SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ ભક્તામર ] श्रीविनयलाभगणिगुम्फितम् ૧૫૭ વિડન્ત થતિ અનન્ત: અર્થાતુ અવિદ્યમાન છે અન્ત જેને એ અનન્ત શબ્દને વ્યુત્પત્તિઅર્થ છે. એકંદર રીતે ત્રણ પ્રકારના અનત કલ્પી શકાય છે –(૧) અનાદિ અનન્ત, (૨) સાદિ અનન્ત અને (3) અનાદિ સાત. આમાંથી અનાદિ-અનન્ત એ સૈાથી મોટામાં મોટું અનન્ત છે; જ્યારે બીજા બે એકમેકથી આધક, ન્યૂન કે સમાન પણ છે, કેમકે આ બંનેના અનન્ત પ્રકારે છે. જે જીવો અનાદિ સૂક્ષ્મ-નિગોદને નામે ઓળખાતી અવ્યવહાર રાશિમાંથી હજી સુધી કોઈ પણ વાર વ્યવહાર-રાશિમાં આવ્યાજ નથી અને હવે પછી પણ કદાપિ આવનાર નથી તેમની ત્યાંની રિથતિ અનાદિ-અનન્ત છે અર્થાતુ અનન્ત કાળની છે. પરંતુ આ પણ એક ભવ આશ્રીને તે નહિ. અવ્યવહાર રાશિમાંથી જે સમયે જેવો વ્યવહાર રાશિમાં આવે છે તે સમયે જો તેની સ્થિતિ પૂર્વાવરથા આશ્રીને વિચાર કરવામાં આવે તો તેની નિદરથે રિથતિ અનાદિ-સાન્ત કહી શકાય છે અર્થાત્ આ પણ અનન્ત કાળની છે. પરંતુ તે ઉપર્યુક્ત જીવોની રિથતિથી ઓછી છે. સાદિ-અનન્ત રિસ્થતિ વ્યવહાર રાશિમાં આવેલા કોઈ સંસારી જીવની હોય તે તે સર્વ અભની છે, પરંતુ તે પણ ગમે તે એક ભવ આશ્રીને તે નહિ. એકજ રૂપે આવી સ્થિતિ તે શુદ્ધ પરમાત્માની જ છે, કેમકે તેઓએ સંસારને ઉછેદ કરી સિદ્ધિ-શિલા પ્રતિ ગમન કર્યું ત્યાર પછી તેઓ ત્યાંજ નિવાસ કરીને રહ્યા છે અને રહેશે અર્થાત્ તેમની આ પંચમ ગતિને આશ્રીને વિચારવામાં આવતી રિથતિ સાદિ-અનન્ત છે. - આ ઉપરથી જોઈ શકાશે કે કોઈ પણ જીવની વ્યવહાર રાશિ પિકી કોઈ પણ ગતિમાં એકજ ભવ આશ્રીને અનન્તકાળ કે જેને આપણે સાદિ-અનન્ત તરીકે ઓળખાવી શકીએ તેવી સ્થિતિ નથી જ. વિશેષમાં સમ્યક્ત પ્રાપ્ત ક્ય પછી જીવને સંસારમાં વધારેમાં વધારે કેટલા વખત સુધી રહેવું પડે એના ઉત્તરમાં કિંચિત્ જૂન અર્ધપુણલપરાવર્ત ” એવો જે ઉલ્લેખ શાસ્ત્રમાં દૃષ્ટિગોચર થાય છે, તેને પણ અનંત કાળ તરીકે શાસ્ત્રકારે ઓળખાવે છે. પરંતુ ઉપર્યુક્ત જીવની આ સાંસારિક સ્થિતિ સાદિ-સાન્ત હોવાથી તેને અનન્ત કેમ કહેવાય એ જાણવું બાકી રહે છે. શું આ સ્થળે અનન્ત શબ્દનો અર્થ ધણેજ લાંબો કાળ એમ કરવામાં આવે તે ખોટું ગણાય ? આ ઉપરથી એ ફલિતાર્થ થાય છે કે અવ્યવહાર રાશિને ઉદેશ ર્યા વિના કોઈ પણ જીવ સંસારમાં અનન્ત કાળ પરિભ્રમણ કરતે હોય તો તે અભવ્ય છે. બાકી ભવ્ય જીવોની સાંસારિક રિથતિ વ્યવહાર રાશિની અપેક્ષાએ તે સાદિ-સાન્તજ છે. चञ्चत्तमालदलकज्जलनीलभासि नीरन्ध्रसन्तमसि दुष्कमध्वप्रक्लप्ते? तस्मिन् विभाति वदनं परमं त्वदीयं बिम्ब रवेरिव पयोधरपार्श्ववर्ति ॥ २८ ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004889
Book TitleKavya Sangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherJinshasan Aradhana Trust
Publication Year2004
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy