SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ વીરભક્તામર [ શ્રીધર્મવર્ષન9ત માયાવી પુરૂષ અન્યને છેતરી શકે એમાં નવાઈ જેવું નથી, પરંતુ ખાડો ખોદે તે પડે એ કહેવત મુજબ માયાવી પોતાના આત્માને છેતરે છે. આ વાતની નીચેને લોક સાક્ષી પૂરે છે. “દિgટવા પાપા, માથા વત્તા भुवनं वञ्चयमाना, वञ्चयन्ते स्वमेव हि ॥" –ગશાસ્ત્ર, પ્ર. ૪, ૦ ૧૬. અર્થાતુ–કુટિલતામાં કુશળ અને માયા વડે બકવૃત્તિને ધારણ કરનારા એવા પાપીઓ જગતુને ઠગતાં પોતેજ ગાય છે. માયારૂપી મહારાક્ષસીના પંજામાં અનેક જ સપડાઈ જાય છે. જુગારીઓ તેમજ વેશ્યાએ પ્રપંચ-જાળ પાથરવામાં કચ્ચાસ ન રાખે એમાં કંઈ આશ્ચર્ય નથી. પરંતુ કેટલાક વ્યાપારીઓ અને રાજાઓ પણ કુટિલતાને ઉપગ કરવામાં પાછી પાની કરતા નથી. અરે આ તે ગૃહરોની વાત કરી, પરંતુ કેટલાક સંન્યાસીઓ અને નામધારી જોગીઓ પણ માયાદેવીના ભક્ત બને છે. આથી કરીને તે કહેવામાં આવે છે કે– મુખમેં રામ, બગલમેં છુરી, ભગત ભયે પણ દાનત બુરી.” પરંતુ યાદ રાખવું જોઈએ કે “દગો કોઈનો સગો નથી. તેને અલ્પ સહવાસ પણ અનર્થનું કારણ થઈ પડે છે. કહ્યું પણ છે કે – " दम्भलेशोऽपि मल्लयादेः, स्त्रीत्वानर्थनिबन्धनम् । अतस्तत्परिहाराय, यतितव्यं महात्मना ॥" અથ–મહિલનાથ જેવા તીર્થંકરાદિક મહાત્માઓને પણ (પૂર્વ જન્મમાં તપસ્યા માટે કરેલો) દંભને અંશ પણ સ્ત્રી-દરૂપ અનર્થનું કારણ થઈ પડ્યો, તો તેથી કરીને મહાત્માએ તેને ત્યાગ કરવા પ્રયત્ન કરવો જોઈએ (એટલે કે માયારૂપી મહારાક્ષસીના ફંદમાં ફસાયેલાને મુક્ત કરનારી એવી સરલતારૂપી સૈભાગ્યદેવીની સેવા સ્વીકારવી જોઈએ). લેભ– આ ત્રિભુવનમાં કોઈનું પણ એકછત્ર સામ્રાજ્ય હોય, તે તે લેભ રાજાધિરાજનું છે, કેમકે તેનું બળ તે એકેન્દ્રિયના ઉપર પણ ચાલે છે. એના સમર્થનમાં કહેવાનું કે– “મો હોમ સાન્નિ- વિવં મીત तरवोऽपि निधि प्राप्य, पादैः प्रच्छादयन्ति यत् ॥" અર્થાત્ –અહો ! ભૂમંડળમાં લેભનું એકછત્ર સામ્રાજ્ય છે, કેમકે નિધાનને પ્રાપ્ત કર્યા બાદ વૃક્ષો પણ તેને પોતાનાં મૂળ વડે ઢાંકી રાખે છે. ૧ રાજાધિરાજ કહેવાનું કારણ એ છે કે લેભનું રાજ્ય ચક્રવર્તીના કરતાં પણ વિશાળ છે અને તેનું ક્ષેત્ર ફક્ત મર્ય-કજ નથી, પરંતુ સ્વર્ગ અને પાતાલમાં પણ તેની વિજય-પતાકા ફરફરી રહે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004888
Book TitleKavya Sangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherJinshasan Aradhana Trust
Publication Year2004
Total Pages224
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy