SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૦ નેમિભક્તામર [ શ્રીમાવપ્રમતઆ પ્રમાણેના ઉપાલંભે સાંભળી પ્રભુથી રહેવાયું નહિ એટલે તેઓ હસી પડ્યા. આથી શ્રીકૃષ્ણની સ્ત્રીઓ એમ માની બેઠી કે તેમણે વિવાહ કરવા સંમતિ દર્શાવી છે. આ વાતની શ્રીકૃષ્ણને તેઓએ વધામણી આપી એટલે તેમણે (કંસના પિતા) ઉગ્રસેનની પુત્રી રાજીમતી સાથે તેમની સગાઈ કરી. લગ્ન દિવસ નજીક આવતાં ભારે ઉત્સાહપૂર્વક કૃષ્ણ નેમિનાથને સાથે લઈને છપ્પન કોટિ યાદવની જાન સહિત ઉગ્રસેન રાજાને ત્યાં ગયા. તરણે આવતાં નેમિનાથ પ્રભુએ પશુઓને અતિશય કરૂણ પોકાર સાંભળ્યો. તેનું કારણ પિતે જાણતા હોવા છતાં તે વાતને ખુલાસો કરવા તેમણે પિતાના રથના સારથિને કહ્યું. તેણે ઉત્તરમાં જણાવ્યું કે આપના લગ્ન પ્રસંગે ભેજન આપવાને અર્થે અત્ર પશુ-પક્ષીઓને એકત્રિત કરવામાં આવ્યાં છે; આ સાંભળતાંજ દયાના સાગર એવા નેમિનાથે પિતાનો રથ તે પ્રાણીઓની સમીપ લઈ જવાને સારથિને સૂચવ્યું. આ પ્રાણીઓની દયાજનક સ્થિતિ જોઈને તરતજ તેમણે તેમને છોડાવી મૂક્યાં અને પોતાના રથને પાછો પિતાના ગૃહ તરફ વાળવા સારથિને ફરમાવ્યું. નેમિકુમારને પાછા વળતાં જઈને તેમના માતા-પિતાએ તથા તેમનાં અન્ય સગા-સંબંધીઓએ તેમને ઘણા સમજાવ્યા, પરંતુ તે એકના બે થયા નહિ અને તેમણે ગૃહ તરફ પ્રયાણ કર્યું. આથી રામતી અતિશય દારૂણ વિલાપ કરવા લાગી. " આ પ્રસંગને લક્ષ્યમાં રાખીને કવિરાજ રામતીના મુખથી તેમને ઉપાલંભે અપાવે છે. એક પછી એક વિવિધ પ્રકારના ઉપાલંભની શ્રેણિ આ ૪૪ શ્લોકના કાવ્યમાં છેક ૩૫ લોક પર્યત દષ્ટિગોચર થાય છે. છંદાદિક સંબંધી વિચાર– આ કાવ્ય શ્રીમાનતુંગરિકૃત ભક્તામર સ્તોત્રના ચતુર્થ ચરણની પાદપૂર્તિરૂપ છે, એથી કરીને આના પ્રત્યેક પધમાં આ રતત્રના પ્રત્યેક પધનું અંતિમ ચરણ દષ્ટિગોચર થાય એ સ્વાભાવિક છે. પરંતુ અત્ર તો વિશેષતા એ છે કે આ કાવ્યનો પ્રારંભ પણ ઉપર્યુક્ત સ્તોત્રના મમ ' એવા પ્રારત્મિક પરથી થાય છે. આ કાવ્ય વસન્તતિલકા છંદમાં રચાયેલું છે અને તેનું લક્ષણ “વસતતિા તેમના a r:' એમ આપવામાં આવે છે. આ ઉપરથી જોઈ શકાય છે કે એ તગણથી શરૂ થાય છે. આથી આ સંબંધમાં એમ પ્રશ્ન ઉઠાવવામાં આવે છે કે તાણનું ફળ શુન્ય હોવાથી આ ગણથી કાવ્ય શરૂ કરવું શું ઇષ્ટ છે? આના સમાધાનાર્થે નિવેદન કરવાનું કે ભગયું અને યગણ એ મૃત્ય (ચાકર ) ગણે છે, જયારે જગણ અને તગણ ઉદાસીન છે. તેમાં ઉદાસીન ગણની પછી જો ૧ આ સંબંધમાં જુઓ મેરૂવિકૃત ચતુર્વિશતિ-જિનાનન્દ-સ્તુતિના પ્રથમ પદ્યનું સ્પષ્ટીકરણ (પૃ. ૪). ૨ સરખાવો– મની ત્રેિ મયૌ –કુલીન નતૌ પૃ . रसावरी नीचसंज्ञौ, द्वा द्वावेतौ मनीषिभिः ॥" Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004888
Book TitleKavya Sangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherJinshasan Aradhana Trust
Publication Year2004
Total Pages224
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy