SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ કિંચિત્ વક્તવ્ય * ‘ શ્રીચતુર્વિંશતિજિનાનન્દસ્તુતિ' નામના આ કાવ્યનું પ્રથમ દર્શન તે મને ઇ. સ. ૧૯૧૫માં થયું હતું. પ્રસંગ એમ બન્યા હતા કે ઇ. સ. ૧૯૧૪ માં હું બી. એ. ( B. A. Honours ) ની પરીક્ષામાં ઉત્તીર્ણ થયે તે સમયે આ પરીક્ષામાં ઊંચે નંબરે પસાર થયેલા જૈન વિદ્યાર્થીને શ્રેષ્ઠિ દેવચંદ લાલભાઈ જૈન પુસ્તકાષ્ઠાર ફ્રેંડ તરફથી સંસ્કૃતના ગ્રન્થા ભેટ આપવામાં આવશે એમ જાહેર કરવામાં આવ્યું હતું. આ જાહેર ખબર વાંચીને મેં આ સંસ્થાના માનદ મન્ત્રી ઉપર અરજી કરી. તેના પરિણામ તરીકે અન્ય પુસ્તકોની સાથેાસાથ આ કાવ્ય પશુ મને ભેટ તરીકે મળ્યું. આને નિહાળતાંજ મને અતિશય આનન્દ થયા અને સ્વાભાવિક રીતે તેના અભ્યાસ કરવા મારૂં મન લલચાયું. પરંતુ તે સમયે મારા સંસ્કૃતના યથાયોગ્ય અભ્યાસ નહિ હોવાને લીધે આ કાવ્ય હું ખરાખર સમજી શક્યો નહિ, એટલે મારા અભ્યાસને દૃઢીભૂત કરવાને અંગે તેનું ભાષાંતર કરવાની વાત મારે પડતી મૂકવી પડી. ત્યારબાદ ઇ. સ. ૧૯૨૩માં શ્રીશાલન મુનીશ્વરકૃત સ્તુતિ-ચતુર્વિશતિકાનું ભાષાંતર કરતી વેળાએ આ કાવ્યનું મને સ્મરણ થઇ આવ્યું. બી. એ. ની પરીક્ષા પસાર કર્યાં પછી અને ખાસ કરીને એમ. એ. ની પરીક્ષામાં ઉત્તીર્ણ થયા ખાદ મેં સંસ્કૃતના વિશેષતઃ અભ્યાસ કરવા માંડ્યો હતા. તેથી કરીને મેં આ કાવ્યનું ભાષાંતર કરવા ફરીથી પ્રયાસ કરી જોયેા. આ પ્રયાસનું પરિણામરૂપ આ ગ્રન્થ છે એમ સહેજ સમજી શકાય તેમ છે એટલે તે વિષે ઉલ્લેખ કરવા હવે બાકી રહેતા નથી. ગ્રીષ્મ—ઋતુના પ્રખર તાપથી પીડિત થયેલા ધનિકા શીતળ ટેકરી તરફ પ્રયાણ કરે છે, તેમ મેં પણ જૈન સાહિત્યરૂપી શીતળ ટેકરીના આશ્રય લીધા અને તેમાં મે' સાંસારિક તાપથી તખ્ત થયેલા મારા મનને આ કાવ્યરૂપી વાયુની લહરીથી શાંત કરવા પ્રયત્ન કર્યાં. આ વાયુના પ્રભાવ કંઈ આરજ હતા. તેના લાભ અન્યને પણ મળવા જોઇએ, તેની ખૂબીથી સંસ્કૃતના અલ્પ– અભ્યાસી જનાને પણ પરિચિત કરવા જોઇએ ઇત્યાદિ વિચારો આવતાં તેના પરિણામ તરીકે મેં પદ્યના પદચ્છેદ્યાત્મક અન્વય તથા શબ્દાર્થ તેમજ ગૂજર ગિરામાં Àાકાર્થ અને સ્પષ્ટીકરણ તૈયાર કરવા માંડ્યાં. આ પ્રમાણે આ કાવ્ય તૈયાર કરીને શ્રીશાસન-સ્તુતિની પ્રસ્તાવનામાં પ્રદર્શિત કરેલ પ્રસંગ પ્રાપ્ત થતાં મેં તૈયાર કરેલી મુદ્રણાલય-પુસ્તિકા (પ્રેસ-કૉપી) આગમાદ્ધારક જૈનાચાર્ય શ્રીઆનન્દસાગરસૂરિના ઉપર માકલી આપી. તેઓશ્રીએ મારી પ્રેસ-કૉપી સાવંત તપાસી જવા તેમજ કેટલેક સ્થળે સુધારા-વધારા પણુ સૂચવવા કૃપા કરી; આથી હું તેમને ઋણી છું. વિશેષમાં એ પણ ઉમરેવું આવશ્યક સમજાય છે કે આ કાવ્યનું સંશોધન કરવામાં મારે હસ્ત–લિખિત પ્રતિના ખપ હાવાથી મેં તે ખાખત જૈનશાસનપ્રભાવક, પાશ્ચાત્ય વિદ્-વર્ગ સાથે પ્રથમ પત્રવ્યવહાર શરૂ કરનારા, ન્યાયાંભાનિધિ સ્વર્ગસ્થ આચાર્ય શ્રીવિજયાનંદસૂરિ (આત્મારામજી મહારાજશ્રી ના પટ્ટધર પંજાખકેસરી શ્રીવિજયવલ્લભસૂરિને લખી જણાવી. એટલે તેશ્રીએ હાશીયારપુરથી મને એક સુંદર અક્ષરાથી અલંકૃત શુદ્ધ પ્રતિ માકલી આપી. ( આ ૧૨ પત્રાત્મક પ્રતિના મધ્યમાં મૂળ કાવ્ય આપવામાં આવેલું છે અને ઉપર નીચે ટીકા છે. અર્થાત્ આ ત્રિપાઠી પ્રતિ છે. પ્રત્યેક પત્રની બંને બાજુ ઉપર ૧૭ પંક્તિઓ છે અને દરેક પંક્તિમાં લગભગ ૫૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004890
Book TitleChaturvinshati Jinanand Stuti
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy