SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ચતુર્વિશતિજિનાનનાસ્તુતઃ [ ૩ શ્રીસંવએ તે જગજાહેર હકીકત છે કે દરિદ્રના મને મનમાં ને મનમાં જ સમાઈ જાય છે. વળી ધનિકના નહિ સગાં પણ સગાં થવા તૈયાર થઈ જાય છે, જ્યારે દરિદ્રને તે સ્વજન પણ પરજનની ગરજ સારે છે, અને એટલું જ નહિ પણ તેની સ્ત્રી પણ ભેગોગે કુભાય હોય તે તે પણ તેનો તિરસ્કાર કરે છે. વિશેષમાં દરિદ્ર અને ચાણડાલમાં કઈ બહુ ભેદ નથી, કેમકે જેમ ચાહડાલની પાસેથી તે અસ્પૃશ્ય હેવાને લીધે કઈ કઈ લેતું નથી, તેમ દરિદ્ર કેઈને પણ કંઈ આપતે નથી. વળી જેમ મરનારો મનુષ્ય ગદગદ કંઠે બેલે છે અને તેના મુખ પર પરસેવાનાં બિન્દુએ દષ્ટિગોચર થાય છે તેમજ તેને ચાહે ફિકો પડી ગયેલ હોય છે, તેવી વાત હરિને વાચકને પણ લાગુ પડે છે. આ ઉપરાંત જેને ઘેર પુત્ર ન હોય, તેનું તે ફક્ત ઘર શૂન્ય ગણાય છે, અને મૂર્ખના સંબંધમાં તે દિશાઓજ શુન્ય લેખાય છે, જ્યારે દરિદ્ર આશ્રીને તે સમસ્ત જગત શુન્ય છે. એમ કહેવાય છે કે હમેશાં પ્રવાસમાં જીવન વ્યતીત થાય તે કષ્ટકારી છે, પરંતુ તેનાથી પણ વિશેષ કષ્ટદાયક તે પરના ઘરમાં નિવાસ કરે તે છે; અને એથી પણ વધારે કહેશજનક વાત છે નીચ મનુષ્યની સેવા ગણાય છે. પરંતુ આ બધાં કરતાં દુઃખની અપેક્ષાએ ચડિયાતી વસ્તુ તે દરિદ્રતા છે. હજી એકલી દરિદ્રતા હોય તે તે ઠીક છે, પણ સાથોસાથ તપશ્ચર્યાને અભાવ હોય, તે તે પછી થઈ રહ્યું. આ સંબંધમાં નીચેને ક વિચારવા જેવો છે – “द्वाविमावम्भसि क्षेप्यौ, गाढं बद्ध्वा गले शिलाम् । भनिनं चाप्रदातारं, दरिद्रं चातपस्विनम् ॥" અર્થાત–પનિક હાઈ કરીને જે દાન તે ન હોય અને દરિદ્ર હેઈ કરીને જે તપશ્ચર્યા કરતે ન હોય, તે બંનેના ગળામાં મજબૂત રીતે શિલા બાંધીને તે બંનેને જલમાં ડૂબાડી દેવા જોઈએ. આ ઉપરથી જોઈ શકાય છે કે દરિદ્રતા એ સર્વ આપદાઓનું મૂળ છે. કહ્યું પણ છે કે– "दारिद्याद्धियमेति हीपरिगतः सत्वात् परिभ्रश्यते निःसत्वः परिभूयते परिभवानिर्वेदमापद्यते। निर्विण्णः शुधमेति शोकनिहतो बुया परित्यज्यते। ___ निबुद्धिः क्षयमेत्यहो । निधनता सर्वापदामास्पदम् ॥" અથ-દરિદ્રતાને લઈને તે મનુષ્ય શરમાઈ જાય છે અને શરમને માયા તે સત્વથી 8 થાય છે. આ પ્રમાણે નિઃસવ બને તે મનુષ્ય પરાભવને પામે છે અને તેમ થતાં તે નિર્વેદી બની જાય છે. તેનું પરિણામ એ આવે છે કે તે શોકાતુર બને છે. આમ થતાં તે બુદ્ધિ-હીન બને છે અને મતિ-ભ્રષ્ટ થવાથી તે તેને નાશ થાય છે. આ ઉપરથી સમજી શકાય છે કે દરિદ્રતા એ સમસ્ત આપત્તિનું કારણ છે. ૧ સરખા "चाण्डालश्च दरिद्रश, द्वावेतौ सदृशाविह। चाण्डालस्य न गृहन्ति, दरिद्रो न प्रयच्छति।" Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004890
Book TitleChaturvinshati Jinanand Stuti
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy