજયગણિના શિષ્યરત્ન અનુગાચાર્ય શ્રીક્ષાતિવિજયે હા પાડી (આ બદલ હું તેમને જણી છું). આથી આનન્દસાગરસૂરિજી ઉપર પ્રફે મોકલી તેમને અમૂલ્ય સમય રે મને ઉચિત જણાયે નહિ. આ ઉપરાંત એ પણ કારણ હતું કે તેઓ વિહારમાં હોવાથી તેમને સમય પણ ઘણે ઓછો રહેતે હતે. આ પુસ્તક છપાતું હતું તે દરમ્યાન તેને સાંગોપાંગ બનાવવાની ઇચ્છાથી હું શબ્દ-કેષ, પદ્યાનુક્રમણિકા, ભૂમિકા વિગેરે તૈયાર કરતે ગયે. મૂળ કાવ્યના ઉપર ગ્રન્થકારે ટુંકમાં વિવરણ કરેલું હોવાથી આ કાવ્યના ઉપર વિશેષ પ્રકાશ પાડો બાકી રહેલ છે એમ મને લાગ્યું. એથી અને ખાસ કરીને સંસ્કૃત ભાષાના અપ અભ્યાસીઓ યમકમય પદ્ય સુગમતાથી સમજી શકે તે ઈરાદાથી મેં સમાસ-વિગ્રહનું પ્રકરણ પણ તૈયાર કર્યું (આ હેતુપૂર્વક મેં શ્રીબમ્પભદિસૂરિકૃત ચતુર્વિશતિકામાં પણ આવા પ્રકરણને સમાવેશ કર્યો હત). વિશેષમાં તિ–ચતુર્વિશતિકાદિકની જેમ આ પુસ્તકમાં પણ પરિશિષ્ટ આપવામાં આવેલ છે. તેમાં પ્રથમ પરિશિષ્ટ તરીકે જે શ્રીમતિલકસૂરિકૃત સાધારણજિનસ્તુતિ આપી છે. તેની અવચરિ સહિત એક નકલ લખીને મારા ઉપર સ્વર્ગસ્થ જૈનાચાર્ય ન્યાયનિધિ શ્રીવિજયાનંદસૂરીશ્વરના શિષ્ય-રત્ન દક્ષિણવિહારી મુનિરત્ન શ્રીઅમરવિજયના શિષ્યવર્ય મુનિરાજ શ્રી ચતુરવિજયે મોકલી આપી હતી. દ્વિતીય પરિશિષ્ટમાં આપેલી શ્રી રવિસાગરકૃત શ્રીગૌતમતુતિ અન્વયાંક સહિત તેઓએ લખી મોકલી હતી એટલું જ નહિ, પણ તેને અર્થ સહેલાઇથી ધ્યાનમાં આવે તેટલા માટે તેમણે તેની અવસૂરિ પણ રચી મોકલી હતી. વિશેષમાં ક્ષાન્તિવિજયજીએ વિહાર શરૂ કરેલો હોવાથી પરિશિષ્ટનાં તેમજ ભૂમિકાનાં બીજી વારનાં પ્રફે તપાસી જવામાં તેઓ સહાયભૂત થયા હતા જેથી કરીને તેમજ ભૂમિકામાં કેટલેક સ્થળે તેમણે જે અમૂલ્ય સૂચનાઓ પણ કરી હતી તે બદલ હું અત્ર તેમને ઉપકાર માનું છું. અત્ર મારે એ નિવેદન કરવું જોઈએ કે બે પરિશિષ્ટો છપાઈ ગયાં ત્યાર પછી બાકીનાં પરિશિષ્ટ હું છપાવવાની તૈયારીમાં હતું તેવામાં મારા સ્વર્ગસ્થ પિતાશ્રીને અને ખાસ કરીને મારા પિતામહને જૈન ધર્મથી વિશેષ પરિચિત કરાવનારા મુનિરો પૈકી પ્રવર્તક શ્રી કાન્તિવિજયના અમૂલ્ય ગ્રન્થ-ભંડારમાંથી શ્રીમતિલકસૂરિકૃત સાધારણજિનસ્તુતિની પણ અવચૂરિવાળી બે પ્રતિઓ તેમજ શ્રી જિનપ્રભસૂરિકૃત શ્રી અજિતજિનતેત્રની આસપાસ ટિપ્પણવાળી એક પ્રતિ મને આ મુનિવર્યના શિષ્ય-રત્ન મુનિરાજ શ્રી ચતુરવિજયે મોકલી આપી. આ બદલ હું એમને અણું છું. સાધારણ-સ્તુતિની બે પ્રતિઓ પૈકી એક તે તદન નવીન વિ. સં. ૧૯૭૫ માં લખાયેલી છે. બીજી પ્રતિ આનાથી પ્રાચીન છે ખરી, પરંતુ તે અપૂર્ણ છે. આ પ્રતિમાં દેઢેક લેવીજ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004890
Book TitleChaturvinshati Jinanand Stuti
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy