SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ नेमिभक्तामरम्] નેમિભક્તામર وای તેજસ્વી) તેમજ લક્ષ્મીને ભંડાર છે જેની પાસે એ દ્રવ્યના વ્યયને જાણનાર (મનુષ્ય) આધાર છે, તેમ ] તું, હે જડ! (સતી હોવાને લીધે) તારીજ સેવામાં ઉકઠિત મનવાળી એવી જ હું (સત્યભામાની બેન) રામતી તેને આધાર બન.” અથવા “હે સુરેશ્વર ! જેમ અત્યંત સંતાપને નાશ કરનારે એ, તથા કિરણ વડે (વ્યાપ્ત છે) મડળ જેનું એવો [ અથવા (ભૂષણરૂપ હેવાથી) મહાદેવને સુખકારી એ ] તેમજ શોભાના ભંડારરૂપ ચન્દ્ર અમૃતનું પાન કરવાને માટે (અધીરા બનેલા અને એથી કરીને )દુઃખથી પીડાતા એવા (ચકોર ) પક્ષિ જનોને આધાર છે તેમ [અથવા જેમ (ચક્રવાકના વિરહરૂપી) કહેર તાપને હરનારા, ૫ને (વિકસિત કરનાર હોવાથી તેની) ખાણરૂપ તેમજ કિરણે અથવા તેજ ] વડે મને હર એવો શુભ (અર્થાતુ ગ્રહણાદિકથી મુક્ત) સૂર્ય જલાશય પાસે (વસનારા ચક્રવાક) પક્ષિ-જનના (યુગલને રાત્રિ આવી પડતાં વિરહરૂપી) દુઃખની પીડા જયારે પ્રાપ્ત થાય છે ત્યારે તેને આધાર બને છે, તેમ ](સમ્યગ્દર્શનાદિક) રત્નોની (પ્રાપ્તિમાં) કુશળ એવો તું તારી જ સેવા (કરવામાં) આતુર છે મન જેનું એવી હું જે (ઉગ્રસેનની પુત્રી) રાજીમતી તેને આધાર થા.”—૧ સ્પષ્ટીકરણ શ્રીનેમિનાથ– આ અવસર્પિણી કાલમાં થઈ ગયેલા વીસ તીર્થકરોમાંના શ્રીનેમિનાથ એ જેના બાવીસમા તીર્થકર છે. એમને અરિષ્ટનેમિના નામથી પણ ઓળખવામાં આવે છે. સૈર્યપુરના સમુદ્રવિજય રાજાની રાણી શિવા દેવી ચૌદ સ્વપ્ન વડે સૂચિત એવા આ પુત્રરત્નને શ્રાવણ શુલ પંચમીએ જન્મ આપવા ભાગ્યશાળી થઈ હતી. નેમિનાથ પ્રભુ બાલ્યાવસ્થામાંથી જ વૈરાગ્ય રંગથી રંગાયેલા હોવાને લીધે તેઓ લગ્ન-ગાંઠથી બંધાઈ પોતાની સ્વતંત્રતા વેચવા માંગતા હતા નહિ. એક વખત આ પ્રભુ પિતાના કાકા વસુદેવના પુત્ર શ્રીકૃષ્ણની આયુધ શાળામાં જઈ ચડ્યા અને ત્યાં તેમણે એવું અપૂર્વ શર્ય બતાવ્યું કે શ્રીકૃષ્ણ તેમનાથી ભયભીત થઈ ગયા. તેમને શંકા થઈ કે આ નેમિકુમાર મારું રાજ્ય લઈ લેશે. એટલામાં આકાશ વાણી થઈ કે એઓ તો યોગ્ય વયે દીક્ષા ગ્રહણ કરનાર છે. આ સાંભળીને કૃષ્ણ નિશ્ચિત્ત થયા. પરંતુ બંધુ રનેહને વશ થઈ તેમણે તેમને પરણાવવા વિચાર કર્યો અને તદંગે વિવાહ મનાવવાનું કાર્ય તેમણે પોતાની પત્નીઓને સોપ્યું. તેઓ પોતાના દીયર નેમિનાથને જલક્રીડા કરવા લઈ ગઈ અને ત્યાં તેમને અતિશય ઉપાલંભે આપ્યા. આ સંબંધમાં ઉપાધ્યાય શ્રીવિનયવિજયે કલ્પસૂત્ર ઉપર તેમણે રચેલી સુબેધિકા નામની ટીકામાં નીચે મુજબનું વર્ણન કર્યું છે – ૧ સરખાવો સરસ્વતીચન્દ્રના નાટકમાં કુસુમના ઉદ્દગારઃ પરણીને પરવશ થઈ રહેવું, પિંજરમાં પૂરાવું, સુખમાં ફરતાં સ્વત જીવને બંધનમાં બંધાવું.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004888
Book TitleKavya Sangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherJinshasan Aradhana Trust
Publication Year2004
Total Pages224
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy