SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ ७८ વીરભક્તામર [ શ્રી ધર્મવર્ધનત કર્યું એટલે ત્યાં રન-વૃષ્ટિ વિગેરે પાંચ દિવ્ય પ્રકટ થયાં, આ હકીકતની ગોશાળકને ખબર પડી એટલે તે મહાવીર સ્વામીને શિષ્ય થવા તૈયાર થઈ ગયા. પ્રભુની પાસે આવી તેણે તદનુસાર ઘણું વિજ્ઞપ્તિ કરી, પરંતુ પ્રભુ તો મૌન જ રહ્યા. છતાં તે પિતાને તેમના શિષ્ય માનવા લાગે. પછી તે પ્રભુની સાથે વિહાર કરવા લાગ્યો. અનુક્રમે તેઓ કુર્મ' ગામમાં આવી ચડ્યા. આ ગામમાં એક શિકાયન નામને તાપસ રહેતો હતો. આ તાપસ ગામની બહાર મધ્યાહન સમયે આતાપના લેતો હતો. તે સ્વભાવથી વિનીત અને ક્ષમાવાન હતો. ગોશાળક આ તાપસ પાસે ગયો અને પોતાના દુષ્ટ ભાવાનુસાર તે તેને પૂછવા લાગ્યો કે અરે તાપસ ! તું કંઈ તત્ત્વ જાણે છે કે? અથવા શું તું ને શય્યાતર છે? અરે તું સ્ત્રી છે કે પુરૂષ છે. આ પ્રમાણે ઘણી વાર ગોશાળકે તેને કર્કશ વચને કહ્યાં, તેથી જેમ ચંદન પણ ખૂબ ઘસવાથી ઉષ્ણ બની જાય, તેમ તે ક્ષમાવાન તાપસ પણ કપાયમાન થઈ ગયે અને તેણે આના ઉપર તેજલેશ્યા મૂકી, જવાળાઓથી અતિશય ભયંકર એવી તેજલેયાથી ભયભીત બનેલો તે ગોશાળક પ્રભુ પાસે આવ્યા, એટલે સવંદા અપકારી જનો ઉપર પણ ઉપકાર કરવામાં તત્પર એવા પ્રભુએ તેના રક્ષણાર્થે સામી શીતલેશ્યા મૂકી. તેથી જળ વડે જેમ અગ્નિ શાંત થઈ જાય તેમ તે તેજલેયા શાંત થઈ ગઈ. આથી શિકાય તે આશ્ચર્યાકિત થઈ ગયે. તે પ્રભુ પાસે આવી તે જેલેથા મૂક્યા બદલ ક્ષમા યાચી ગયે. ગોશાળકે પ્રભુને પૂછયું કે—“આ તેજલેશ્યાની લબ્ધિ શી રીતે પ્રાપ્ત થાય છે વારૂ?” પ્રભુએ તેના ઉત્તરમાં જણાવ્યું કે –“જે મનુષ્ય નિયમધારી થઈ હમેશા ઠંડા કરે અને એક મુષ્ટિ કુલ્મોષ (અડદ) તથા અંજલિ-માત્ર જળ વડે પારણું કરે તેને છ મહિનામાં તેજલેશ્યાની લબ્ધિ પ્રાપ્ત થાય છે.” ગોશાળકે ઉપર મુજબની વિધિ અનુસાર ઉગ્ર તપશ્ચર્યા કરીને તેજલેશ્યાની લબ્ધિ પ્રાપ્ત કરી. વિશેષમાં શ્રી પાર્શ્વનાથના શાસનથી વિમુખ બનેલા સાધુઓ પાસેથી તે અષ્ટાંગ નિમિત્તને પણ જાણકાર થયો. પિતાને દુષ્ટ અધ્યવસાયને લઈને તે લોકોમાં પિતાને તીર્થકર તરીકે ઓળખાવવા લાગ્યા. પરંતુ સર્વજ્ઞ વીર ભગવાને તેની ખરી હકીકત કે સમક્ષ કહી બતાવી. આથી દેધાતુર થઈને તેણે ભગવાનના ઉપર તેજલેશ્યા મૂકી, પરંતુ તે તેજલેશ્યાએ તો પ્રભુની પ્રદક્ષિણા કરી અને આવું નીચ કાર્ય પિતાની પાસે ગોશાળકે કરાવ્યું તેથી ધાયમાન થઈ હોય તેમ તે તેનાજ દેહમાં પેસી ગઇ. ગોશાળકે પ્રભુ ઉપર તેજલેશ્યા મૂકી હતી, તેથી પ્રભુના અંગમાં માત્ર સંતાપ થયે; બાકી ગોશાળકના તે રામ રમી ગયા. સાતમે દિવસે મરણ સમયે તેને સદવિચાર આવ્યો, તેથી તેને બહુજ પશ્ચાત્તાપ થયે. અવસાન-કાલે પિતાના દુષ્ટ કર્મની તેણે નિન્દા કરી, ૧ દેવતાઓએ આકાશમાં રહીને કરેલ (1) દુદુભિ-નાદ, તેમણે કરેલી (ર ) સુવર્ણની વૃષ્ટિ, (૩) પંચ વર્ણનાં પુછપની વૃષ્ટિ અને (૪) ગન્ધોદકની વૃદ્ધિ અને તેમણે કરેલે (૫) વસ્ત્રોનો ઉલ્લેપ એ પાંચ દિવ્ય છે. - ૨ પ્રથમ દિવસે એકાસણું કરવું યાને એક વાર ભોજન કરવું, પછી બે દિવસ સુધી ઉપવાસ કરવો અર્થાત ચાર વાર ભેજનો ત્યાગ કરવો અને ત્યાર બાદ પાછું એકાસણું કરવું એમ એકંદર રીતે છ વારના ભજનો ત્યાગ કરે તે “છઠ' કહેવાય છે. આ વ્યુત્પત્તિ-અર્થ છે. પ્રવૃત્તિ તે બે દિવસના ઉપવાસ કરવાની છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004888
Book TitleKavya Sangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherJinshasan Aradhana Trust
Publication Year2004
Total Pages224
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy