SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ वीरभक्तामरम् ] વીરભક્તામર અથતુ–અરે ! ધ આત્માને પ્રતિક્ષણ પરિતાપ કરે છે, જન્માક્તરમાં પણ અત્યંત વેરની પરપરાનું પોષણ કરે છે, પરિજનને ( સ્વજનને) શોકાતુર કરે છે અને સદ્ગતિના માર્ગને નિરોધ કરવામાં ગન્ધ-હરતીની ગરજ સારે છે; વાસ્તે આ દેધરૂપી વૈરીને એક ક્ષણ વાર પણ સ્થાન કેમ અપાય ? ધના સંબંધમાં શ્રીમેરવિજયવિરચિત ચતુર્વિશતિજિનાનન્દસ્તુતિ (પૃ. ૨૨)માં તથા સ્તુતિ ચતુર્વિશતિકા (પૃ. ૧૫૧)માં વિશેષતઃ વિચાર કરેલું હોવાથી આ સંબંધમાં તે આટલું નિવેદન કરવું બસ સમજાય છે. માન– માનના સંબંધમાં પણ સ્તુતિ-ચતુર્વિશતિકા (પૃ. ૫-૫૪)માં ઉલ્લેખ કરેલ હોવાથી અહિંઆ તેના સ્વરૂપ ઉપર પ્રકાશ પાડનારો ફક્ત એકજ લોક વિચારી લઈએ. "भ्राम्यत्यूर्ध्वमुखः क्षमो नमयितुं पूज्येऽपि नो कन्धरा__ मन्तःक्षिप्तकुशीलतावशतनुः प्राणी यदध्यासितः। तं मानं विपदां निधानमयशोराशेर्निदानं सदा मुक्त्वा मार्दवमादरेण महता चेतः । समभ्यस्यताम् ॥" –સંવેગ, લે છે. અર્થાતુ–હે મન ! જ્યારે માનના સેવનથી પ્રાણ-દેહી અતઃકરણમાં બેસી દીધેલી લોખંડની સળીથી ( અથવા દુષ્ટ આચરણથી ] જકડાઈ જાય છે અને એથી કરીને ઊંચું મુખ રાખીને ચાલતે તે માણસ પૂજનીય પ્રતિ પણ પિતાની ગરદન નમાવવાને સમર્થ થતો નથી, તે પછી આપત્તિઓના ભંડારરૂપ અને અપકીર્તિના સમૂહના કારણરૂપ એવા માનને ત્યાગ કરીને મેટા આદરપૂર્વક તારે મૃદુતા (નરમાશ) મેળવવા પ્રયાસ કરવો જોઈએ. માયા– માયા કહે કે કપટ કહે કે દો કહે એ બધું એકજ છે. દંભ, કુટિલતા, પ્રપંચ, વિશ્વાસઘાત અને ઠગાઈ એ એના પર્યાય છે. અસત્ય વચન બોલાવનારી, અધ્યાત્મ સુખને અટકાવનારી, આચાર-વિચારને જલાંજલિ અપાવનારી અને સક્રિયાને આચ્છાદિત કરનારી એવી આ માયાને શ્રીમાન હેમચન્દ્રસૂરિ તરફથી નીચે મુજબનું પ્રમાણપત્ર મળેલું છે. " असूनृतस्य जननी, परशुः शीलशाखिनः। जन्मभूमिरविद्यानां, माया दुर्गतिकारणम् ॥" –ગશાસ, પ્ર. ૪, શ્લે ૧૫. અર્થાતુ–માયા એ મૃષાવાદ ( અસત્ય)ની માતા છે, શીલરૂપી વૃક્ષને (કાપનારી) કુહાડી છે, અવિધાની જન્મભૂમિ છે અને કુગતિનું કારણ છે. ૧ સરખા “મો મુnિewતાહિ- દુ ક્રિયાપિ दौर्भाग्यकारणं दम्भो, दम्भोऽध्यात्मसुखार्गलः ॥" For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004888
Book TitleKavya Sangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherJinshasan Aradhana Trust
Publication Year2004
Total Pages224
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy