SearchBrowseAboutContactDonate
Page Preview
Page 817
Loading...
Download File
Download File
Page Text
________________ તૃતીય ઉલ્લાસ–આસ્રવ અધિકાર અત્યાર સુધી આપણે જીવ અને અજીવ એ બે મુખ્ય તનું સ્વરૂપ વિચાર્યું. હવે આસ્રવ નામના ત્રીજા તત્વ વિષે આ પ્રકરણમાં ઉલ્લેખ કરવામાં આવે છે, આસવને અથ– જેમ કેઈ સરોવરમાં નાળા દ્વારા ચિખું કે ગંદુ પાણી દાખલ થાય છે તેમ જીવમાં સારો કે નઠારાં કર્મ દાખલ થાય છે. અર્થાત્ જીવ એ સરોવર છે, પાંચ ઈન્દ્રિયે વગેરે એના નાળાં છે અને કમ એ પાણી છે. આપણે જે શુભ કે અશુભ કર્મ કરીએ તે કર્મરૂપ જળ ઇન્દ્રિયાતિ નાળા દ્વારા જીવમાં દાખલ થાય છે. સારાં કર્મના આસવથી પુણ્ય બંધાય અને નઠારાં કર્મના, આસવથી પાપ બંધાય. આસવ અને સંવરમાં ભેદ– આસ્રવ એટલે ગરનાળું અને સંવર એટલે ઢાંકણ. આથી જૈન દર્શનમાં કમનું ઉપાર્જન કરવાનાં કારણેને-જે દ્વારા જીવને વિષે કમ દાખલ થાય તેને “ આસવ ' કહેવામાં આવે છે, જ્યારે તેને આવતાં અટકાવનારાં કારણે ને “સંવર' કહેવામાં આવે છે. આસવ એ કર્મના બંધને હેતુ છે એટલે કે એનાથી કમ બંધાય છે, જ્યારે સંવરથી કમને બંધ થતું અટકી જાય છે. જેમ સરોવરમાં ગરનાળાં વડે જળ દાખલ થાય છે અને જે દ્વારા જળને પ્રવેશ થાય તેમ હોય તે દ્વાર બંધ કરવામાં આવે તે સરોવરમાં જળ ભરાતું અટકી જાય છે તેમ જીવને સરોવર ગણુતાં તેમાં આસથી કમરૂપ જળ ભરાય છે અને સંવાથી કમરૂપ જળ તેમાં ભરાતું અટકી જાય છે. આસવ એ હેય તત્તવ છે, જ્યારે સંવર ઉપાદેય છે; કેમકે આઝવ એ સંસારનું કારણ છે, જ્યારે સંવર એ મોક્ષનું કારણ છે. એ ધ્યાનમાં રાખવું કે પુણ્ય અને સંવરમાં અંતર છે, કેમકે પુણ્ય એ શુભ કર્મના બંધનું કારણ છે, જ્યારે સંવરથી તે જીવના શુભ કે અશુભ કેઈ પણ જાતના કર્મનું આગમન જ અટકી જાય છે તે પછી બંધની તો વાત જ શી કરવી ? આ ઉપરથી સમજાયું હશે કે જીવને વિષે કમેનું વહેવું તે 'આસવ' છે. જેમ ગામનું મેલું જળ નાળાંમાં થઈને તળાવમાં વહે છે અને તે તળાવના નિર્મળ જળને મલિન કરે છે તેમ ઇન્દ્રિયે, તેના વિષયે વગેરે નાળામાં થઈને કમરૂપ જળ જીવરૂપ તળાવમાં વહે છે અને એના અસલી સ્વરૂપને બગાડે છે. વસ્ત્ર ભીનું હોય અને ધૂળ ઉડતી હોય તે જેમ તે વસ્ત્ર ઉપર ચેટી જઈ એને મલિન કરે છે તેમ કેધાદિ દુષ્ટ વૃત્તિઓથી રંગાયેલા આત્મારૂપ વસ્ત્ર સાથે આ વૃત્તિઓ દ્વારા આવેલ કર્મરૂપ રજ ચોંટી જાય છે અને તે એને વિકૃત બનાવે છે. ૧ વહેવા અર્થવાળા શુ ધાતુને મા ઉપસર્ગ લગાડી આ. શબ્દ બનાવાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy