SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ 50 શ્રીચતુર્વિશતિજિનાનન્દસ્તુત: 7 શ્રીમધિફાર્મમાાનિ=સુખની કાંતિ વડે શોભતા. | દુર =સૂર્ય. નમ (ઘાનમ)=તમે નમસ્કાર કરો. માનતા માનવેનં અભિમાનરૂપ રાત્રિ પ્રતિ નવીન તમા=નિશા, રાત્રિ. સૂર્યસમાન, બ્લેકાર્થ પ્રવચનને પ્રણામ– સમરત પદાર્થોના સમૂહ વડે વ્યાપ્ત એવા, તથા તીર્થકરે રચેલા (પ્રરૂપેલા) એવા, વળી નમસ્કાર કર્યો છે નરેન્દ્રોએ જેને એવા, તથા લીલાપૂર્વક તિરરકાર કર્યો છે પાપને જેણે એવા તેમજ ગરૂપી રાત્રિને અંત આણવામાં નવીન (અર્થાત્ ઉદય પામતા) સૂર્યસમાન એવા સિદ્ધાન્તને હે સૂરિઓના સમુદાયે ! તમે સુખની પ્રભા વડે સુશોભિત એવા પાને માટે પ્રણામ કરે.”—૨૭ સ્પષ્ટીકરણ શું મુક્તિમાં સુખ છે - કેટલાકેની એવી માન્યતા છે કે મુક્તિમાં વાડી, ગાડી કે લાડી નહિ હોવાથી ત્યાં સુખ સંભવી શકે નહિ. આ વાત એક રીતે ખરી છે, કેમકે અણ કર્મથી મુક્ત થયેલા જવને ત્યાં અવાસ્તવિક–પગલિક સુખને સંભવ નથી. પરંતુ મુક્તિમાં આત્મિક-સર્ગિક સુખને પણ અભાવ છે એમ માનવું તે સયુક્તક નથી. આ પરત્વે અ* વિચાર કરો આવશ્યક સમજાય છે. એ તે સહજ સમજી શકાય છે કે દરેક પ્રાણી સુખની અભિલાષા રાખે છે. આવી પરિ સ્થિતિમાં કયો વિદ્વાન્ સુખથી રહિત એવી મુક્તિને સારૂ પ્રયત્ન કરે? કેમકે જે મુઠનાવસ્થામાં જીવ પાષાણુ જે જડરૂપ જ બની જાય, તે મુક્તાવસ્થા કરતાં તે સાંસારિક અવસ્થા હજાર દરજજે સારી. કારણ કે આ સંસારમાં તે કવચિત્ પણ સુખને લાભ મળી શકે છે. આથી કરીને તે ગૌતમ મહર્ષિએ કહ્યું છે કે "वरं वृन्दावने रम्ये, कोष्टत्वमभिवाञ्चितम् / / न तु वैशेषिकी मुक्तिं, गौतमो गन्तुमिच्छति // " અર્થા–રમણીય વૃન્દાવનમાં શિયાળ તરીકે ઉત્પન્ન થવાની અભિલાષા રાખવી એ વેશે. વિકે માનેલી મુક્તિ મેળવવાની ઈચ્છા રાખવા કરતાં વધારે પસંદ કરવા જેવું છે અને એથી કરીને તે ગૌતમ આવી મુક્તિ માં જવા ઈચ્છતા નથી. અત્રે એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે “સુલત્યન્તામાવો દિ " અર્થાત “દુઃખને અત્યંત અભાવ એ મેક્ષ છે” એમ માનવામાં આવે તે શું વાંધે છે? આના સમાધાનમાં સમજવું કે ખરહિત બનવાનો પ્રયાસ કરવામાં પણ એ હેતુ સમાયેલું છે કે તેમ કરવાથી સુખ પ્રાપ્ત થાય; બાકી તે મૂછ, નિદ્રા ઈત્યાદિ અવસ્થામાં શું દુઃખનો અભાવ અનુભવાતે નથી વાર? કહ્યું પણ છે કે - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004890
Book TitleChaturvinshati Jinanand Stuti
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy