SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૬ નેમિભક્તામર [ શ્રીમાલામતન્તવાદી આ સંબંધમાં એવો બચાવ કરી શકે તેમ નથી કે અમે તે સર્વ ધર્મો એક જ અપેક્ષાપૂર્વક સ્વીકાર્યા નથી, પરંતુ અન્યાન્ય અપેક્ષા પ્રમાણે તેમ કર્યું છે, કેમકે એ કાર્ય તે અનેકાવાદીનું છે. વળી વસ્તુને એકાન્તતઃ સતું માનનારને તેને ફટર નિત્ય માનવી પડશે અને તેમ કરવાથી તે તેને શિરે અનેક આપત્તિઓ આવી પડશે. તેમાંની અવ એકનું દિગ્દર્શન કરાવવામાં આવે છે અને તે એ છે કે પોતે પણ પિતાની આર્થિક, નૈતિક કે આધ્યાત્મિક સ્થિતિ સુધારી શકશે નહિ. આથી બીજી મોટી આપત્તિ શું હોઈ શકે ? આવી જ રીતે કોઈ પણ વસ્તુને એકાત્તતઃ અસત્ માનવી તે પણ ઈષ્ટ નથી, કેમકે તેમ કરવા જતાં તે બ્રહ્માણ્ડ શુન્યરૂપ બને છે. અન્ય શબ્દોમાં કહીએ તે ભયંકર શુન્યવાદને સ્વીકાર કરે પડે તેમ છે.” જૈન શાસ્ત્રમાં નિવેદન કર્યા મુજબ દરેક પદાર્થનું (૧) દ્રવ્ય, (૨) ક્ષેત્ર, (૩) કાલ અને (૪) ભાવ એમ ચાર દષ્ટિપૂર્વક અવલોકન થઈ શકે છે. તેમાં દરેક પદાર્થનું અસ્તિતત્વ પિતાના દ્રવ્યાદિક આશ્રીને રહેલું છે, પરંતુ અન્ય પદાર્થોને દ્રવ્યાદિક આશ્રીને રહેલું નથી એમ વીકારવું તે અનેકાન્તવાદ છે અને આ ઉત્તમ માર્ગ છે અને તેને જૈન દર્શનમાં પૂર્ણ સત્કાર કરવામાં આવે છે, જોકે કેટલીક વાર તો જૈનેતર દર્શનમાં પણ અનેકાવાદની ગબ્ધ આવે છે. - આ ચારે દષ્ટિએને વિચાર કરીએ તે પૂર્વે એ વિચારવું અરથાને નહિ ગણાય કે જેને પિતા” કહેવામાં આવે છે, તે તેના પુત્રને પિતા છે અર્થાત્ તે અન્યના પુત્રને પિતા નથી. એટલે કે તે વ્યક્તિમાં અમુક અપેક્ષાએ પિતૃત્વ ધર્મ રહેલો છે અને અમુક અપેક્ષાએ તે ધર્મ રહેલ નથી. અર્થાત્ પુત્રથી પિતા તરીકે સત્ એવો જે પિતા તે બીજાના પુત્રથી પિતા તરીકે અસત્ છે. આ ઉપરથી સમજી શકાય છે કે પિતાના ગુણોથી–પિતાના ધર્મોથી–પિતાના સ્વરૂપથી જે દ્રવ્ય સતુ છે, તેજ દ્રવ્ય બીજા દ્રવ્યના ગુણેથી–બીજા દ્રવ્યના સ્વરૂપથી અસત્ છે. આ હકીકત વિશેષ ધ્યાનમાં આવે તે માટે આપણે ઘટનું ઉદાહરણ ચારે દષ્ટિપૂર્વક વિચારીએ. ધારે કે એક ઘટ માટીને બનેલો છે અને તે મુંબઈમાં રહેલો છે. વળી તે શર ઋતુમાં ઉત્પન્ન થયેલા છે તેમજ તે શુષ વર્ણવાળે છે. એમાં માટી, મુંબાઈ, શિર ઋતુ અને શુક્લ વર્ણ એ આ ઘટના દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ છે. આથી કરીને આ ઘટ માટીરૂપ છે પરંતુ તે જળરૂપ નથી એમ કહી શકાય; અર્થાત્ સ્વદ્રવ્યની અપેક્ષાએ એ સત છે, પરંતુ પારદ્રવ્યની અપેક્ષાએ તે અસત્ છે. એવી જ રીતે મુંબાઇમાં રહેલો ઘટ મુંબાઈ-ક્ષેત્રની અપેક્ષાએ સતુ છે, પરંતુ અન્ય ક્ષેત્રની જેવા કે સુરત, અમદાવાદ ઇત્યાદિની અપેક્ષાએ અસતુ છે. એવી જ રીતે શરદ્દ ઋતુની–રવેકાલની અપેક્ષાએ ૧સ્વકાલની અપેક્ષાએ સત્ત્વ, અસત્ત્વ વિચારતાં એ પણ સમજી શકાય છે કે અમુક કાલનો માટીનો બનેલો ઘટ અ ય કાલમાં તેના પરમાણુની સંખ્યામાં તેમજ તેની ગોઠવણમાં ફરક પડતાં તે જલરૂપે કે પિત્તળરૂપે કે એવા કોઈ અન્ય પદાર્થરૂપે પણ પરિણમે, કેમકે દરેક પદાર્થ એકજ જાતના પુદ્ગલનો બનેલો છે. આ પુલના પરમાણુઓની સંખ્યા અને યેજના પ્રમાણે તે પુદગલ અન્ય અન્ય વ્યરૂપે પરિણમે છે, એવું જૈન શાસ્ત્રકારોનું કથન છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004888
Book TitleKavya Sangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherJinshasan Aradhana Trust
Publication Year2004
Total Pages224
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy