________________
અછવ–અધિકાર.
[ દ્વિતીય ધર્માસ્તિકાયાદિની અવગાહના–
જ્યાં ધમસ્તિકાયને એક પ્રદેશ અવગાઢ હોય-રહેલો હોય ત્યાં ધર્માસ્તિકાયને બીજે એકે પ્રદેશ અવગાઢ નથી, પરંતુ અધર્મારિતકાયને એક, આકાશાસ્તિકાયને એક, વાસ્તિકાયના અનંત અને પુદગલાસ્તિકાયના અનંત પ્રદેશ અવગાઢ હોય છે. અદ્ધાસમ અત્ર કદાચ અવગાઢ હોય, અને કદાચિત્ અવગાઢ ન હોય; જે અવગાઢ હોય તે અનંત અદ્ધાસમ અવગાઢ હેય.
જ્યાં અધર્માસ્તિકાયને એક પ્રદેશ અવગાઢ હોય ત્યાં ધર્માસ્તિકાયને એક પ્રદેશ અવગાઢ હોય; જ્યારે અધર્માસ્તિકાયને તે એક પણ નહિ. બાકી બધું ધર્માસ્તિકાયની પેઠે જાણવું.
જ્યાં આકાશસ્તિકાયને એક પ્રદેશ અવગાઢ હોય ત્યાં ધર્માસ્તિકાયને એક પ્રદેશ કદાચ અવગાઢ હોય અને કદાચ ન હોય; જે હોય તો એક હોય. એ પ્રમાણે અધર્માસ્તિકાય માટે સમજવું. આકાશાસ્તિકાયને ત્યાં એકે પ્રદેશ ન હય, જીવાસ્તિકાયના પ્રદેશે ત્યાં કદાચ અવગાઢ હોય અને કદાચ અવગાઢ ન હોય. જે હોય તે અનંત હોય. એ પ્રમાણે અદ્ધાસમય પર્યત ઘટાવી લેવું.
જયાં જીવાસ્તિકાયને એક પ્રદેશ અવગાઢ હોય ત્યાં ધર્મ, અધર્મ અને આકાશ એ ત્રણેને એકેક પ્રદેશ અવગાઢ હોય. વળી પુદ્ગલના અનંત પ્રદેશો અને અનંત અદ્ધાસમયે ત્યાં અવગાઢ હોય. આ હકીકત પુદ્ગલાસ્તિકાયના એક પ્રદેશના ગવગાઢ-દ્વારને પણ લાગુ પડે છે. જ્યાં પુગલાસ્તિકાયના બે પ્રદેશ અવગાઢ હોય ત્યાં ધર્માસ્તિકાયને કદાચ એક પ્રદેશ અવગાઢ હોય અને કદાચ એ હોય; કેમકે જે એ પુદગલાસ્તિકાયના બે પ્રદેશે એક આકાશ-પ્રદેશને અવગાહીને રહે તે તેને વિષે એક ધર્માસ્તિકાયને પ્રદેશ અવગાહીને રહેવું અને જો તે બે આકાશ-પ્રદેશને અવગાહીને રહે તો ત્યાં બે ધમસ્તિકાયના પ્રદેશ રહે, આ પ્રમાણે અધર્મ અને આકાશ માટે પણ સમજી લેવું. જીવ, પુગલ અને અદ્ધાસમય સ બધે જેમ ધમસ્તિકાયના પ્રદેશની વક્તવ્યતામાં કહ્યું છે તેમ પગલાસ્તિકાયના પ્રદેશની વક્તવ્યતા વિષે જાણવું.
જયાં પગલાસ્તિકાયના ત્રણ પ્રદેશે અવગાહીને રહેલા હોય ત્યાં ધર્માસ્તિકાયના કદાચ એક. કદાચ બે અને કદાચ ત્રણ પ્રદેશ અવગાઢ હોય. એ હકીકત અધર્મ અને આકાશને પણ હાગ પડે છે. જીવાદિ આશ્રીને તે બે પુગલ-પ્રદેશે માટે જે ઉપર કહ્યું તે અહીં પણ ઘટે છે. એ પ્રમાણે જ્યાં પુદગલાસ્તિકાયના સંખ્યાત પ્રદેશે અવગાઢ હોય ત્યાં ધર્માસ્તિકાયને કદાચ એક પ્રદેશ, કદાચ બે, યાવત્ કદાચ સંખ્યાત પ્રદેશે અવગાઢ હોય. પુદગલાસ્તિકાયના અસંખ્યાત પ્રદેશે અવગાઢ હોય ત્યાં ધમના કદાચિત્ એક, કદાચિત બે એમ છેક અસંખ્યાત પ્રદેશ અવગાઢ હોય. જ્યાં પુદગલાસ્તિકાયના અનંત પ્રદેશે અવગાઢ હોય ત્યાં પણ ધમના કદાચ એક, કદાચ છે. એમ છેક અસંખ્યાત પ્રદેશ અવગાઢ હોય. જ્યાં એક અદ્ધા-સમય અવગાઢ હોય ત્યાં ધર્મ અધમ, અને આકાશ એ પ્રત્યેકને એકેક પ્રદેશ અને જીવ તથા પુદ્ગલ એ દરેકના અનંત અનંત પ્રદેશ અવગાઢ હોય. વળી અદ્ધાસમ પણ અનંતની સંખ્યામાં અવગાઢ હોય
આ સમગ્ર વિવેચનને સારાંશ નીચે મુજબ છેઠક દ્વારા રજુ કરવામાં આવે છે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org