SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ वीरभक्तामरम् ] વીરભક્તામર ગેલા છે. વિશેષમાં બ્રાહ્મીને જન્મ પણ તેમની સાથેજ થયું હતું, અર્થાતુ સમંગલા દેવીએ ભરત અને બ્રાહ્મીના યુગલને જન્મ આપ્યો હતો. અપર માતા સુનંદા દેવીના બાહુબલિ પ્રમુખ ૯૯ પુત્ર તેમના ભાઇઓ થતા હતા અને સુન્દરી નામની પુત્રી એ તેમની બેન થતી હતી. તેઓ ભરતક્ષેત્રના છ ખંડ સાધીને ચક્રવર્તી બન્યા હતા. દરેક ચક્રવર્તીની પાસે જેમ ચૌદ રે હોય છે, તેમ તેમની પાસે પણ હતાં. સાધારણ રીતે એમ કહેવાય છે કે ગૃહવાસમાં કેવલિજ્ઞાન થવું મુશ્કેલ છે, પરંતુ આ મહાત્માને તેનું જ્ઞાન પણ પોતાના રાજ્યભવનમાં રહેવા છતાં થયું હતું, એ તેમની બલિહારી સૂચવે છે. કિન્તુ આનું કારણ એ છે કે જે કે તેઓ તે વખત સંસારરૂપી કાદવમાં રહેતા હતા, છતાં તેમનું હૃદયરૂપી કમલ તો નિર્લેપજ હતું. તેઓ તે વખત “નિત્ય નૈસરે મવતિ સારું વન્નનળમ્' અર્થાત્ “જે જે વસ્તુ આ સંસારમાં દષ્ટિ–ગોચર થાય છે, તે અનિત્ય છે' એવી ભાવના ભાવતા હતા, તેનું જ આ પરિણામ હતું. આ ભરત રાજર્ષિને પ્રણામ કરી તેમના વિશે ઉલ્લેખ અત્ર સમાપ્ત કરવામાં આવે છે. શ્રેણિક નૃપતિ- શ્રેણિકના પિતાનું નામ પ્રસેનજિતુ હતું, જ્યારે તેમની માતાનું નામ ધારણી હતું. વયે તેઓ મગધ દેશમાંની રાજગૃહી નગરીના સ્વામી બન્યા હતા. તેઓને ચિલ્લણ પ્રમુખ રાણીઓ હતી. રાણું ચિલણા તેમના જેવી સૌન્દર્યની એક અનુપમ મૂર્તિ હતી. આ બન્નેને સૌન્દર્યને જોઈને તો સમવસરણમાં મહાવીરસ્વામી વિરાજમાન હોવા છતાં પણ તેની પદામાંના અનેક લકે મેહમુગ્ધ બન્યા હતા અને તે એટલે સુધી કે સાધુઓમાં ફક્ત ગૌતમ સ્વામી (ઇન્દ્રભૂતિ) અને સાધ્વીઓમાં ચન્દનબાલા કેરાં રહી ગયાં હતાં. આ શ્રેણિક રાજાને અભયકુમારાદિક પુત્ર હતા. શ્રેણિક રાજા વીર પ્રભુના પરમ ભક્ત ગણાય છે. તેઓ આ “અવસર્પિણું ” કાલ પૂરો થયા બાદ “ઉત્સર્પિણીના ત્રીજા આરામાં પ્રથમ તીર્થંકર થનાર છે, જોકે અત્યારે તો તેઓ પ્રથમ નરકમાં છે.' ૧ ચાદ રોની માહિતી માટે જુઓ જબુદ્વીપ-પ્રાપ્તિ, તૃતીય વક્ષસ્કાર. ૨ આ ચિલણા રાણીના સંબંધમાં એમ કહી શકાય કે – "सा रामणीयकनिधेरधिदेवता वा सौन्दर्यसारसमुदायनिकेतनं वा। तस्याः सखे ! नियतमिन्दुसुधामृणालज्योत्स्नादि कारणमभून्मदनश्च वेधाः ॥" –માલતી-માધવ અર્થાત–તે (માલતી) રૂપાદિ સંપત્તિના ભંડારની અધિષ્ઠાયિકા દેવી છે અને સૌદર્યના સમુદાયનું ઘર છે. હે મિત્ર! ખરેખર તે (માલતી)નું ઉપાદાન કારણ ચંદ્ર, અમૃત, કમલને દંડ અને ચંદ્રને પ્રકાશ આદિ થયેલ છે અને તેને કર્તા (અષ્ટા) કામદેવ બનેલ છે. ૩ આ વાત એ બનેનું અનુપમ ચારિત્રબળ સૂચવે છે. આવું દઢ બ્રહ્મચર્ય પાળનાર તરીકે સ્થૂલિભદ્રનું નામ પણ જૈન સમાજમાં જાણીતું છે. ૪ પ્રભુના સેવકની પણ આવી દશા થાય એ “મેળો શરૂના ગતિઃ' એ સૂત્રને ચરિતાર્થ કરે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004888
Book TitleKavya Sangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherJinshasan Aradhana Trust
Publication Year2004
Total Pages224
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy